રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હળવો હાર્ટ એટેક, તબિયત સુધારા પર


  • Published By :
  • Published Date : 2023-11-30 17:15:28

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં તીવ્ર વધારો થી રહ્યો છે. લગભગ દરરોજ હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી હાર્ટ એટેકથી મોત વધુ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં હ્રદય રોગના હુમલાથી મોતએ ચિંતા વધારી છે. વૃધ્ધો અને આધેડ ઉંમર ના લોકો તો ઠીક પણ યુવાનો અને કિશોરો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવતા સનસનાટી મચી ગઈ હતી. 


રમેશ ટીલાળાની તબિયત લથળી


રાજકોટ દક્ષિણથી સીટથી ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઈ કાલે રાત્રે ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે તેમની તબિયત અચાનક જ લથળી ગઈ હતી. બાદમાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ ચેકઅપ કરતા તેમને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબી નિદાનમાં સામે આવતા તેમને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ ધારાસભ્ય ટીલાળાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમને જરૂરી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.  


ધોરણ 7 પાસ ટીલાળા પાસે 170 કરોડથી વધુની સંપતિ 


રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય  રમેશ ટીલાળાનો સમાવેશ ભાજપના સૌથી અમીર નેતાઓમાં થાય છે. રમેશ ટીલાળાએ  પોતાના સોગંદનામામાં સ્થાવર અને જંગમ મિલકત મળીને 170 કરોડથી વધુની સંપતિ દર્શાવી હતી. રમેશ ટીલાળાએ પોતાનો અભ્યાસ 7 પાસ દર્શાવ્યો હતો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.