Rajasthan : CM અંગે ચાલતી અટકળો પર Yogi Balaknathએ મૂક્યો પૂર્ણ વિરામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-12-09 14:25:23

પાંચ રાજ્યોમાં થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં જીત થઈ. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગેની વિચારણા પાર્ટીની અંદર ચાલી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના દાવેદારો દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ચહેરા તરીકે યોગી બાલકનાથને પણ જોવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે તેમણે એક ટ્વિટ કરી છે.

ત્રણ રાજ્યો માટે ભાજપે કરી નિરીક્ષકોની નિમણૂંક! 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં બીજેપીએ મુખ્યમંત્રીના ચહેરા વગર, પીએમ મોદીના નામે ચૂંટણી લડી. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. ત્યારે સત્તા કોના હાથમાં સોંપવી તે અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના દાવેદારો મનાતા નેતાઓ પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. પાર્ટીએ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરી. આ નિમણૂક થતા એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામોની જાહેરાત કરવામાં આવશે. 


મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે યોગી બાલકનાથે કર્યું આ ટ્વિટ!

રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના અનેક દાવેદારો છે તેમાં યોગી બાલકનાથનું નામ પણ છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જનાર્દને પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણવી. માટે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવા છે. મહત્વનું છે કે આ ટ્વિટને લઈ અલગ અલગ મતલબો કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યોમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.