Rajasthan: વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને સ્કૂલ પહોંચી તો શિક્ષકે ઘરે મોકલી, વાલીઓએ પ્રિન્સિપાલનો ઘેરાવ કર્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 13:01:21

રાજસ્થાનના જોધપુર જિલ્લાના પિપર કસબામાં આવેલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, શિક્ષકોએ હિજાબ જેવા સ્કાર્ફ પહેરીને શાળામાં આવતી દસથી વધુ મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને બોલાવ્યા અને તેમને પેરેન્ટ્સને સાથે લાવવાનું કહીંને ઘરે મોકલી દીધી હતી. બાદમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર માલે માહિતી આપતાં પ્રિન્સિપાલ રામકિશોર સાંખલાએ જણાવ્યું હતું કે, છોકરીઓ તેમના માથા અને ચહેરાને અન્ય કપડાથી ઢાંકીને શાળામાં આવી હતી, આ માટે તેમને આવું કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મમાં જ શાળામાં આવવાની મંજૂરી છે. જો તમારે માથું ઢાંકીને આવવું હોય તો યુનિફોર્મની ચુન્નીનો ઉપયોગ કરી શકાય છે. વાલીઓ સાથેની વાતચીતમાં પણ આ જ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.


વાલીઓએ શું કહ્યું?

 

આ બાબતે પેરેન્ટ્સનું કહેવું છે કે બાળકો હિજાબ પહેરતા નથી પરંતુ મોઢું ઢાંકે છે. હકીકતમાં, શાળામાં ઘણી છોકરીઓ યુનિફોર્મ ઉપરાંત તેમના માથા અને ચહેરાને ઢાંકવા માટે હિજાબ જેવા કપડાનો ઉપયોગ કરતી હતી, જેના માટે તેમને અટકાવવામાં આવી હતી. માતા-પિતા કહે છે કે મોં ઢાંકવું એ માસ્ક પહેરવા જેવું છે. છોકરીઓ જે પહેરે છે તે હિજાબ નથી. માતાપિતાએ એક શિક્ષક પર છોકરીઓને ચંબલની ડાકુ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગણપતિ સ્ક્વેર ખાતે આવેલી આ સરકારી શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 90 ટકા લઘુમતી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.