Rajasthan : CM અંગે ચાલતી અટકળો પર Yogi Balaknathએ મૂક્યો પૂર્ણ વિરામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-09 14:25:23

પાંચ રાજ્યોમાં થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં જીત થઈ. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગેની વિચારણા પાર્ટીની અંદર ચાલી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના દાવેદારો દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ચહેરા તરીકે યોગી બાલકનાથને પણ જોવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે તેમણે એક ટ્વિટ કરી છે.

ત્રણ રાજ્યો માટે ભાજપે કરી નિરીક્ષકોની નિમણૂંક! 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં બીજેપીએ મુખ્યમંત્રીના ચહેરા વગર, પીએમ મોદીના નામે ચૂંટણી લડી. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. ત્યારે સત્તા કોના હાથમાં સોંપવી તે અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના દાવેદારો મનાતા નેતાઓ પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. પાર્ટીએ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરી. આ નિમણૂક થતા એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામોની જાહેરાત કરવામાં આવશે. 


મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે યોગી બાલકનાથે કર્યું આ ટ્વિટ!

રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના અનેક દાવેદારો છે તેમાં યોગી બાલકનાથનું નામ પણ છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જનાર્દને પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણવી. માટે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવા છે. મહત્વનું છે કે આ ટ્વિટને લઈ અલગ અલગ મતલબો કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યોમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.     



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..