Rajkot Fire Accident: પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને, 25 તારીખે Congressએ આપ્યું રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 14:19:45

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. પહેલા રાજકોટમાં ધરણા કર્યા, ઉપવાસ કર્યો, રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કર્યો અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.. કોંગ્રેસ દ્વારા આહ્વાહન કરવામાં આવી રહ્યું છે કે લોકો બંધના એલાનમાં જોડાય. લોકોને અપીલ કરતા ઘણી વખત જીગ્નેશ મેવાણી દેખાયા છે.        

એસઆઈટીની કાર્યવાહી પર પણ અનેક સવાલો!

આપણે ત્યાં અનેક દુર્ઘટનાઓ થઈ.. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અનેક પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે.. અનેક પરિવારો એવા હતા જ્યાં એક સાથે એક નહીં પરંતુ અનેક અર્થીઓ ઉઠી હોય.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 લોકો આગમાં હોમાઈ ગયા. દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે પરંતુ પીડિત પરિવારની આંખોમાંથી નિકળતા આંસુ હજી સુધી સૂકાયા નથી. પીડિત પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે. એસઆઈટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ SITની કામગીરી પર તેમને ભરોસો નથી તેવી વાત પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી. 


પીડિત પરિવારનું માનવું છે કે...  

હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. સરકારને અનેક સવાલો હાઈકોર્ટે કર્યા છે. આવી દુર્ઘટનાઓ નહીં ચલાઈ લેવામાં આવે તેવી વાત જાણે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે. આ વખતે પીડિત પરિવારને એસઆઈટીની તપાસ પર વિશ્વાસ ના હોય તેવું લાગી રહ્યું છે.. પીડિતો ન્યાયની આશા રાખી બેઠા છે અને આ બધા વચ્ચે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે. 


25 તારીખે કોંગ્રેસે  આપ્યું છે રાજકોટ બંધનું એલાન

થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા ધરણા તેમજ ઉપવાસ કરવામાં આવ્યા હતા. તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા. પીડિત પરિવાર માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગઈકાલે એસઆઈટી દ્વારા રિપોર્ટ સરકારને રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે, શું પગલા લેવામાં આવે છે?       



અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .