રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હળવો હાર્ટ એટેક, તબિયત સુધારા પર


  • Published By :
  • Published Date : 2023-11-30 17:15:28

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં તીવ્ર વધારો થી રહ્યો છે. લગભગ દરરોજ હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી હાર્ટ એટેકથી મોત વધુ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં હ્રદય રોગના હુમલાથી મોતએ ચિંતા વધારી છે. વૃધ્ધો અને આધેડ ઉંમર ના લોકો તો ઠીક પણ યુવાનો અને કિશોરો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવતા સનસનાટી મચી ગઈ હતી. 


રમેશ ટીલાળાની તબિયત લથળી


રાજકોટ દક્ષિણથી સીટથી ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઈ કાલે રાત્રે ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે તેમની તબિયત અચાનક જ લથળી ગઈ હતી. બાદમાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ ચેકઅપ કરતા તેમને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબી નિદાનમાં સામે આવતા તેમને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ ધારાસભ્ય ટીલાળાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમને જરૂરી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.  


ધોરણ 7 પાસ ટીલાળા પાસે 170 કરોડથી વધુની સંપતિ 


રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય  રમેશ ટીલાળાનો સમાવેશ ભાજપના સૌથી અમીર નેતાઓમાં થાય છે. રમેશ ટીલાળાએ  પોતાના સોગંદનામામાં સ્થાવર અને જંગમ મિલકત મળીને 170 કરોડથી વધુની સંપતિ દર્શાવી હતી. રમેશ ટીલાળાએ પોતાનો અભ્યાસ 7 પાસ દર્શાવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.