વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે મોરબી સિવિલ હોસ્પિટલને કરાયેલ રંગરોગાન પર રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-11-04 15:01:39

રવિવારે મોરબીમાં બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું. અનેક લોકોએ પોતાનો પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ ઘટના બની તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા. આ ઘટનાને લઈ તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું, ઉપરાંત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. આ વાતની ટીકા અનેક લોકોએ કરી હતી. ત્યારે રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં આ ઘટના અંગે વાત કરી હતી.

 

રાજભા ગઢવીએ મોરબી સિવિલ હોસ્પિટલને લઈ આપ્યું નિવેદન

રવિવારે મોરબીમાં એક દુર્ઘટના બની હતી જેણે સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું. રવિવારે બનેલી આ ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. મચ્છુ નદી પર આવેલા બ્રિજ તૂટી પડતા 400થી 500 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ ઘટનાને લઈ તેમણે વેદના પણ વ્યક્ત કરી હતી. 

ઉપરાંત મોરબીની પણ તેમણે મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી, પોતાના ડાયરા દરમિયાન લોક સાહિત્ય રાજભા ગઢવીએ પણ આ અંગેની વાત કરી હતી.

 

કોંગ્રેસે પણ આ વીડિયોને લઈ કર્યા કટાક્ષ  

રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે મોરબીમાં મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક જે હોસ્પિટલમાં રંગરોગાન થઈનેએ માનવતા માટે, જનજીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન છે. કોંગ્રેસે પણ આ વીડિયોને ટ્વિટ કરી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે સાહેબ લોકો સમજી ગયા છે તમે સંવેદનાના નામે માત્રને માત્ર ઢોંગ જ કરો છો. તમને જો સાચી વેદના હોત તો લોકોના મૃત્યુના શોકમાં હોસ્પિટલને સજાવતા નહીં.           



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?