Rajasthan Election : રાજનીતિથી સન્યાસ લેશે Vasundhara Raje! જનસભા દરમિયાન તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-04 17:58:00

થોડા સમય બાદ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચોજાવાની છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે અને તે બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરોશોરથી કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજનેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર ખુદ પીએમ મોદી કરી રહ્યા છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે રાજસ્થાનના સીએમ ફેસ તરીકે વસુંધરા રાજેની પસંદગી થઈ શકે છે પરંતુ તેમણે જનસભામાં નિવેદન આપ્યું છે તેનાથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થવા લાગી કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. 


રાજ્યોમાં જોરશોરથી ચાલતો ચૂંટણી પ્રચાર  

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરના રોજ યોજાવાની છે. 200 જેટલી વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પીએમ મોદી ખુદ ચૂંટણીવાળા રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરા તરીકે વસુંધરા રાજેને જોવામાં આવી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાજસ્થાનમાં રેલીમાં તેમણે સન્યાસ લેવાની વાત કહી હતી. 


નિવૃત્તિની વાત કરતા શું કહ્યું વસુંધરા રાજેએ?

વસુંધરા રાજેએ પોતાના દીકરા દુષ્યંત સિંહના ભાષણ બાદ રેલીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મારા પુત્રની વાત સાંભળીને મને લાહે છે કે મારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તમે બધાએ તેને એટલી સારી રીતે તાલીમ આપી છે કે મારે તેને આગળ ધકેલવાની જરૂર નથી. રાજેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં વાતો શરૂ થઈ ગઈ કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારણ લોકસભા સીટથી સાંસદ છે.  


ભાજપને સત્તા પર લાવવા માટે વસુંધરા રાજેએ કર્યું આહ્વાહન!

મહત્વનું છે કે રાજસ્થાન માટે ભાજપે મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત નથી કરી. છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી કે વસુંધરા રાજેના પુત્રને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તેવી માગ સતત  થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર આવે તે માટે પણ વસુંધરા રાજેએ આહ્વાહન કર્યું હતું કે કોંગ્રેસ સરકારમાં ઘણો ભ્રષ્ટાચાર હતો, પ્રશ્નપત્રો લીક થયા. જો રાજસ્થાનને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવું હોય તો ભાજપને સત્તામાં લાવવી પડશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.