Rajkot : ફરી એક નબીરાએ સર્જ્યો અકસ્માત, મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને નબીરાએ ઉડાડ્યા, નબીરાઓને નથી કાયદાનો ડર!


  • Published By :
  • Published Date : 2024-03-01 13:37:35

અકસ્માત અને નબીરા આ શબ્દ જાણે એકબીજાનો પર્યાય બની ગયો હોય તેવું લાગે છે. અકસ્માતની અનેક ઘટનાઓમાં નબીરાઓ દ્વારા બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનો જવાબદાર હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના જીવ જતા રહ્યા હતા. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાં બન્યો છે. બેફામ બનેલા નબીરાએ સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી. વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ ભયંકર છે. 

Rajkot:  Another accident occurred in Rajkot Rajkot: રાજકોટમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, વૃદ્ધ, યુવાન અને બે વિદ્યાર્થીઓને લીધી અડફેટે


ફરી એક નબીરાએ લોકોને લીધા અડફેટમાં!

રસ્તાને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે. રસ્તા પર એવી રીતે બેફામ બની વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને વ્યક્તિનું મોત થતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોને નબીરાએ કચડી નાખ્યા હતા તે બાદ ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે રાજકોટમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાએ એક નહીં પરંતુ અનેક લોકોને પોતાની અડફેટે લીધા છે. એવી માહિતી સામે આવી છે કે આધેડનું મોત થઈ ગયું છે.  



ઘટનાની જાણ થતાં પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ! 

મળતી માહિતી અનુસાર વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.  સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  


નબીરાઓને નથી કાયદાનો ડર? 

પંરતુ પ્રશ્ન એ થાય કે આવા નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી?  નબીરાઓને કાયદાનો ડર જ નથી? શું નબીરાઓને લાગે છે કે પૈસાથી તે સિસ્ટમ ખરીદી શકે છે? જો નબીરાઓ એવું માનતા હોય કે અકસ્માત કરશે, પોલીસ કાર્યવાહી કરશે અને તે પૈસાના દમથી છૂટી જશે તો તેમની ભ્રમણા પોલીસે દૂર કરવી પડશે. કાર્યવાહી કરી એવા દાખલા બેસાડવા પડશે કે જેનાથી બીજા લોકોમાં પણ કાયદાને લઈ ડર બેસે.. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે