Rajkot Fire Accident : જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો હોય તે પરિવાર પર શું વિતતી હશે! પીડિત પરિવારનો આ વિલાપ તમને રડાવી દેશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-17 15:18:56

જેની પર વિતતું હોય છે તેને જ ખબર પડે છે.. આવી વાતો તમે સાંભળી હશે.. વાત સાચી પણ છે.. જેમણે ભોગવ્યું છે તે જ તેની પીડા સમજી શકે છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોના મોત થઈ ગયા.. એક જ ઘટનામાં પરિવારો વિખેરાઈ ગયા, પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા.. આ ઘટનાને અનેક દિવસો વીતિ ગયા, સમય જતા આ ઘટનાની વાતો ઓછી થઈ ગઈ, આપણે આપણા જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ તે પરિવારો ત્યાં ના ત્યાં જ છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

મૃતકોના પરિવારજનોનો વિલાપ 

એ પરિવાર હજી સુધી આ દુ:ખમાંથી બહાર નથી આવી શક્યો. દેવાંશી જોષીએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.. દેવાંશી જોષીએ બે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર અલગ હતા પરંતુ તેમની પીડા એક સરખી જ હતી. પરિવાર પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તેમને ન્યાય મળશે? એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો.. જ્યારે મૃતકની માતા સાથે વાત કરી ત્યારે તેમની પીડા તેમની આંખોથી છલકાઈ આવતી હતી. તેમણે કહ્યું કે તેમનો આધાર છીનવાઈ ગયો, તેમનો વંશ અટકી ગયો.. 

પીડિત પરિવારના સભ્યોએ શું કહ્યું?

પીડિત પરિવારની એક જ માગ હતી કે તેમને ન્યાય મળવો જોઈએ.. તેમનું કહેવું હતું કે સહાયના રૂપે પૈસા આપવાથી તેમના સંતાનો પાછા નહીં આવે.. ન્યાયની અપેક્ષા પરિવાર રાખી રહ્યો છે... નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી થઈ રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મોટા મગરમચ્છ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું તેમનું કહેવું હતું.. એક પણ ભાજપના નેતા પીડિત પરિવારને મળવા માટે નથી આવ્યા તેવું તેમનું કહેવું હતું.. જો કોઈ નેતા આવતા હતા તો ડોક્ટરને મળીને જતા રહેતા. 

પીડા બીજાની છે એટલે આપણે મૌન રહીએ છીએ.. 

જ્યારે બીજાને પીડા થાય છે ત્યારે આપણે નથી બોલતા એમ માનીને કે આપણને તેનાથી શું ફરક પડે છે. આપણું છોકરૂં થોડી મર્યું છે, વગેરે વગેરે.. આપણે આ વિશે બોલતા નથી.  પરંતુ આમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આજે તેમનું સંતાન છે તો કાલે આપણા સંતાનની સાથે પણ આવી દુર્ઘટનાઓ બની શકે છે.. આપણું સંતાન પણ આવી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.. 

આપણે જો આજે નહીં બોલીએ એમ માનીને કે... 

આપણને તો એવું જ લાગે છે કે દુર્ઘટના આપણા પરિવારની સાથે નથી થવાની એટલે આપણે નથી બોલતા. પરંતુ આપણું મૌન આડકતરી રીતે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપતું હોય છે..! આશા રાખીએ કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે બોલવાનું બંધ ના કરીએ, ખોટા સામે અવાજ ઉઠાવીએ... આ પરિવારે તો પોતાના સ્વજનને ગુમાવી દીધા છે, તે પાછા પણ નથી આવવાના પરંતુ ખોટા વિરૂદ્ધ આપણે ઉઠાવેલો અવાજ કોઈ બીજાની જીંદગીને ખતમ કરતા અટકાવી શકશે..    



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.