રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, 100 દર્દીઓને અન્યત્ર ખસેડાયા, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-07-30 12:10:53

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 100 જેટલા દર્દીઓને તાત્કાલિક નજીકની આનંદ હોસ્પિટલ અને BAPS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ICU અને દિવ્યાંગ દર્દીઓને રાજસ્થાન હોસ્પિટલના સુરક્ષિત સ્થાનમાં રખાયા છે.  આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.


શા માટે આગ લાગી?


રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.  આગ પર કાબુ મેળવવા માટે હોસ્પિટલનો 100 જેટલો સ્ટાફ પણ કામે લાગી ગયો હતો. હાલ આગને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેના કારણે ફાયર વિભાગને પણ પોતાની કામગીરી કરવામાં મુશ્કેલીઓ પડી હતી. બેઝમેન્ટની આગ અને ધુમાડાને કારણે હોસ્પિટલમાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. પરંતુ હાલ સાવચેતીના પગલાના ભાગરૂપે સવારે ચાર વાગે જ હોસ્પિટલના તંત્ર દ્વારા જ આખી હોસ્પિટલ ખાલી કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આ બેઝમેન્ટમાં લાકડાનું ફર્નિચર, ડનલોપની શિટો, પ્લાયવુડ પડ્યુ હતુ જેના કારણે આગ વધુ છે. 


નજીકની સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા 


આગના સમાચાર મળતા જ ધારાસભ્ય કૌશિક જૈન તથા અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. દર્દીને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગ્યા બાદ નજીકની સોસાયટી ખાલી કરાવાઈ છે. હોસ્પિટલની નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા છે. હોસ્પિટલની દિવાલને અડીને આવેલા ફ્લેટ ખાલી કરાવાયા છે. 


અમિત શાહે દુર્ઘટનાની જાણકારી મેળવી


રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે અમિત શાહે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેઓ લખ્યું છે કે, 'અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જી સાથે વાત કરી અને દુર્ઘટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.'



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.