Rajkot Fire Accident: પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને, 25 તારીખે Congressએ આપ્યું રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 14:19:45

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. પહેલા રાજકોટમાં ધરણા કર્યા, ઉપવાસ કર્યો, રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કર્યો અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.. કોંગ્રેસ દ્વારા આહ્વાહન કરવામાં આવી રહ્યું છે કે લોકો બંધના એલાનમાં જોડાય. લોકોને અપીલ કરતા ઘણી વખત જીગ્નેશ મેવાણી દેખાયા છે.        

એસઆઈટીની કાર્યવાહી પર પણ અનેક સવાલો!

આપણે ત્યાં અનેક દુર્ઘટનાઓ થઈ.. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અનેક પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે.. અનેક પરિવારો એવા હતા જ્યાં એક સાથે એક નહીં પરંતુ અનેક અર્થીઓ ઉઠી હોય.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 લોકો આગમાં હોમાઈ ગયા. દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે પરંતુ પીડિત પરિવારની આંખોમાંથી નિકળતા આંસુ હજી સુધી સૂકાયા નથી. પીડિત પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે. એસઆઈટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ SITની કામગીરી પર તેમને ભરોસો નથી તેવી વાત પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી. 


પીડિત પરિવારનું માનવું છે કે...  

હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. સરકારને અનેક સવાલો હાઈકોર્ટે કર્યા છે. આવી દુર્ઘટનાઓ નહીં ચલાઈ લેવામાં આવે તેવી વાત જાણે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે. આ વખતે પીડિત પરિવારને એસઆઈટીની તપાસ પર વિશ્વાસ ના હોય તેવું લાગી રહ્યું છે.. પીડિતો ન્યાયની આશા રાખી બેઠા છે અને આ બધા વચ્ચે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે. 


25 તારીખે કોંગ્રેસે  આપ્યું છે રાજકોટ બંધનું એલાન

થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા ધરણા તેમજ ઉપવાસ કરવામાં આવ્યા હતા. તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા. પીડિત પરિવાર માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગઈકાલે એસઆઈટી દ્વારા રિપોર્ટ સરકારને રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે, શું પગલા લેવામાં આવે છે?       



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.