Rajasthan Bus Accident: પુલની રેલિંગ તોડી રેલવે ટ્રેક પર પછડાઈ બસ, દુર્ઘટનામાં ગઈ આટલી જીંદગી


  • Published By :
  • Published Date : 2023-11-06 09:41:35

રાજસ્થાનમાં ભીષણ અકસ્માત સર્જાયો છે જેમા અંદાજીત 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. પેસેન્જરોને લઈ જઈ રહેલી બસ અનિયમિત થઈ ગઈ અને પુલનું રેલિંગ તોડી રેલવે ટ્રેક પર જઈને ઉંધી પડી. આ અકસ્માતને પગલે ટ્રેનની અવરજવર પર અસર પડી છે.  

બ્રિજને તોડી રેલવે ટ્રેક પર પહોંચી બસ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ હોવાને કારણે ભીષણ રોડ અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા અકસ્માત સર્જાયા હોય છે. ત્યારે આવો જ એક ભીષણ રોડ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે. નેશનલ હાઈવે 21 પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


જો ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હોત તો સર્જાતો ભીષણ અકસ્માત!

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. હરિદ્વારથી જયપુર તરફ બસ જઈ રહી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે જ્યારે ટ્રેક પર બસ પલટીને પડી હતી તે દરમિયાન કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી. જે એ વખતે ટ્રેન પસાર થઈ રહી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે