Rajasthan: વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને સ્કૂલ પહોંચી તો શિક્ષકે ઘરે મોકલી, વાલીઓએ પ્રિન્સિપાલનો ઘેરાવ કર્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 13:01:21

રાજસ્થાનના જોધપુર જિલ્લાના પિપર કસબામાં આવેલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, શિક્ષકોએ હિજાબ જેવા સ્કાર્ફ પહેરીને શાળામાં આવતી દસથી વધુ મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને બોલાવ્યા અને તેમને પેરેન્ટ્સને સાથે લાવવાનું કહીંને ઘરે મોકલી દીધી હતી. બાદમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર માલે માહિતી આપતાં પ્રિન્સિપાલ રામકિશોર સાંખલાએ જણાવ્યું હતું કે, છોકરીઓ તેમના માથા અને ચહેરાને અન્ય કપડાથી ઢાંકીને શાળામાં આવી હતી, આ માટે તેમને આવું કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મમાં જ શાળામાં આવવાની મંજૂરી છે. જો તમારે માથું ઢાંકીને આવવું હોય તો યુનિફોર્મની ચુન્નીનો ઉપયોગ કરી શકાય છે. વાલીઓ સાથેની વાતચીતમાં પણ આ જ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.


વાલીઓએ શું કહ્યું?

 

આ બાબતે પેરેન્ટ્સનું કહેવું છે કે બાળકો હિજાબ પહેરતા નથી પરંતુ મોઢું ઢાંકે છે. હકીકતમાં, શાળામાં ઘણી છોકરીઓ યુનિફોર્મ ઉપરાંત તેમના માથા અને ચહેરાને ઢાંકવા માટે હિજાબ જેવા કપડાનો ઉપયોગ કરતી હતી, જેના માટે તેમને અટકાવવામાં આવી હતી. માતા-પિતા કહે છે કે મોં ઢાંકવું એ માસ્ક પહેરવા જેવું છે. છોકરીઓ જે પહેરે છે તે હિજાબ નથી. માતાપિતાએ એક શિક્ષક પર છોકરીઓને ચંબલની ડાકુ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગણપતિ સ્ક્વેર ખાતે આવેલી આ સરકારી શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 90 ટકા લઘુમતી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.