Rajkot : વિદ્યાર્થીઓમાં વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શાળાઓને DEOએ આપી આ સલાહ, જાણો શું અપાઈ સલાહ?


  • Published By :
  • Published Date : 2023-10-17 14:31:01

શાળામાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે ભણવા ઉપરાંત અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમણે શાળામાં ભણવાની સાથે યોગ કરાવતા, કસરત કરાવતા, લંગડી રમાડતા, ખો-ખો રમાડતા, દોડાવતા અને આવું બધું કરાવતા. ત્યારે ખબર ન હતી કે આ સ્વાસ્થ્ય માટે સારું છે એટલા માટે કરાવે છે. પણ અત્યારની ખાનપાનની પરિસ્થિતિ અને કુમળી વયે આવતા હાર્ટ એટેકના કારણે શાળામાં આચાર્ય જ એવું કહેવા મજબૂર બન્યા છે કે કસરત ઓછી કરો, વજન ન ઉઠાવો, દોડો નહીં, મહેનતવાળું કામ ન કરો. 

હાર્ટ એકેટથી અચાનક મોતની ઘટનામાં સરકાર તાત્કાલિક તપાસ કરાવે તે જરૂરી –  Gujaratmitra Daily Newspaper

શાળાના સંચાલકોને આપવામાં આવી આ સૂચના!

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતમાં હમણા યુવાનોને હ્રદય રોગના હુમલા આવવાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ નાના વિદ્યાર્થીઓના હિતમા જાહેરાત કરી છે.  વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા તેમણે રાજકોટ જિલ્લાના આચાર્યો સાથે બેઠક કરી હતી અને તેમને મૌખિક સૂચના આપી છે કે શાળામાં ભણતા નાના બાળકોને કસરત ઓછી કરાવો, હાર્ડ વર્ક ન કરાવો, દોડવાનું ઓછું રખાવો, નવરાત્રિમાં ગરબા ઓછા રમાડો. આની પાછળનું કારણ છે કે રાજકોટમાં હમણાને હમણા નાની વયના યુવાનોને હાર્ટ એટેક આવ્યાના ઘણા બનાવો બન્યા છે. 


વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય!  

ખાનગી શાળાઓમાં તો તગડી ફી ઉઘરાવવાના કારણે વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં જમવાનું બનાવાથી લઈ, કચરોવાળવાથી લઈ તમામ કામો માટે લોકો રાખ્યા હોય છે. અને તેમને લોકો રાખવા પોસાય છે કારણ કે સામે એટલી ફી લેતા હોય છે. પણ સરકારી શાળામાં એવું નથી હોતું. ત્યાં પરિસ્થિતિ સાવ અલગ હોય છે. અહીં આવીને કચરો વાળવાનું હોય છે, સાફસફાઈ કરવાની હોય છે. મેદાન સાફ કરવાનું હોય છે અને બાકી પણ બધા કામ હોય છે. અને આમાં બધુ કામ કરવા માટે પટ્ટાવાળા ન હોય તો મોટાભાગે વિદ્યાર્થીઓ જ કામ કરતા હોય છે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને શાળામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે યોગ કરાવામાં આવતો હોય છે. રમતગમતના અલગથી ક્લાસ હોય છે. વગેરે બધુ હોય છે. આમાં ધ્યાન રાખવા માટે પણ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ મૌખિક સૂચના આપી છે જેથી વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ ન પડે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આપણી સામે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જેમણે હજી દુનિયા નથી જોઈ તેઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. શાળામાં ભણતી વખતે વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે તો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી