રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીની દુર્ઘટના પર દુ:ખ કર્યું વ્યક્ત


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:16

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજકોટ જઈ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. સાથે સાથે લોકોને આપવામાં આવતા વળતરની રકમ પર તેમણે નિવેદન આપ્યું છે.  પીડિત પરિવારને વધારે વળતર આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વધારે વળતર આપી શકે છે. વધારે વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી છે. 

Gujarat Congress Senior Observer Ashok Gehlot Will Come To Gujarat On  August 4 | Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અશોક  ગેહલોત આવશે ગુજરાત

વધારે વળતર આપવાની ગેહલોતે કરી માગ

વળતર મામલે ગેહલોતે કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ  અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે જાહેર કરવામાં આવેલી આ રકમ પ્રર્યાપ્ત નથી. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકારે કરવી જોઈએ. જ્યારે 5 લાખ રૂપિયાની સહાય પીએમ ફંડમાંથી આપવામાં આવે. 


પીડિતોનો કોઈ વાંક જ નથી - અશોક ગેહલોત

વધુમાં તેમણે કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ ન હતો. તેમની કોઈ ભૂલ ન હતી. ઉપરાંત આ ઘટનાની પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.            






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.