Rajasthan: વસુંધરા રાજેએ 1 વર્ષ માટે માંગ્યુ CM પદ, BJPએ કર્યો ઈન્કાર, જાણો શા માટે માગ ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:10

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓને પણ મુશ્કેલીઓ ઘટતી હોય તેવી શક્યતા દેખાતી નથી. ભાજપના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ પણ વસુંધરા રાજે તેમની માગ છોડવા તૈયાર નથી. જેના કારણે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધી રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વસુંધરા રાજેને રવિવારે ફોન કર્યો હતો. તે વખતે તેમણે સલાહ આપી હતી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ-અલગ મિટિંગો ના કરે. મુખ્યમંત્રી પદ માટેનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ પર છોડી દે. 


વસુંધરા  CM પદની માગને લઈ અડગ


રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે બે વખત રહેલા વસુંધરા રાજે  આ વખતે પણ કોઈ હિસાબે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી. વસુંધરા રાજે પાર્ટી પાસે માત્ર એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે ભાજપ આ વખતે તેમની કોઈ માગ સ્વિકારવા તૈયાર નથી. સીએમ પદ માટે અડધો ડઝન નેતાઓ દાવો કરી રહ્યા છે. જેમાં દીયા કુમારી, કિરોડીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, ઓમ માથુર, અશ્વીની વૈષ્ણવ અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. 


વિધાનસભા સ્પિકર બનવાનો કર્યો ઈન્કાર


ભાજપનું ટોચના નેતૃત્વએ વસુંધરા રાજેને વિધાનસભા સ્પિકર પદની ઓફર કરી છે, જો કે વસુંધરા રાજેએ તે ઓફર ફગાવી દીધી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તેઓ સ્પિકર બનવા માંગતી નથી, તેમણે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કાંઈ ખપતું નથી.


શા માટે ભાજપ ઓફર ફગાવી રહી છે?


રાજસ્થાનમાં ભાજપનું કોકડું ગુંચવાઈ રહ્યું છે, વસુંધરા રાજે પાર્ટી પાસે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે પાર્ટી તેમની આ માગ કોઈ પણ હિસાબે સ્વિકારવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શા માટે ભાજપ વસુંધરાને મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ રાજસ્થાનની તમામ સીટો જીતવા માગે છે. હવે જો પાર્ટી વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવે તો પાર્ટીને નુકસાન થાય તેમ છે કારણ કે વસુંધરા રાજે રાજ્યમાં લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે, અને તેમના પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતીમાં પાર્ટી તેમને સીએમ બનાવે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત નુકસાનની શક્યતા છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે