Rajasthan Bus Accident: પુલની રેલિંગ તોડી રેલવે ટ્રેક પર પછડાઈ બસ, દુર્ઘટનામાં ગઈ આટલી જીંદગી


  • Published By :
  • Published Date : 2023-11-06 09:41:35

રાજસ્થાનમાં ભીષણ અકસ્માત સર્જાયો છે જેમા અંદાજીત 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. પેસેન્જરોને લઈ જઈ રહેલી બસ અનિયમિત થઈ ગઈ અને પુલનું રેલિંગ તોડી રેલવે ટ્રેક પર જઈને ઉંધી પડી. આ અકસ્માતને પગલે ટ્રેનની અવરજવર પર અસર પડી છે.  

બ્રિજને તોડી રેલવે ટ્રેક પર પહોંચી બસ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ હોવાને કારણે ભીષણ રોડ અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા અકસ્માત સર્જાયા હોય છે. ત્યારે આવો જ એક ભીષણ રોડ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે. નેશનલ હાઈવે 21 પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


જો ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હોત તો સર્જાતો ભીષણ અકસ્માત!

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. હરિદ્વારથી જયપુર તરફ બસ જઈ રહી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે જ્યારે ટ્રેક પર બસ પલટીને પડી હતી તે દરમિયાન કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી. જે એ વખતે ટ્રેન પસાર થઈ રહી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.