રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતમાં કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:10:57

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાની રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. આપે અનેક વખત ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલથી તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

 ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

પરિવર્તન સંકલ્પ યાત્રામાં  લેશે ભાગ 

ચૂંટણીની તારીખ જાહેર થતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા અશોક ગેહલોત ગુજરાત આવવાના છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભાને સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ 6 રેલીઓ સંબોધવાના છે. રાજકોટ ખાતે ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભાગ લેવાના છે. સોમવારના રોજ તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે જશે જ્યાં આકવાલ ખાતે સભામાં સંબોધન કરશે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.