Rajkot : ફરી એક વખત પકડાયો વિદેશી દારૂનો જથ્થો! દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા લીરેલીરા!


  • Published By :
  • Published Date : 2023-12-13 12:43:21

રાજ્યમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? મનમાં જ આપણે  જવાબ આપી દઈએ છીએ કે હા છે, પરંતુ માત્ર કાગળ પર! વાસ્તવિક્તામાં દારૂબંધીના કાયદાનું કેટલું પાલન થાય છે તે જાણીએ છીએ. દારૂનો જથ્થો એવા રાજ્યમાંથી પકડાઈ રહ્યો છે જ્યાં દારૂબંધી જેવો કાયદો અમલમાં છે. દર થોડા દિવસે રાજ્યમાંથી દારૂનો જથ્થો પકડાય છે અને કાયદાના લીરેલીરા ઉડ્યા છે.


દારૂની હેરફેર માટે અપનાવાઈ રહ્યો છે આ રસ્તો!

ત્યારે આજે પણ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે તેવી માહિતી સામે આવી છે. દારૂનો જથ્થો રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પાસેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંદાજીત 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાંથી દારૂનો જથ્થો મળી રહ્યો છે. અલગ અલગ રીતે દારૂની હેરાફેરી કરવા માટે રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદથી દારૂનો જથ્થો પકડાયો હતો તો મહીસાગરથી પણ દારૂની હેરફેર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દારૂની હેરફેર કરવા બુટલેગરો નવા નવા પેતરા અજમાવી રહ્યા છે. 



ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે કરાઈ રહ્યો છે પ્રયાસ!

ટેન્કરમાં ભરીને દારૂ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, તો સુરતથી કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્લાસ્ટીકની થેલીમાં દારૂ ઝડપાયો છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. ગુજરાતમાં અવાર-નવાર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી રહ્યો છે જેને જોતા લાગે કે બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી. ત્યારે ફરી એક વખત અમદાવાદ-રાજકોટ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પરથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંડાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.