Gujaratના Vikas Model પર Rajasthanના CM Ashok Gehlotએ સાધ્યું નિશાન, ગુજરાતના રસ્તાને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-26 11:05:23

વિકાસ મોડલ તરીકે ગુજરાતને દેશભરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવે છે કે જાણે ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય. પરંતુ વાસ્તવિક્તા આપણને ખબર છે. દરરોજ આપણે ખરાબ રસ્તા પરથી નીકળતા હોઈએ છીએ. ગુજરાતમાં કામો થયા છે એની ના નહીં પરંતુ જે રીતે જાહેરાત કરવામાં આવે છે તે પ્રમાણેના કામો નથી થયા તેવી વાત તમારા મનમાં ચાલી રહી હશે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રોડ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના  મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતના રસ્તા રાજસ્થાન કરતા સારા ગણાતા હતા. હવે, તે વિપરીત છે.   

રાજસ્થાનના સીએમએ ગુજરાતના ખરાબ રસ્તાનો કર્યો ઉલ્લેખ  

દરેકના મનમાં આ પ્રકારના સવાલો ઉભા થતા હશે કે જે પ્રમાણે ગુજરાતની છબીને બનાવવામાં આવી તે પ્રમાણે નથી. અનેક જગ્યાઓ પરથી ખરાબ રોડ રસ્તાના સમાચારો સામે આવતા હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે શહેરોની હાલત સારી હશે પરંતુ અનેક શહેરોથી આવતા સમાચાર આપણને દર્શાવે છે કે શહેરોની હાલત પણ ગામડા જેવી છે. જ્યારે ગુજરાતને આખા દેશમાં વિકાસના મોડલ તરીકે દર્શાવવામાં આવે ત્યારે ગુજરાતમાં પડતા ખાડાઓ, ખરાબ રસ્તાઓ પર સમગ્ર દેશની નજર રહેતી હોય છે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કર્યો છે. 


ગુજરાત અને રાજસ્થાનના રોડની કરી સરખામણી!

રાજસ્થાનમાં જોધપુર-જયપુર ઓવરબ્રિજના લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. સામાન્ય રીતે જ્યારે આવા કાર્યક્રમોમાં નેતાઓ જતા હોય છે ત્યારે બીજા રાજ્યોની સરખામણી કરતા જોવા મળે છે. અને જે રાજ્યને આખા દેશમાં વિકાસના પર્યાય બનાવવામાં આવ્યો હોય તે રાજ્ય સાથે સરખામણી કરવાનો મોકો કોઈ છોડતું નથી. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતનું નામ લઈ ગુજરાતના રસ્તાઓ પર કટાક્ષ કર્યા છે. ગુજરાતના રસ્તાની હાલત એકદમ કફોડી જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનીય હોય છે અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે તો વાત પૂછવી જ નહીં. ત્યારે અશોક ગેહલોતે આપેલા નિવેદન પર તમારૂં શું કહેવું છે તે જણાવો...  


There have been 558 accidents in Gujarat in the last three years due to bad  roads and potholes. 234 people died | ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી  નહીં થવાથી છેલ્લા ત્રણ

Rajkot Gondal highway pits on road in monsoon viral - રાજકોટ - ગોંડલ નેશનલ  હાઈવે પર ખાડા ભારે વરસાદ News18 Gujarati



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.