લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા રાજકોટના DGFT અધિકારીએ કરી આત્મહત્યા, ચોથા માળેથી માર્યો કૂદકો, NOC આપવા માટે અધિકારીએ લીધી હતી લાંચ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:04:54

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જાવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. સીબીઆઈ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પરંતુ અધિકારી બિશ્નોઈએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.  


9 લાખ લાંચની અધિકારીએ કરી હતી માગ! 

સીબીઆઈ દ્વારા અનેક વખત લાંચ લેતા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડીજીએફટીની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં  આવી હતી. પરવાનગી મળી રહે તે માટે ફાઈલો ઓફિસમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી જાવરીમલ બિશ્નોઈ દ્વારા 9 લાખની લાંચ માગવામાં આવી હતી. એનઓસી મેળવવી ફરિયાદી માટે આવશ્યક હતી.   


લાંચ લેતા સીબીઆઈએ રંગેહાથ ઝડપી પાડ્યા

ફરિયાદીના જણાવ્યા અનુસાર અધિકારી દ્વારા 9 લાખની માગણી કરવામાં આવી હતી જેને પગલે ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપવાના રહેશે. અધિકારીને ફરિયાદી પાંચ લાખ રુપિયા આપવા ગયા અને અધિકારીએ પાંચ લાખ રુપિયા સ્વીકાર્યા. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ સીબીઆઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે અધિકારીના ઓફિસમાં તેમજ ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


ચોથા માળેથી અધિકારીએ કર્યો આપઘાત 

ત્યારે ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારતા દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈ ટ્રેપ બાદ ઘરમાં તેમજ ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે