Rajkot : ફરી એક વખત પકડાયો વિદેશી દારૂનો જથ્થો! દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા લીરેલીરા!


  • Published By :
  • Published Date : 2023-12-13 12:43:21

રાજ્યમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? મનમાં જ આપણે  જવાબ આપી દઈએ છીએ કે હા છે, પરંતુ માત્ર કાગળ પર! વાસ્તવિક્તામાં દારૂબંધીના કાયદાનું કેટલું પાલન થાય છે તે જાણીએ છીએ. દારૂનો જથ્થો એવા રાજ્યમાંથી પકડાઈ રહ્યો છે જ્યાં દારૂબંધી જેવો કાયદો અમલમાં છે. દર થોડા દિવસે રાજ્યમાંથી દારૂનો જથ્થો પકડાય છે અને કાયદાના લીરેલીરા ઉડ્યા છે.


દારૂની હેરફેર માટે અપનાવાઈ રહ્યો છે આ રસ્તો!

ત્યારે આજે પણ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે તેવી માહિતી સામે આવી છે. દારૂનો જથ્થો રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પાસેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંદાજીત 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાંથી દારૂનો જથ્થો મળી રહ્યો છે. અલગ અલગ રીતે દારૂની હેરાફેરી કરવા માટે રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદથી દારૂનો જથ્થો પકડાયો હતો તો મહીસાગરથી પણ દારૂની હેરફેર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દારૂની હેરફેર કરવા બુટલેગરો નવા નવા પેતરા અજમાવી રહ્યા છે. 



ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે કરાઈ રહ્યો છે પ્રયાસ!

ટેન્કરમાં ભરીને દારૂ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, તો સુરતથી કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્લાસ્ટીકની થેલીમાં દારૂ ઝડપાયો છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. ગુજરાતમાં અવાર-નવાર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી રહ્યો છે જેને જોતા લાગે કે બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી. ત્યારે ફરી એક વખત અમદાવાદ-રાજકોટ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પરથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંડાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.