Rajkot Game Zone Fire : પત્રકારોએ પ્રશ્ન કર્યો, જવાબ ના હોય તો મૌન રહેવાની જગ્યાએ Ramesh Tilala હસ્યા! બાળકો ભલે ભુંજાઈ મર્યાં પણ...


  • Published By :
  • Published Date : 2024-05-26 12:16:28

ગુજરાતમાં અનેક કરૂણ ઘટનાઓ સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. રાજકોટમાં કાલે જે ઘટના બની તે બાદ અમુક એવા લોકો હશે જેમની આંખો નહીં ભરાઈ આવી હોય.. ભલે રડ્યા નહીં હોય પરંતુ દુ:ખ તો આ ઘટનાને લઈ થયું હશે.. અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે.. ત્યાં જે લોકો હાજર હતા તે લોકો કદાચ જીંદગી ભર આ દ્રશ્યો નહીં ભૂલી શકે... 

આવી કરૂણ ઘટના બાદ પણ ધારાસભ્યને હસવું આવે છે...

સરકારને સવાલ કર્યો પરંતુ ધારાસભ્યોને પણ સવાલ કરવો છે શું તે માનવતા ક્યાંય મૂકીને આવ્યા છે? શું તેમનામાં રહેલી માનવતા મરી પરવારી છે? સવાલ અમારે ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાડાને પૂછવો જે આવી કરૂણ ઘટનામાં પણ હસી શકે છે.. જ્યારે ફાયર સેફ્ટીને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 'હવે આમાં તો હવે હું ય શું કહી શકું હવે...' કહીને હસી પડે છે.. સવાલ એ થાય કે લોકોના જીવની કોઈ કિંમત નથી ધારાસભ્યની નજરમાં? આવી કરૂણઘટનામાં પણ કેવી રીતે ધારાસભ્યને હસવું આવી શકે તે સવાલ થાય છે.. 

કોંગ્રેસે ધારાસભ્યના આ વર્તન પર આપી પ્રતિક્રિયા

ધારાસભ્યના આવા વર્તન પર કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું કે પહેલા સુરતના તક્ષશીલા, મોરબી, વડોદરા હરણી, હવે રાજકોટમાં પણ હૃદય કંપાવી નાખે તેવી ઘટનાઓ સરકારની ગેરરીતિઓ અને ફાયર સેફ્ટીના અભાવે કેટલાએ પોતાના જીવ ગુમાવવા પડશે? શોક વ્યક્ત કરવાની જગ્યાએ રાજકોટના ભાજપના ધારાસભ્ય સ્મિત સાથે જીવ ગુમાવનારની મજાક ઉડાવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે. ધારાસભ્ય શ્રી કોઈના મૃત્યુ પર દુ:ખ સાંત્વના ના આપો તો કંઈ નહીં હસીને તેમની મજાક તો ના ઉડાવશો આ તમને શોભા નથી આપતું.. 


આપણે ક્યારેય આ મુદ્દાઓ પર ચૂંટણી વખતે વિચાર્યું? 

હવે સવાલ થાય કે આટલી હિંમત કેવી રીતે ધારાસભ્યને મળી? હિંમત મળી છે ગુજરાતમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની જીતથી..! આપણે આપેલા વોટથી કદાચ.. મતદાન આપતી વખતે આપણે અનેક મુદ્દાઓ વિશે વિચાર્યું પરંતુ આવી દુર્ઘટનાઓ વિશે ક્યારેય વિચાર્યું? વિધાનસભાની ચૂંટણી વખતે અથવા તો લોકસભા ચૂંટણી દરમિયાન આપણે આ મુદ્દો ક્યારેય વિચાર્યો? આ અંગે ક્યારેય આપણે વાત કરી? જેટલા જવાબદાર નેતાઓ છે તેટલા જવાબદાર કદાચ આપણે છીએ કારણ કે મત આપીને આપણે જ તેમને વિજયી બનાવ્યા છે. વાત માત્ર સત્તાધારી પક્ષની નથી કદાચ અન્ય કોઈ પક્ષ પણ કદાચ આવી વિશાળ જીત સહન ના કરી શક્યા હોત...! જનતાને પણ મનોમંથન કરવાની જરૂર છે..!      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.