Rajasthan: વસુંધરા રાજેએ 1 વર્ષ માટે માંગ્યુ CM પદ, BJPએ કર્યો ઈન્કાર, જાણો શા માટે માગ ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:10

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓને પણ મુશ્કેલીઓ ઘટતી હોય તેવી શક્યતા દેખાતી નથી. ભાજપના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ પણ વસુંધરા રાજે તેમની માગ છોડવા તૈયાર નથી. જેના કારણે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધી રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વસુંધરા રાજેને રવિવારે ફોન કર્યો હતો. તે વખતે તેમણે સલાહ આપી હતી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ-અલગ મિટિંગો ના કરે. મુખ્યમંત્રી પદ માટેનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ પર છોડી દે. 


વસુંધરા  CM પદની માગને લઈ અડગ


રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે બે વખત રહેલા વસુંધરા રાજે  આ વખતે પણ કોઈ હિસાબે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી. વસુંધરા રાજે પાર્ટી પાસે માત્ર એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે ભાજપ આ વખતે તેમની કોઈ માગ સ્વિકારવા તૈયાર નથી. સીએમ પદ માટે અડધો ડઝન નેતાઓ દાવો કરી રહ્યા છે. જેમાં દીયા કુમારી, કિરોડીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, ઓમ માથુર, અશ્વીની વૈષ્ણવ અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. 


વિધાનસભા સ્પિકર બનવાનો કર્યો ઈન્કાર


ભાજપનું ટોચના નેતૃત્વએ વસુંધરા રાજેને વિધાનસભા સ્પિકર પદની ઓફર કરી છે, જો કે વસુંધરા રાજેએ તે ઓફર ફગાવી દીધી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તેઓ સ્પિકર બનવા માંગતી નથી, તેમણે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કાંઈ ખપતું નથી.


શા માટે ભાજપ ઓફર ફગાવી રહી છે?


રાજસ્થાનમાં ભાજપનું કોકડું ગુંચવાઈ રહ્યું છે, વસુંધરા રાજે પાર્ટી પાસે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે પાર્ટી તેમની આ માગ કોઈ પણ હિસાબે સ્વિકારવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શા માટે ભાજપ વસુંધરાને મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ રાજસ્થાનની તમામ સીટો જીતવા માગે છે. હવે જો પાર્ટી વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવે તો પાર્ટીને નુકસાન થાય તેમ છે કારણ કે વસુંધરા રાજે રાજ્યમાં લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે, અને તેમના પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતીમાં પાર્ટી તેમને સીએમ બનાવે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત નુકસાનની શક્યતા છે.   



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..