Rajkot Fire Accident : જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો હોય તે પરિવાર પર શું વિતતી હશે! પીડિત પરિવારનો આ વિલાપ તમને રડાવી દેશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-17 15:18:56

જેની પર વિતતું હોય છે તેને જ ખબર પડે છે.. આવી વાતો તમે સાંભળી હશે.. વાત સાચી પણ છે.. જેમણે ભોગવ્યું છે તે જ તેની પીડા સમજી શકે છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોના મોત થઈ ગયા.. એક જ ઘટનામાં પરિવારો વિખેરાઈ ગયા, પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા.. આ ઘટનાને અનેક દિવસો વીતિ ગયા, સમય જતા આ ઘટનાની વાતો ઓછી થઈ ગઈ, આપણે આપણા જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ તે પરિવારો ત્યાં ના ત્યાં જ છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

મૃતકોના પરિવારજનોનો વિલાપ 

એ પરિવાર હજી સુધી આ દુ:ખમાંથી બહાર નથી આવી શક્યો. દેવાંશી જોષીએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.. દેવાંશી જોષીએ બે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર અલગ હતા પરંતુ તેમની પીડા એક સરખી જ હતી. પરિવાર પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તેમને ન્યાય મળશે? એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો.. જ્યારે મૃતકની માતા સાથે વાત કરી ત્યારે તેમની પીડા તેમની આંખોથી છલકાઈ આવતી હતી. તેમણે કહ્યું કે તેમનો આધાર છીનવાઈ ગયો, તેમનો વંશ અટકી ગયો.. 

પીડિત પરિવારના સભ્યોએ શું કહ્યું?

પીડિત પરિવારની એક જ માગ હતી કે તેમને ન્યાય મળવો જોઈએ.. તેમનું કહેવું હતું કે સહાયના રૂપે પૈસા આપવાથી તેમના સંતાનો પાછા નહીં આવે.. ન્યાયની અપેક્ષા પરિવાર રાખી રહ્યો છે... નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી થઈ રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મોટા મગરમચ્છ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું તેમનું કહેવું હતું.. એક પણ ભાજપના નેતા પીડિત પરિવારને મળવા માટે નથી આવ્યા તેવું તેમનું કહેવું હતું.. જો કોઈ નેતા આવતા હતા તો ડોક્ટરને મળીને જતા રહેતા. 

પીડા બીજાની છે એટલે આપણે મૌન રહીએ છીએ.. 

જ્યારે બીજાને પીડા થાય છે ત્યારે આપણે નથી બોલતા એમ માનીને કે આપણને તેનાથી શું ફરક પડે છે. આપણું છોકરૂં થોડી મર્યું છે, વગેરે વગેરે.. આપણે આ વિશે બોલતા નથી.  પરંતુ આમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આજે તેમનું સંતાન છે તો કાલે આપણા સંતાનની સાથે પણ આવી દુર્ઘટનાઓ બની શકે છે.. આપણું સંતાન પણ આવી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.. 

આપણે જો આજે નહીં બોલીએ એમ માનીને કે... 

આપણને તો એવું જ લાગે છે કે દુર્ઘટના આપણા પરિવારની સાથે નથી થવાની એટલે આપણે નથી બોલતા. પરંતુ આપણું મૌન આડકતરી રીતે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપતું હોય છે..! આશા રાખીએ કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે બોલવાનું બંધ ના કરીએ, ખોટા સામે અવાજ ઉઠાવીએ... આ પરિવારે તો પોતાના સ્વજનને ગુમાવી દીધા છે, તે પાછા પણ નથી આવવાના પરંતુ ખોટા વિરૂદ્ધ આપણે ઉઠાવેલો અવાજ કોઈ બીજાની જીંદગીને ખતમ કરતા અટકાવી શકશે..    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.