Rajkot Fire Accident: પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને, 25 તારીખે Congressએ આપ્યું રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 14:19:45

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. પહેલા રાજકોટમાં ધરણા કર્યા, ઉપવાસ કર્યો, રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કર્યો અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.. કોંગ્રેસ દ્વારા આહ્વાહન કરવામાં આવી રહ્યું છે કે લોકો બંધના એલાનમાં જોડાય. લોકોને અપીલ કરતા ઘણી વખત જીગ્નેશ મેવાણી દેખાયા છે.        

એસઆઈટીની કાર્યવાહી પર પણ અનેક સવાલો!

આપણે ત્યાં અનેક દુર્ઘટનાઓ થઈ.. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અનેક પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે.. અનેક પરિવારો એવા હતા જ્યાં એક સાથે એક નહીં પરંતુ અનેક અર્થીઓ ઉઠી હોય.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 લોકો આગમાં હોમાઈ ગયા. દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે પરંતુ પીડિત પરિવારની આંખોમાંથી નિકળતા આંસુ હજી સુધી સૂકાયા નથી. પીડિત પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે. એસઆઈટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ SITની કામગીરી પર તેમને ભરોસો નથી તેવી વાત પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી. 


પીડિત પરિવારનું માનવું છે કે...  

હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. સરકારને અનેક સવાલો હાઈકોર્ટે કર્યા છે. આવી દુર્ઘટનાઓ નહીં ચલાઈ લેવામાં આવે તેવી વાત જાણે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે. આ વખતે પીડિત પરિવારને એસઆઈટીની તપાસ પર વિશ્વાસ ના હોય તેવું લાગી રહ્યું છે.. પીડિતો ન્યાયની આશા રાખી બેઠા છે અને આ બધા વચ્ચે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે. 


25 તારીખે કોંગ્રેસે  આપ્યું છે રાજકોટ બંધનું એલાન

થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા ધરણા તેમજ ઉપવાસ કરવામાં આવ્યા હતા. તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા. પીડિત પરિવાર માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગઈકાલે એસઆઈટી દ્વારા રિપોર્ટ સરકારને રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે, શું પગલા લેવામાં આવે છે?       



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.