Rajkot Game Zone Fire : પત્રકારોએ પ્રશ્ન કર્યો, જવાબ ના હોય તો મૌન રહેવાની જગ્યાએ Ramesh Tilala હસ્યા! બાળકો ભલે ભુંજાઈ મર્યાં પણ...


  • Published By :
  • Published Date : 2024-05-26 12:16:28

ગુજરાતમાં અનેક કરૂણ ઘટનાઓ સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. રાજકોટમાં કાલે જે ઘટના બની તે બાદ અમુક એવા લોકો હશે જેમની આંખો નહીં ભરાઈ આવી હોય.. ભલે રડ્યા નહીં હોય પરંતુ દુ:ખ તો આ ઘટનાને લઈ થયું હશે.. અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે.. ત્યાં જે લોકો હાજર હતા તે લોકો કદાચ જીંદગી ભર આ દ્રશ્યો નહીં ભૂલી શકે... 

આવી કરૂણ ઘટના બાદ પણ ધારાસભ્યને હસવું આવે છે...

સરકારને સવાલ કર્યો પરંતુ ધારાસભ્યોને પણ સવાલ કરવો છે શું તે માનવતા ક્યાંય મૂકીને આવ્યા છે? શું તેમનામાં રહેલી માનવતા મરી પરવારી છે? સવાલ અમારે ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાડાને પૂછવો જે આવી કરૂણ ઘટનામાં પણ હસી શકે છે.. જ્યારે ફાયર સેફ્ટીને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 'હવે આમાં તો હવે હું ય શું કહી શકું હવે...' કહીને હસી પડે છે.. સવાલ એ થાય કે લોકોના જીવની કોઈ કિંમત નથી ધારાસભ્યની નજરમાં? આવી કરૂણઘટનામાં પણ કેવી રીતે ધારાસભ્યને હસવું આવી શકે તે સવાલ થાય છે.. 

કોંગ્રેસે ધારાસભ્યના આ વર્તન પર આપી પ્રતિક્રિયા

ધારાસભ્યના આવા વર્તન પર કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું કે પહેલા સુરતના તક્ષશીલા, મોરબી, વડોદરા હરણી, હવે રાજકોટમાં પણ હૃદય કંપાવી નાખે તેવી ઘટનાઓ સરકારની ગેરરીતિઓ અને ફાયર સેફ્ટીના અભાવે કેટલાએ પોતાના જીવ ગુમાવવા પડશે? શોક વ્યક્ત કરવાની જગ્યાએ રાજકોટના ભાજપના ધારાસભ્ય સ્મિત સાથે જીવ ગુમાવનારની મજાક ઉડાવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે. ધારાસભ્ય શ્રી કોઈના મૃત્યુ પર દુ:ખ સાંત્વના ના આપો તો કંઈ નહીં હસીને તેમની મજાક તો ના ઉડાવશો આ તમને શોભા નથી આપતું.. 


આપણે ક્યારેય આ મુદ્દાઓ પર ચૂંટણી વખતે વિચાર્યું? 

હવે સવાલ થાય કે આટલી હિંમત કેવી રીતે ધારાસભ્યને મળી? હિંમત મળી છે ગુજરાતમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની જીતથી..! આપણે આપેલા વોટથી કદાચ.. મતદાન આપતી વખતે આપણે અનેક મુદ્દાઓ વિશે વિચાર્યું પરંતુ આવી દુર્ઘટનાઓ વિશે ક્યારેય વિચાર્યું? વિધાનસભાની ચૂંટણી વખતે અથવા તો લોકસભા ચૂંટણી દરમિયાન આપણે આ મુદ્દો ક્યારેય વિચાર્યો? આ અંગે ક્યારેય આપણે વાત કરી? જેટલા જવાબદાર નેતાઓ છે તેટલા જવાબદાર કદાચ આપણે છીએ કારણ કે મત આપીને આપણે જ તેમને વિજયી બનાવ્યા છે. વાત માત્ર સત્તાધારી પક્ષની નથી કદાચ અન્ય કોઈ પક્ષ પણ કદાચ આવી વિશાળ જીત સહન ના કરી શક્યા હોત...! જનતાને પણ મનોમંથન કરવાની જરૂર છે..!      



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.