લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા રાજકોટના DGFT અધિકારીએ કરી આત્મહત્યા, ચોથા માળેથી માર્યો કૂદકો, NOC આપવા માટે અધિકારીએ લીધી હતી લાંચ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:04:54

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જાવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. સીબીઆઈ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પરંતુ અધિકારી બિશ્નોઈએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.  


9 લાખ લાંચની અધિકારીએ કરી હતી માગ! 

સીબીઆઈ દ્વારા અનેક વખત લાંચ લેતા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડીજીએફટીની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં  આવી હતી. પરવાનગી મળી રહે તે માટે ફાઈલો ઓફિસમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી જાવરીમલ બિશ્નોઈ દ્વારા 9 લાખની લાંચ માગવામાં આવી હતી. એનઓસી મેળવવી ફરિયાદી માટે આવશ્યક હતી.   


લાંચ લેતા સીબીઆઈએ રંગેહાથ ઝડપી પાડ્યા

ફરિયાદીના જણાવ્યા અનુસાર અધિકારી દ્વારા 9 લાખની માગણી કરવામાં આવી હતી જેને પગલે ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપવાના રહેશે. અધિકારીને ફરિયાદી પાંચ લાખ રુપિયા આપવા ગયા અને અધિકારીએ પાંચ લાખ રુપિયા સ્વીકાર્યા. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ સીબીઆઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે અધિકારીના ઓફિસમાં તેમજ ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


ચોથા માળેથી અધિકારીએ કર્યો આપઘાત 

ત્યારે ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારતા દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈ ટ્રેપ બાદ ઘરમાં તેમજ ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.