Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ : મૃતકના પરિવારને અપાશે ચાર લાખની સહાય , CM દ્વારા કરાઈ જાહેરાત, કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!


  • Published By :
  • Published Date : 2024-05-26 11:02:34

રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ તે અત્યંત પીડા દાયક છે.. 28 જેટલા લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા.. મજા કરવા માટે આવેલા બાળકો મોતને વ્હાલા થઈ ગયા.. ગુજરાતમાં આવી ઘટના પહેલી વાર નથી બની જેમાં લોકોના મૃત્યુ થયા હોય. ઈતિહાસમાં અનેક ઘટનાઓના સાક્ષી આપણે રહ્યા છીએ..દર વખતે જ્યારે આવી ઘટના થાય છે ત્યારે મંત્રીઓ દ્વારા સંવેદના પ્રગટ કરવામાં આવે છે, સ્થળની મુલાકાત લેવામાં આવે છે.. જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે જીવની કિંમત નક્કી કરવામાં આવે છે સહાયના સ્વરૂપમાં! 

મૃતકોને ચાર લાખ આપવાની કરાઈ જાહેરાત!

આ ઘટના બાદ મુખ્યમંત્રી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.  


કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!

આ ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી જેમાં લોકોનો આક્રોશ દેખાઈ આવતો હતો.. કોઈએ લખ્યું કે દાદા ખરેખર માણસની કિંત 4 લાખ રુપિયા છે? અત્યંત શરમજનક.. તો બીજા કોઈ યુઝરે લખ્યું કે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે પણ આ સુનિશ્ચિત કોણ કરશે?? તમારા ભ્રષ્ટ અધિકારીઓ કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ?? ગુજરાતમાં આટ આટલી ઘટનાઓ બની પણ તમારી સરકારે કંઈ ઘટનામાંથી બોધપાઠ લીધો??  તો કોઈએ લખ્યું ટ્વિટ બંધ કરો ને પગલા લ્યો ફાયર NOC વીના ગેમ ઝોન કેમ ચાલે??? કાંકરિયા, વડોદરા,સુરત,મોરબી અને હવે આ રાજકોટ સાહેબ ફક્ત દુઃખ વર્ણવવા થી શુ થશે? પગલાં હવે તો લ્યો. તો કોઈએ સુરતની ઘટનાને યાદ કરતા લખ્યું કે કોઈ નું મોત થઈ જાય તો 4 લાખ-5 લાખ compensation આપી ને મોત ની મજાક ઉડાડે છે આપણી સિસ્ટમ..

    

પૈસા આપવાથી નથી પાછો આવતો વ્હાલસોયાનો જીવ!

મહત્વનું છે કે ઘટના સર્જાય છે, સહાય માટે રકમની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ થાય કે પૈસા અથવા તો વળતર આપી દેવાથી તે માણસ પાછું આવવાનું છે? એ માતા પિતાને, એ પરિવારને પોતાનું સ્વજન પાછુ મળવાનું છે જે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યું છે? જ્યારે મૃતકોના પરિવાર સાથે ટીમ મુલાકાત લેતી હોય છે ત્યારે તેમના પરિવારજનો કહેતા હોય છે કે અમે પૈસા આપીએ તમે અમારા વ્હાલસોયાને પાછા લાવી આપો.. વાત કદાચ સાચી પણ છે કે પૈસાથી એ વ્યક્તિની કિંમત નથી કરાતી.. ગમે તેટલા પૈસા કેમ ના આપવામાં આવે વળતર સ્વરૂપે પરંતુ દુનિયાને અલવિદા કહીને ગયેલો વ્યક્તિ પાછો ક્યારેય નથી આવતો...!   




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.