Rajasthan : CM અંગે ચાલતી અટકળો પર Yogi Balaknathએ મૂક્યો પૂર્ણ વિરામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-12-09 14:25:23

પાંચ રાજ્યોમાં થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં જીત થઈ. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગેની વિચારણા પાર્ટીની અંદર ચાલી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના દાવેદારો દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ચહેરા તરીકે યોગી બાલકનાથને પણ જોવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે તેમણે એક ટ્વિટ કરી છે.

ત્રણ રાજ્યો માટે ભાજપે કરી નિરીક્ષકોની નિમણૂંક! 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં બીજેપીએ મુખ્યમંત્રીના ચહેરા વગર, પીએમ મોદીના નામે ચૂંટણી લડી. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. ત્યારે સત્તા કોના હાથમાં સોંપવી તે અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના દાવેદારો મનાતા નેતાઓ પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. પાર્ટીએ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરી. આ નિમણૂક થતા એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામોની જાહેરાત કરવામાં આવશે. 


મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે યોગી બાલકનાથે કર્યું આ ટ્વિટ!

રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના અનેક દાવેદારો છે તેમાં યોગી બાલકનાથનું નામ પણ છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જનાર્દને પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણવી. માટે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવા છે. મહત્વનું છે કે આ ટ્વિટને લઈ અલગ અલગ મતલબો કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યોમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે