Rajasthan: વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને સ્કૂલ પહોંચી તો શિક્ષકે ઘરે મોકલી, વાલીઓએ પ્રિન્સિપાલનો ઘેરાવ કર્યો


  • Published By :
  • Published Date : 2024-02-18 13:01:21

રાજસ્થાનના જોધપુર જિલ્લાના પિપર કસબામાં આવેલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, શિક્ષકોએ હિજાબ જેવા સ્કાર્ફ પહેરીને શાળામાં આવતી દસથી વધુ મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. આના પર પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના માતા-પિતાને બોલાવ્યા અને તેમને પેરેન્ટ્સને સાથે લાવવાનું કહીંને ઘરે મોકલી દીધી હતી. બાદમાં શાળાએ પહોંચેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર માલે માહિતી આપતાં પ્રિન્સિપાલ રામકિશોર સાંખલાએ જણાવ્યું હતું કે, છોકરીઓ તેમના માથા અને ચહેરાને અન્ય કપડાથી ઢાંકીને શાળામાં આવી હતી, આ માટે તેમને આવું કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મમાં જ શાળામાં આવવાની મંજૂરી છે. જો તમારે માથું ઢાંકીને આવવું હોય તો યુનિફોર્મની ચુન્નીનો ઉપયોગ કરી શકાય છે. વાલીઓ સાથેની વાતચીતમાં પણ આ જ નિર્ણય લેવાયો હતો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.


વાલીઓએ શું કહ્યું?

 

આ બાબતે પેરેન્ટ્સનું કહેવું છે કે બાળકો હિજાબ પહેરતા નથી પરંતુ મોઢું ઢાંકે છે. હકીકતમાં, શાળામાં ઘણી છોકરીઓ યુનિફોર્મ ઉપરાંત તેમના માથા અને ચહેરાને ઢાંકવા માટે હિજાબ જેવા કપડાનો ઉપયોગ કરતી હતી, જેના માટે તેમને અટકાવવામાં આવી હતી. માતા-પિતા કહે છે કે મોં ઢાંકવું એ માસ્ક પહેરવા જેવું છે. છોકરીઓ જે પહેરે છે તે હિજાબ નથી. માતાપિતાએ એક શિક્ષક પર છોકરીઓને ચંબલની ડાકુ કહેવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગણપતિ સ્ક્વેર ખાતે આવેલી આ સરકારી શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 90 ટકા લઘુમતી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .