Rajasthan Bus Accident: પુલની રેલિંગ તોડી રેલવે ટ્રેક પર પછડાઈ બસ, દુર્ઘટનામાં ગઈ આટલી જીંદગી


  • Published By :
  • Published Date : 2023-11-06 09:41:35

રાજસ્થાનમાં ભીષણ અકસ્માત સર્જાયો છે જેમા અંદાજીત 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. પેસેન્જરોને લઈ જઈ રહેલી બસ અનિયમિત થઈ ગઈ અને પુલનું રેલિંગ તોડી રેલવે ટ્રેક પર જઈને ઉંધી પડી. આ અકસ્માતને પગલે ટ્રેનની અવરજવર પર અસર પડી છે.  

બ્રિજને તોડી રેલવે ટ્રેક પર પહોંચી બસ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ હોવાને કારણે ભીષણ રોડ અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા અકસ્માત સર્જાયા હોય છે. ત્યારે આવો જ એક ભીષણ રોડ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે. નેશનલ હાઈવે 21 પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


જો ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હોત તો સર્જાતો ભીષણ અકસ્માત!

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. હરિદ્વારથી જયપુર તરફ બસ જઈ રહી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે જ્યારે ટ્રેક પર બસ પલટીને પડી હતી તે દરમિયાન કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી. જે એ વખતે ટ્રેન પસાર થઈ રહી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.