Rajkot Game Zone આગ મામલે આવી મોટી અપડેટ, ચાર વર્ષથી એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! શા માટે ના કરવામાં આવી ચેકિંગ?


  • Published By :
  • Published Date : 2024-05-26 14:13:57

વેકેશનના સમયમાં બાળકો મોજ માટે ગેમઝોનમાં જતા હોય છે... સામાન્ય રીતે વિકએન્ડ પર મોટી સંખ્યામાં લોકો આવા સ્થળની મુલાકાત લેતા હોય છે.. આપણે પણ આવા સ્થળની મુલાકાત લઈએ છીએ એમ માની કે બધુ સલામત છે.. જે પરવાનગી લેવાની હશે તે બધી પરવાનગી હશે વગેરે વગેરે.. પરંતુ તંત્ર દ્વારા રખાતી લાપરવાહી આવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! 

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોટી અપડેટ સામે આવી છે, એવી પ્રાથમિક માહિતી સામે આવી હતી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમતું હતું.. આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં તંત્રો દ્વારા તેને ચાલવા દીધું. એવી માહિતી સામે આવી છે કે શનિવારના દિવસે આ ગેમ ઝોનમાં 99 રુપિયાની ટિકીટ રખાઈ હતી જેને કારણે લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. તંત્ર દ્વારા નાક આડા કાન કરવામાં આવે છે તેવું કહીએ તો પણ ખોટા ના પડીએ..!  



દુર્ઘટના સર્જાય તે બાદ થોડા દિવસો માટે કરાય છે કાર્યવાહી અને પછી.. 

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે લોકોના મોત થાય છે તે બાદ એક્શન લેવા માટે તંત્ર સફાળું જાગે છે.. આગને કારણે દુર્ઘટના થઈ હોય તો બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ થોડા દિવસો થાય છે, કોઈના મોત હરણી બોટ દુર્ઘટના જેવી ઘટનામાં થયા હોય તો લાઈફ જેકેટ અંગે તપાસ થોડા દિવસો માટે થાય છે..  ફાયર સેફ્ટી જે જગ્યા પર ના હોય તે જગ્યાને સીલ કરી દેવામાં આવે છે. લાઈફ જેકેટ વગર ચાલતી એક્ટિવીટિને બંધ કરી દેવાય છે.. આ બધું થાય છે પરંતુ માત્ર થોડા દિવસો પૂરતૂં..! 


આટલી દુર્ઘટનાઓમાંથી ક્યારે બોધપાઠ લઈશું? 

દુર્ઘટનાઓ ધીમે ધીમે જેમ વિસરાતી જાય છે તેમ તેમ આવી કાર્યવાહીઓ થતી બંધ થઈ જાય છે..જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે તે બાદ એક્શન લેવાય છે.. પરંતુ સવાલ થાય કે તંત્ર એક્શનમાં કેમ ત્યારે જ આવે છે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે? આટલા લોકોના મોત થાય તે બાદ જ શા માટે કેમ થોડા સમય માટે એક્શન લેવામાં આવે છે? ભૂતકાળને ભૂલી જવાની આપણી આદત છે પરંતુ તેમાંથી બોધપાઠ તો લેવો પડશેને..! આપણે ઈતિહાસની ઘટનાઓને ભૂલી જઈએ છીએ પરંતુ તેમાંથી કંઈ શીખ્તા નથી એ મોટામાં મોટી કમનસીબી છે...!  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .