Rajkot Fire Accident : જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો હોય તે પરિવાર પર શું વિતતી હશે! પીડિત પરિવારનો આ વિલાપ તમને રડાવી દેશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-17 15:18:56

જેની પર વિતતું હોય છે તેને જ ખબર પડે છે.. આવી વાતો તમે સાંભળી હશે.. વાત સાચી પણ છે.. જેમણે ભોગવ્યું છે તે જ તેની પીડા સમજી શકે છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોના મોત થઈ ગયા.. એક જ ઘટનામાં પરિવારો વિખેરાઈ ગયા, પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા.. આ ઘટનાને અનેક દિવસો વીતિ ગયા, સમય જતા આ ઘટનાની વાતો ઓછી થઈ ગઈ, આપણે આપણા જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ તે પરિવારો ત્યાં ના ત્યાં જ છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

મૃતકોના પરિવારજનોનો વિલાપ 

એ પરિવાર હજી સુધી આ દુ:ખમાંથી બહાર નથી આવી શક્યો. દેવાંશી જોષીએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.. દેવાંશી જોષીએ બે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર અલગ હતા પરંતુ તેમની પીડા એક સરખી જ હતી. પરિવાર પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તેમને ન્યાય મળશે? એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો.. જ્યારે મૃતકની માતા સાથે વાત કરી ત્યારે તેમની પીડા તેમની આંખોથી છલકાઈ આવતી હતી. તેમણે કહ્યું કે તેમનો આધાર છીનવાઈ ગયો, તેમનો વંશ અટકી ગયો.. 

પીડિત પરિવારના સભ્યોએ શું કહ્યું?

પીડિત પરિવારની એક જ માગ હતી કે તેમને ન્યાય મળવો જોઈએ.. તેમનું કહેવું હતું કે સહાયના રૂપે પૈસા આપવાથી તેમના સંતાનો પાછા નહીં આવે.. ન્યાયની અપેક્ષા પરિવાર રાખી રહ્યો છે... નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી થઈ રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મોટા મગરમચ્છ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું તેમનું કહેવું હતું.. એક પણ ભાજપના નેતા પીડિત પરિવારને મળવા માટે નથી આવ્યા તેવું તેમનું કહેવું હતું.. જો કોઈ નેતા આવતા હતા તો ડોક્ટરને મળીને જતા રહેતા. 

પીડા બીજાની છે એટલે આપણે મૌન રહીએ છીએ.. 

જ્યારે બીજાને પીડા થાય છે ત્યારે આપણે નથી બોલતા એમ માનીને કે આપણને તેનાથી શું ફરક પડે છે. આપણું છોકરૂં થોડી મર્યું છે, વગેરે વગેરે.. આપણે આ વિશે બોલતા નથી.  પરંતુ આમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આજે તેમનું સંતાન છે તો કાલે આપણા સંતાનની સાથે પણ આવી દુર્ઘટનાઓ બની શકે છે.. આપણું સંતાન પણ આવી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.. 

આપણે જો આજે નહીં બોલીએ એમ માનીને કે... 

આપણને તો એવું જ લાગે છે કે દુર્ઘટના આપણા પરિવારની સાથે નથી થવાની એટલે આપણે નથી બોલતા. પરંતુ આપણું મૌન આડકતરી રીતે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપતું હોય છે..! આશા રાખીએ કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે બોલવાનું બંધ ના કરીએ, ખોટા સામે અવાજ ઉઠાવીએ... આ પરિવારે તો પોતાના સ્વજનને ગુમાવી દીધા છે, તે પાછા પણ નથી આવવાના પરંતુ ખોટા વિરૂદ્ધ આપણે ઉઠાવેલો અવાજ કોઈ બીજાની જીંદગીને ખતમ કરતા અટકાવી શકશે..    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.