Rajasthan: વસુંધરા રાજેએ 1 વર્ષ માટે માંગ્યુ CM પદ, BJPએ કર્યો ઈન્કાર, જાણો શા માટે માગ ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:10

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓને પણ મુશ્કેલીઓ ઘટતી હોય તેવી શક્યતા દેખાતી નથી. ભાજપના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ પણ વસુંધરા રાજે તેમની માગ છોડવા તૈયાર નથી. જેના કારણે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધી રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વસુંધરા રાજેને રવિવારે ફોન કર્યો હતો. તે વખતે તેમણે સલાહ આપી હતી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ-અલગ મિટિંગો ના કરે. મુખ્યમંત્રી પદ માટેનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ પર છોડી દે. 


વસુંધરા  CM પદની માગને લઈ અડગ


રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે બે વખત રહેલા વસુંધરા રાજે  આ વખતે પણ કોઈ હિસાબે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી. વસુંધરા રાજે પાર્ટી પાસે માત્ર એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે ભાજપ આ વખતે તેમની કોઈ માગ સ્વિકારવા તૈયાર નથી. સીએમ પદ માટે અડધો ડઝન નેતાઓ દાવો કરી રહ્યા છે. જેમાં દીયા કુમારી, કિરોડીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, ઓમ માથુર, અશ્વીની વૈષ્ણવ અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. 


વિધાનસભા સ્પિકર બનવાનો કર્યો ઈન્કાર


ભાજપનું ટોચના નેતૃત્વએ વસુંધરા રાજેને વિધાનસભા સ્પિકર પદની ઓફર કરી છે, જો કે વસુંધરા રાજેએ તે ઓફર ફગાવી દીધી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તેઓ સ્પિકર બનવા માંગતી નથી, તેમણે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કાંઈ ખપતું નથી.


શા માટે ભાજપ ઓફર ફગાવી રહી છે?


રાજસ્થાનમાં ભાજપનું કોકડું ગુંચવાઈ રહ્યું છે, વસુંધરા રાજે પાર્ટી પાસે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે પાર્ટી તેમની આ માગ કોઈ પણ હિસાબે સ્વિકારવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શા માટે ભાજપ વસુંધરાને મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ રાજસ્થાનની તમામ સીટો જીતવા માગે છે. હવે જો પાર્ટી વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવે તો પાર્ટીને નુકસાન થાય તેમ છે કારણ કે વસુંધરા રાજે રાજ્યમાં લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે, અને તેમના પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતીમાં પાર્ટી તેમને સીએમ બનાવે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત નુકસાનની શક્યતા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.