Rajkot : દિલ્હી જેવી ઘટના હિરાસર એરપોર્ટ પર બની, વરસાદ અને ભારે પવનને કારણે એરપોર્ટ પર કેનોપી ધરાશાયી થઈ....


  • Published By :
  • Published Date : 2024-06-29 13:44:10

ગઈકાલે દિલ્હીથી સમાચાર સામે આવ્યા કે એરપોર્ટ પર ટર્મિનલ 1ની છત તૂટી પડી. એક વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.. આ સમાચારની ચર્ચા ખતમ ના થઈ હતી ત્યાં તો દિલ્હી જેવી ઘટના ગુજરાતના રાજકોટમાં બની.. રાજકોટ હિરાસર એરપોર્ટ પર ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હજી સુધી સામે આવ્યા નથી... આશા રાખીએ કે આવા સમાચાર સામે આવે પણ નહીં... 

નબળા બાંધકામને કારણે કોઈ વખત... 

વરસાદ જ્યારે આવે છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. થોડા વરસાદની અંદર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે.. તે પોલ તો ખુલે છે પરંતુ constructionમાં નબળી કામગીરી કરી હોય તેવી પોલ પણ ખુલે છે.. નબળું બાંધકામ કરવામાં આવ્યું છે તેવી પોલ પણ ઉજાગર થાય છે.. નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી જાય છે, દિવાલો તૂટી જાય છે.. દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. 




રાજકોટના હીરાસર એરપોર્ટ પર બની દિલ્હી જેવી ઘટના 

ગઈકાલે દિલ્હીથી એરપોર્ટની છત તૂટવાના સમાચાર આવ્યા અને આજે તેવી જ ઘટના રાજકોટમાં બની..   ભારે પવન તેમજ વરસાદને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ છે.. એરપોર્ટ બને એક વર્ષ પણ નથી થયું અને આ દુર્ઘટના સર્જાઈ છે. મહત્વનું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બહુ લોકો હાજર ના હતા.. મોટી દુર્ઘટના ટળી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.