Rajkot Fire Accident : જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો હોય તે પરિવાર પર શું વિતતી હશે! પીડિત પરિવારનો આ વિલાપ તમને રડાવી દેશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-17 15:18:56

જેની પર વિતતું હોય છે તેને જ ખબર પડે છે.. આવી વાતો તમે સાંભળી હશે.. વાત સાચી પણ છે.. જેમણે ભોગવ્યું છે તે જ તેની પીડા સમજી શકે છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોના મોત થઈ ગયા.. એક જ ઘટનામાં પરિવારો વિખેરાઈ ગયા, પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા.. આ ઘટનાને અનેક દિવસો વીતિ ગયા, સમય જતા આ ઘટનાની વાતો ઓછી થઈ ગઈ, આપણે આપણા જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ તે પરિવારો ત્યાં ના ત્યાં જ છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

મૃતકોના પરિવારજનોનો વિલાપ 

એ પરિવાર હજી સુધી આ દુ:ખમાંથી બહાર નથી આવી શક્યો. દેવાંશી જોષીએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.. દેવાંશી જોષીએ બે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર અલગ હતા પરંતુ તેમની પીડા એક સરખી જ હતી. પરિવાર પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તેમને ન્યાય મળશે? એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો.. જ્યારે મૃતકની માતા સાથે વાત કરી ત્યારે તેમની પીડા તેમની આંખોથી છલકાઈ આવતી હતી. તેમણે કહ્યું કે તેમનો આધાર છીનવાઈ ગયો, તેમનો વંશ અટકી ગયો.. 

પીડિત પરિવારના સભ્યોએ શું કહ્યું?

પીડિત પરિવારની એક જ માગ હતી કે તેમને ન્યાય મળવો જોઈએ.. તેમનું કહેવું હતું કે સહાયના રૂપે પૈસા આપવાથી તેમના સંતાનો પાછા નહીં આવે.. ન્યાયની અપેક્ષા પરિવાર રાખી રહ્યો છે... નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી થઈ રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મોટા મગરમચ્છ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું તેમનું કહેવું હતું.. એક પણ ભાજપના નેતા પીડિત પરિવારને મળવા માટે નથી આવ્યા તેવું તેમનું કહેવું હતું.. જો કોઈ નેતા આવતા હતા તો ડોક્ટરને મળીને જતા રહેતા. 

પીડા બીજાની છે એટલે આપણે મૌન રહીએ છીએ.. 

જ્યારે બીજાને પીડા થાય છે ત્યારે આપણે નથી બોલતા એમ માનીને કે આપણને તેનાથી શું ફરક પડે છે. આપણું છોકરૂં થોડી મર્યું છે, વગેરે વગેરે.. આપણે આ વિશે બોલતા નથી.  પરંતુ આમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આજે તેમનું સંતાન છે તો કાલે આપણા સંતાનની સાથે પણ આવી દુર્ઘટનાઓ બની શકે છે.. આપણું સંતાન પણ આવી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.. 

આપણે જો આજે નહીં બોલીએ એમ માનીને કે... 

આપણને તો એવું જ લાગે છે કે દુર્ઘટના આપણા પરિવારની સાથે નથી થવાની એટલે આપણે નથી બોલતા. પરંતુ આપણું મૌન આડકતરી રીતે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપતું હોય છે..! આશા રાખીએ કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે બોલવાનું બંધ ના કરીએ, ખોટા સામે અવાજ ઉઠાવીએ... આ પરિવારે તો પોતાના સ્વજનને ગુમાવી દીધા છે, તે પાછા પણ નથી આવવાના પરંતુ ખોટા વિરૂદ્ધ આપણે ઉઠાવેલો અવાજ કોઈ બીજાની જીંદગીને ખતમ કરતા અટકાવી શકશે..    



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.