Rajkot Game Zone આગ મામલે આવી મોટી અપડેટ, ચાર વર્ષથી એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! શા માટે ના કરવામાં આવી ચેકિંગ?


  • Published By :
  • Published Date : 2024-05-26 14:13:57

વેકેશનના સમયમાં બાળકો મોજ માટે ગેમઝોનમાં જતા હોય છે... સામાન્ય રીતે વિકએન્ડ પર મોટી સંખ્યામાં લોકો આવા સ્થળની મુલાકાત લેતા હોય છે.. આપણે પણ આવા સ્થળની મુલાકાત લઈએ છીએ એમ માની કે બધુ સલામત છે.. જે પરવાનગી લેવાની હશે તે બધી પરવાનગી હશે વગેરે વગેરે.. પરંતુ તંત્ર દ્વારા રખાતી લાપરવાહી આવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 



એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન! 

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોટી અપડેટ સામે આવી છે, એવી પ્રાથમિક માહિતી સામે આવી હતી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમતું હતું.. આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં તંત્રો દ્વારા તેને ચાલવા દીધું. એવી માહિતી સામે આવી છે કે શનિવારના દિવસે આ ગેમ ઝોનમાં 99 રુપિયાની ટિકીટ રખાઈ હતી જેને કારણે લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. તંત્ર દ્વારા નાક આડા કાન કરવામાં આવે છે તેવું કહીએ તો પણ ખોટા ના પડીએ..!  



દુર્ઘટના સર્જાય તે બાદ થોડા દિવસો માટે કરાય છે કાર્યવાહી અને પછી.. 

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે લોકોના મોત થાય છે તે બાદ એક્શન લેવા માટે તંત્ર સફાળું જાગે છે.. આગને કારણે દુર્ઘટના થઈ હોય તો બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ થોડા દિવસો થાય છે, કોઈના મોત હરણી બોટ દુર્ઘટના જેવી ઘટનામાં થયા હોય તો લાઈફ જેકેટ અંગે તપાસ થોડા દિવસો માટે થાય છે..  ફાયર સેફ્ટી જે જગ્યા પર ના હોય તે જગ્યાને સીલ કરી દેવામાં આવે છે. લાઈફ જેકેટ વગર ચાલતી એક્ટિવીટિને બંધ કરી દેવાય છે.. આ બધું થાય છે પરંતુ માત્ર થોડા દિવસો પૂરતૂં..! 


આટલી દુર્ઘટનાઓમાંથી ક્યારે બોધપાઠ લઈશું? 

દુર્ઘટનાઓ ધીમે ધીમે જેમ વિસરાતી જાય છે તેમ તેમ આવી કાર્યવાહીઓ થતી બંધ થઈ જાય છે..જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે તે બાદ એક્શન લેવાય છે.. પરંતુ સવાલ થાય કે તંત્ર એક્શનમાં કેમ ત્યારે જ આવે છે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે? આટલા લોકોના મોત થાય તે બાદ જ શા માટે કેમ થોડા સમય માટે એક્શન લેવામાં આવે છે? ભૂતકાળને ભૂલી જવાની આપણી આદત છે પરંતુ તેમાંથી બોધપાઠ તો લેવો પડશેને..! આપણે ઈતિહાસની ઘટનાઓને ભૂલી જઈએ છીએ પરંતુ તેમાંથી કંઈ શીખ્તા નથી એ મોટામાં મોટી કમનસીબી છે...!  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે