Rajasthan : CM અંગે ચાલતી અટકળો પર Yogi Balaknathએ મૂક્યો પૂર્ણ વિરામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-12-09 14:25:23

પાંચ રાજ્યોમાં થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં જીત થઈ. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગેની વિચારણા પાર્ટીની અંદર ચાલી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના દાવેદારો દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ચહેરા તરીકે યોગી બાલકનાથને પણ જોવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે તેમણે એક ટ્વિટ કરી છે.

ત્રણ રાજ્યો માટે ભાજપે કરી નિરીક્ષકોની નિમણૂંક! 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં બીજેપીએ મુખ્યમંત્રીના ચહેરા વગર, પીએમ મોદીના નામે ચૂંટણી લડી. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. ત્યારે સત્તા કોના હાથમાં સોંપવી તે અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના દાવેદારો મનાતા નેતાઓ પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. પાર્ટીએ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરી. આ નિમણૂક થતા એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામોની જાહેરાત કરવામાં આવશે. 


મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે યોગી બાલકનાથે કર્યું આ ટ્વિટ!

રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના અનેક દાવેદારો છે તેમાં યોગી બાલકનાથનું નામ પણ છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જનાર્દને પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણવી. માટે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવા છે. મહત્વનું છે કે આ ટ્વિટને લઈ અલગ અલગ મતલબો કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યોમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.