રાજભા ગઢવીએ નિવેદનને લઈ માફી માગી પરંતુ ભાજપ-કોંગ્રેસ-આપના નેતાઓ અને આદિવાસીઓમાં રોષ યથાવત!


  • Published By :
  • Published Date : 2024-10-26 16:13:03

શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,

 એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.

અર્થાત 

વાણીથી બોલ બોલ કરો છો પણ વિચારજો, કે જે આપણે વચનો બોલીયે છીયે તેને હાથ કે પગ નથી. છતાં એ વાણીમાં એવી શક્તિ રહેલી છે, કે અમુક રીતે વચનો બોલવાથી વૈદ ઓષડ આપે તેમ સામાને શાંતિ આપે છે. જ્યારે અમુક વચનો કોઈને ઘા માર્યો હોય તેટલું દુઃખ આપે છે. અને શબ્દો જ્યારે ઘા આપે ત્યારે ભારે ખરાબ પરિસ્થિતિ બોલનાર માટે સર્જાતી હોય છે આવુ જ કંઈક થયું છે લોક કલાકાર રાજભા ગઢવી સાથે... એ ડાંગના આદિવાસીઓ વિશે ટિપ્પણી કરીને હવે ફસાયા છે માફી માંગી છતાંય વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...

એક કાર્યક્રમમાં રાજભા ગઢવીએ આપ્યું હતું નિવેદન જેનો થઈ રહ્યો છે વિરોધ!

જાણીતા લોકસાહિત્યકાર અને લોકકલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થયો હતો.... વીડિયો લોકડાયરા કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે ગુજરાતના ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે... ભાજપના સાંસદ ધવલ પટેલ, અનંત પટેલ ,ચૈતર વસાવા સહિતના તમામ પક્ષના નેતાઓ અને આદિવાસી આગેવાનોએ ભારે વિરોધ કર્યો... જેના કારણે રાજભાએ માફી માંગી પણ વિરોધ છતાંય યથાવત છે... જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે.... 



સાંસદ ધવલ પટેલે આપી પ્રતિક્રિયા

વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો હતો.. રાજભાએ માફી માંગ્યા પછી પણ માધ્યમોમાં પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મે એમનો માફી માંગતો વીડિયો જોયો પણ મારા મતે તો માન્ય નથી જ.... આખા ગુજરાતમાં ક્રાઈમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ છે.... સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, અમારા માટે તો આ યોગ્ય નથી જ કેમ કે એમનું આ સ્ટેટમેન્ટ આવેશમાં આવીને કહેલું હોય એવું નથી પણ આ તો એકદમ આયોજનપૂર્વક તેમણે કહ્યું હતું. કોઈ વિસ્તારને સારો બતાવવા માટે અમારા વિસ્તારને ખરાબ બતાવવાની જરૂર નહોતી કેમ કે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે. અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે. આદિવાસી લોકો સેવાભાવી અને આવકારવાવાળા લોકો છે એટલા માટે જ અમે તેમની પાસેથી માફી મંગાવી છે.અમારી નારાજગી હજી પણ યથાવત છે. તેમણે જણાવ્યું કે, આ સ્ટેટમેન્ટને લઈને આવનારા દિવસોમાં હું અમારા આદિવાસી સમાજના લોકોને મળવાનો છું. તેમણે જે માફી માંગી છે એ અંગે અમારા સમાજના લોકો શું માને છે એ અંગે ચર્ચા કરીશું એ પછી આગળની આખી રણનીતિ નક્કી કરીશું.


કુંવરજી હળપતિએ ઉચ્ચારી ચીમકી કે.... 

તો માંડવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિએ  ચીમકી આપતા કહ્યું કે, જો રાજભા ગઢવી ભવિષ્યમાં આદિવાસી સમાજ વિશે કશું બોલશે તો સાંખી નહીં લેવાય.... જો આવનારા સમયમાં આવા કોઈ પણ નિવેદન આપવામાં આવશે તો ઉમરગામથી લઈને અંબાજીનો જે પટ્ટો છે ત્યાં તેમનો પ્રોગ્રામ નહીં થવા દઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.