રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, 100 દર્દીઓને અન્યત્ર ખસેડાયા, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-07-30 12:10:53

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 100 જેટલા દર્દીઓને તાત્કાલિક નજીકની આનંદ હોસ્પિટલ અને BAPS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ICU અને દિવ્યાંગ દર્દીઓને રાજસ્થાન હોસ્પિટલના સુરક્ષિત સ્થાનમાં રખાયા છે.  આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.


શા માટે આગ લાગી?


રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.  આગ પર કાબુ મેળવવા માટે હોસ્પિટલનો 100 જેટલો સ્ટાફ પણ કામે લાગી ગયો હતો. હાલ આગને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેના કારણે ફાયર વિભાગને પણ પોતાની કામગીરી કરવામાં મુશ્કેલીઓ પડી હતી. બેઝમેન્ટની આગ અને ધુમાડાને કારણે હોસ્પિટલમાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. પરંતુ હાલ સાવચેતીના પગલાના ભાગરૂપે સવારે ચાર વાગે જ હોસ્પિટલના તંત્ર દ્વારા જ આખી હોસ્પિટલ ખાલી કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આ બેઝમેન્ટમાં લાકડાનું ફર્નિચર, ડનલોપની શિટો, પ્લાયવુડ પડ્યુ હતુ જેના કારણે આગ વધુ છે. 


નજીકની સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા 


આગના સમાચાર મળતા જ ધારાસભ્ય કૌશિક જૈન તથા અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. દર્દીને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગ્યા બાદ નજીકની સોસાયટી ખાલી કરાવાઈ છે. હોસ્પિટલની નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા છે. હોસ્પિટલની દિવાલને અડીને આવેલા ફ્લેટ ખાલી કરાવાયા છે. 


અમિત શાહે દુર્ઘટનાની જાણકારી મેળવી


રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે અમિત શાહે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેઓ લખ્યું છે કે, 'અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જી સાથે વાત કરી અને દુર્ઘટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.'



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.