રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આજથી શુભારંભ, સૌપ્રથમ ફ્લાઇટ લેન્ડ થઈ, એરપોર્ટની શું છે વિશેષતા? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-10 14:46:48

ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મનાતા રાજકોટ એરપોર્ટનો આજથી શુભારંભ થયો છે. લોકસભાનાં સાંસદ મોહન કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ દીપ પ્રાગટય કરી એરપોર્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 8 વાગ્યે ઇન્દોરની પ્રથમ ફ્લાઈટ આવી પહોંચતા તેનું વોટર કેનનથી સ્વાગત પણ કરાયું હતું. સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં આ ફ્લાઈટનાં મુસાફરોને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હિરાસર ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેનાના વિમાનનું પહેલી વાર આગમન થયું છે. વિમાન આવી પહોંચતા વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીનું વિમાન પ્રથમ વખત એરપોર્ટ પર આવ્યું છે.


રાજકોટ એરપોર્ટની શું છે વિશેષતા?

 

રાજકોટથી 31 કિમી દૂર આવેલા આ એરપોર્ટથી દરરોજ 11 ફ્લાઈટો ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ ઉપર એક સમયે 14 વિમાન પાર્ક થઇ શકે તેટલી ક્ષમતા છે. સાથે જ 180 યાત્રીઓ વાળી એરબસ 321 અને બોઈંગ 737નું સંચાલન થશે. હાલ નવા એરપોર્ટ પરથી મુંબઈની 4, દિલ્હીની 1 તેમજ ઉદયપુર, ઇન્દોર, બેંગ્લોર, ગોવા અને હૈદરબાદની ફ્લાઈટ ઉડાન ભરશે. આગામી સમયમાં મોટા બોઈંગ સાથેની હાલના રૂટ પરની ફ્રિકવન્સી વધશે તો નવા રૂટ પરની ફ્લાઈટ પણ ઉડાન ભરશે. નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે.રાજકોટ એરપોર્ટ પર થી દરરોજ 10 ફ્લાઇટ ઉડાન ભરે છે. દિલ્હી, મુંબઈ, ગોવા, ઉદયપુર, ઇન્દોર સહિતની ફ્લાઈટો ઉડાન ભરે છે, જે રાબેતા મુજબ ઉડાન ભરશે. રાજકોટનું એસટી બસ સ્ટેશન શહેરના મધ્યમાં આવેલું હોવાથી અહીંયાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બસ સેવા લોકોને મળી રહેશે.


સૌરાષ્ટ્રના લોકોને થશે મોટો લાભ


રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરતા હવે સૌરાષ્ટ્રના લોકોને આ માટે અમદાવાદ નહીં જવું પડે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અન્ય રાજ્યો અને વિદેશ પ્રવાસ કરતા  ઉદ્યોગપતિ તેમજ મુસાફરોને રાજકોટથી ફ્લાઇટની સુવિધા મળશે. દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામોના વિકાસમાં પણ નવું એરપોર્ટ ખૂબ જ ઉપયોગી બનશે. રાજકોટથી હિરાસર વચ્ચે રિયલ એસ્ટેટ, હોટેલ ઈન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.