Rajkot : વિદ્યાર્થીઓમાં વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શાળાઓને DEOએ આપી આ સલાહ, જાણો શું અપાઈ સલાહ?


  • Published By :
  • Published Date : 2023-10-17 14:31:01

શાળામાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે ભણવા ઉપરાંત અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમણે શાળામાં ભણવાની સાથે યોગ કરાવતા, કસરત કરાવતા, લંગડી રમાડતા, ખો-ખો રમાડતા, દોડાવતા અને આવું બધું કરાવતા. ત્યારે ખબર ન હતી કે આ સ્વાસ્થ્ય માટે સારું છે એટલા માટે કરાવે છે. પણ અત્યારની ખાનપાનની પરિસ્થિતિ અને કુમળી વયે આવતા હાર્ટ એટેકના કારણે શાળામાં આચાર્ય જ એવું કહેવા મજબૂર બન્યા છે કે કસરત ઓછી કરો, વજન ન ઉઠાવો, દોડો નહીં, મહેનતવાળું કામ ન કરો. 

હાર્ટ એકેટથી અચાનક મોતની ઘટનામાં સરકાર તાત્કાલિક તપાસ કરાવે તે જરૂરી –  Gujaratmitra Daily Newspaper

શાળાના સંચાલકોને આપવામાં આવી આ સૂચના!

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતમાં હમણા યુવાનોને હ્રદય રોગના હુમલા આવવાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ નાના વિદ્યાર્થીઓના હિતમા જાહેરાત કરી છે.  વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા તેમણે રાજકોટ જિલ્લાના આચાર્યો સાથે બેઠક કરી હતી અને તેમને મૌખિક સૂચના આપી છે કે શાળામાં ભણતા નાના બાળકોને કસરત ઓછી કરાવો, હાર્ડ વર્ક ન કરાવો, દોડવાનું ઓછું રખાવો, નવરાત્રિમાં ગરબા ઓછા રમાડો. આની પાછળનું કારણ છે કે રાજકોટમાં હમણાને હમણા નાની વયના યુવાનોને હાર્ટ એટેક આવ્યાના ઘણા બનાવો બન્યા છે. 


વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય!  

ખાનગી શાળાઓમાં તો તગડી ફી ઉઘરાવવાના કારણે વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં જમવાનું બનાવાથી લઈ, કચરોવાળવાથી લઈ તમામ કામો માટે લોકો રાખ્યા હોય છે. અને તેમને લોકો રાખવા પોસાય છે કારણ કે સામે એટલી ફી લેતા હોય છે. પણ સરકારી શાળામાં એવું નથી હોતું. ત્યાં પરિસ્થિતિ સાવ અલગ હોય છે. અહીં આવીને કચરો વાળવાનું હોય છે, સાફસફાઈ કરવાની હોય છે. મેદાન સાફ કરવાનું હોય છે અને બાકી પણ બધા કામ હોય છે. અને આમાં બધુ કામ કરવા માટે પટ્ટાવાળા ન હોય તો મોટાભાગે વિદ્યાર્થીઓ જ કામ કરતા હોય છે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને શાળામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે યોગ કરાવામાં આવતો હોય છે. રમતગમતના અલગથી ક્લાસ હોય છે. વગેરે બધુ હોય છે. આમાં ધ્યાન રાખવા માટે પણ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ મૌખિક સૂચના આપી છે જેથી વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ ન પડે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આપણી સામે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જેમણે હજી દુનિયા નથી જોઈ તેઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. શાળામાં ભણતી વખતે વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે તો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.