રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતમાં કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:10:57

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાની રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. આપે અનેક વખત ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલથી તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

 ગુજરાત ગજવવા નેતાઓ તૈયાર! રાજસ્થાનના CM અશોક ગેહલોત રાજ્યમાં ગજવશે બે દિવસમાં 6 સભા, જાણો કાર્યક્રમ

પરિવર્તન સંકલ્પ યાત્રામાં  લેશે ભાગ 

ચૂંટણીની તારીખ જાહેર થતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા અશોક ગેહલોત ગુજરાત આવવાના છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભાને સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ 6 રેલીઓ સંબોધવાના છે. રાજકોટ ખાતે ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભાગ લેવાના છે. સોમવારના રોજ તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે જશે જ્યાં આકવાલ ખાતે સભામાં સંબોધન કરશે.     



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"