વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે મોરબી સિવિલ હોસ્પિટલને કરાયેલ રંગરોગાન પર રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-11-04 15:01:39

રવિવારે મોરબીમાં બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું. અનેક લોકોએ પોતાનો પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ ઘટના બની તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા. આ ઘટનાને લઈ તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું, ઉપરાંત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. આ વાતની ટીકા અનેક લોકોએ કરી હતી. ત્યારે રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં આ ઘટના અંગે વાત કરી હતી.

 

રાજભા ગઢવીએ મોરબી સિવિલ હોસ્પિટલને લઈ આપ્યું નિવેદન

રવિવારે મોરબીમાં એક દુર્ઘટના બની હતી જેણે સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું. રવિવારે બનેલી આ ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. મચ્છુ નદી પર આવેલા બ્રિજ તૂટી પડતા 400થી 500 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ ઘટનાને લઈ તેમણે વેદના પણ વ્યક્ત કરી હતી. 

ઉપરાંત મોરબીની પણ તેમણે મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી, પોતાના ડાયરા દરમિયાન લોક સાહિત્ય રાજભા ગઢવીએ પણ આ અંગેની વાત કરી હતી.

 

કોંગ્રેસે પણ આ વીડિયોને લઈ કર્યા કટાક્ષ  

રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે મોરબીમાં મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક જે હોસ્પિટલમાં રંગરોગાન થઈનેએ માનવતા માટે, જનજીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન છે. કોંગ્રેસે પણ આ વીડિયોને ટ્વિટ કરી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે સાહેબ લોકો સમજી ગયા છે તમે સંવેદનાના નામે માત્રને માત્ર ઢોંગ જ કરો છો. તમને જો સાચી વેદના હોત તો લોકોના મૃત્યુના શોકમાં હોસ્પિટલને સજાવતા નહીં.           



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.