રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હળવો હાર્ટ એટેક, તબિયત સુધારા પર


  • Published By :
  • Published Date : 2023-11-30 17:15:28

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં તીવ્ર વધારો થી રહ્યો છે. લગભગ દરરોજ હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી હાર્ટ એટેકથી મોત વધુ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં હ્રદય રોગના હુમલાથી મોતએ ચિંતા વધારી છે. વૃધ્ધો અને આધેડ ઉંમર ના લોકો તો ઠીક પણ યુવાનો અને કિશોરો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવતા સનસનાટી મચી ગઈ હતી. 


રમેશ ટીલાળાની તબિયત લથળી


રાજકોટ દક્ષિણથી સીટથી ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઈ કાલે રાત્રે ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે તેમની તબિયત અચાનક જ લથળી ગઈ હતી. બાદમાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ ચેકઅપ કરતા તેમને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબી નિદાનમાં સામે આવતા તેમને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ ધારાસભ્ય ટીલાળાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમને જરૂરી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.  


ધોરણ 7 પાસ ટીલાળા પાસે 170 કરોડથી વધુની સંપતિ 


રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય  રમેશ ટીલાળાનો સમાવેશ ભાજપના સૌથી અમીર નેતાઓમાં થાય છે. રમેશ ટીલાળાએ  પોતાના સોગંદનામામાં સ્થાવર અને જંગમ મિલકત મળીને 170 કરોડથી વધુની સંપતિ દર્શાવી હતી. રમેશ ટીલાળાએ પોતાનો અભ્યાસ 7 પાસ દર્શાવ્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી