Rajasthan: વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને સ્કૂલ પહોંચી તો શિક્ષકે ઘરે મોકલી, વાલીઓએ પ્રિન્સિપાલનો ઘેરાવ કર્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 13:01:21

રાજસ્થાનના જોધપુર જિલ્લાના પિપર કસબામાં આવેલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, શિક્ષકોએ હિજાબ જેવા સ્કાર્ફ પહેરીને શાળામાં આવતી દસથી વધુ મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને બોલાવ્યા અને તેમને પેરેન્ટ્સને સાથે લાવવાનું કહીંને ઘરે મોકલી દીધી હતી. બાદમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર માલે માહિતી આપતાં પ્રિન્સિપાલ રામકિશોર સાંખલાએ જણાવ્યું હતું કે, છોકરીઓ તેમના માથા અને ચહેરાને અન્ય કપડાથી ઢાંકીને શાળામાં આવી હતી, આ માટે તેમને આવું કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મમાં જ શાળામાં આવવાની મંજૂરી છે. જો તમારે માથું ઢાંકીને આવવું હોય તો યુનિફોર્મની ચુન્નીનો ઉપયોગ કરી શકાય છે. વાલીઓ સાથેની વાતચીતમાં પણ આ જ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.


વાલીઓએ શું કહ્યું?

 

આ બાબતે પેરેન્ટ્સનું કહેવું છે કે બાળકો હિજાબ પહેરતા નથી પરંતુ મોઢું ઢાંકે છે. હકીકતમાં, શાળામાં ઘણી છોકરીઓ યુનિફોર્મ ઉપરાંત તેમના માથા અને ચહેરાને ઢાંકવા માટે હિજાબ જેવા કપડાનો ઉપયોગ કરતી હતી, જેના માટે તેમને અટકાવવામાં આવી હતી. માતા-પિતા કહે છે કે મોં ઢાંકવું એ માસ્ક પહેરવા જેવું છે. છોકરીઓ જે પહેરે છે તે હિજાબ નથી. માતાપિતાએ એક શિક્ષક પર છોકરીઓને ચંબલની ડાકુ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગણપતિ સ્ક્વેર ખાતે આવેલી આ સરકારી શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 90 ટકા લઘુમતી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.