રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીની દુર્ઘટના પર દુ:ખ કર્યું વ્યક્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 13:36:16

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજકોટ જઈ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. સાથે સાથે લોકોને આપવામાં આવતા વળતરની રકમ પર તેમણે નિવેદન આપ્યું છે.  પીડિત પરિવારને વધારે વળતર આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વધારે વળતર આપી શકે છે. વધારે વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી છે. 

Gujarat Congress Senior Observer Ashok Gehlot Will Come To Gujarat On  August 4 | Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અશોક  ગેહલોત આવશે ગુજરાત

વધારે વળતર આપવાની ગેહલોતે કરી માગ

વળતર મામલે ગેહલોતે કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ  અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે જાહેર કરવામાં આવેલી આ રકમ પ્રર્યાપ્ત નથી. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકારે કરવી જોઈએ. જ્યારે 5 લાખ રૂપિયાની સહાય પીએમ ફંડમાંથી આપવામાં આવે. 


પીડિતોનો કોઈ વાંક જ નથી - અશોક ગેહલોત

વધુમાં તેમણે કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ ન હતો. તેમની કોઈ ભૂલ ન હતી. ઉપરાંત આ ઘટનાની પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.            






ગુજરાત લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ ગઈકાલે હતો. 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે ત્યાં સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાય છે...

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.