રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીની દુર્ઘટના પર દુ:ખ કર્યું વ્યક્ત


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:16

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજકોટ જઈ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. સાથે સાથે લોકોને આપવામાં આવતા વળતરની રકમ પર તેમણે નિવેદન આપ્યું છે.  પીડિત પરિવારને વધારે વળતર આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વધારે વળતર આપી શકે છે. વધારે વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી છે. 

Gujarat Congress Senior Observer Ashok Gehlot Will Come To Gujarat On  August 4 | Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અશોક  ગેહલોત આવશે ગુજરાત

વધારે વળતર આપવાની ગેહલોતે કરી માગ

વળતર મામલે ગેહલોતે કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ  અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે જાહેર કરવામાં આવેલી આ રકમ પ્રર્યાપ્ત નથી. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકારે કરવી જોઈએ. જ્યારે 5 લાખ રૂપિયાની સહાય પીએમ ફંડમાંથી આપવામાં આવે. 


પીડિતોનો કોઈ વાંક જ નથી - અશોક ગેહલોત

વધુમાં તેમણે કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ ન હતો. તેમની કોઈ ભૂલ ન હતી. ઉપરાંત આ ઘટનાની પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.            






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.