Rajkot Game Zone Fire : પત્રકારોએ પ્રશ્ન કર્યો, જવાબ ના હોય તો મૌન રહેવાની જગ્યાએ Ramesh Tilala હસ્યા! બાળકો ભલે ભુંજાઈ મર્યાં પણ...


  • Published By :
  • Published Date : 2024-05-26 12:16:28

ગુજરાતમાં અનેક કરૂણ ઘટનાઓ સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. રાજકોટમાં કાલે જે ઘટના બની તે બાદ અમુક એવા લોકો હશે જેમની આંખો નહીં ભરાઈ આવી હોય.. ભલે રડ્યા નહીં હોય પરંતુ દુ:ખ તો આ ઘટનાને લઈ થયું હશે.. અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે.. ત્યાં જે લોકો હાજર હતા તે લોકો કદાચ જીંદગી ભર આ દ્રશ્યો નહીં ભૂલી શકે... 

આવી કરૂણ ઘટના બાદ પણ ધારાસભ્યને હસવું આવે છે...

સરકારને સવાલ કર્યો પરંતુ ધારાસભ્યોને પણ સવાલ કરવો છે શું તે માનવતા ક્યાંય મૂકીને આવ્યા છે? શું તેમનામાં રહેલી માનવતા મરી પરવારી છે? સવાલ અમારે ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાડાને પૂછવો જે આવી કરૂણ ઘટનામાં પણ હસી શકે છે.. જ્યારે ફાયર સેફ્ટીને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 'હવે આમાં તો હવે હું ય શું કહી શકું હવે...' કહીને હસી પડે છે.. સવાલ એ થાય કે લોકોના જીવની કોઈ કિંમત નથી ધારાસભ્યની નજરમાં? આવી કરૂણઘટનામાં પણ કેવી રીતે ધારાસભ્યને હસવું આવી શકે તે સવાલ થાય છે.. 

કોંગ્રેસે ધારાસભ્યના આ વર્તન પર આપી પ્રતિક્રિયા

ધારાસભ્યના આવા વર્તન પર કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું કે પહેલા સુરતના તક્ષશીલા, મોરબી, વડોદરા હરણી, હવે રાજકોટમાં પણ હૃદય કંપાવી નાખે તેવી ઘટનાઓ સરકારની ગેરરીતિઓ અને ફાયર સેફ્ટીના અભાવે કેટલાએ પોતાના જીવ ગુમાવવા પડશે? શોક વ્યક્ત કરવાની જગ્યાએ રાજકોટના ભાજપના ધારાસભ્ય સ્મિત સાથે જીવ ગુમાવનારની મજાક ઉડાવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે. ધારાસભ્ય શ્રી કોઈના મૃત્યુ પર દુ:ખ સાંત્વના ના આપો તો કંઈ નહીં હસીને તેમની મજાક તો ના ઉડાવશો આ તમને શોભા નથી આપતું.. 


આપણે ક્યારેય આ મુદ્દાઓ પર ચૂંટણી વખતે વિચાર્યું? 

હવે સવાલ થાય કે આટલી હિંમત કેવી રીતે ધારાસભ્યને મળી? હિંમત મળી છે ગુજરાતમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની જીતથી..! આપણે આપેલા વોટથી કદાચ.. મતદાન આપતી વખતે આપણે અનેક મુદ્દાઓ વિશે વિચાર્યું પરંતુ આવી દુર્ઘટનાઓ વિશે ક્યારેય વિચાર્યું? વિધાનસભાની ચૂંટણી વખતે અથવા તો લોકસભા ચૂંટણી દરમિયાન આપણે આ મુદ્દો ક્યારેય વિચાર્યો? આ અંગે ક્યારેય આપણે વાત કરી? જેટલા જવાબદાર નેતાઓ છે તેટલા જવાબદાર કદાચ આપણે છીએ કારણ કે મત આપીને આપણે જ તેમને વિજયી બનાવ્યા છે. વાત માત્ર સત્તાધારી પક્ષની નથી કદાચ અન્ય કોઈ પક્ષ પણ કદાચ આવી વિશાળ જીત સહન ના કરી શક્યા હોત...! જનતાને પણ મનોમંથન કરવાની જરૂર છે..!      



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.