Rajkot : ગોઝારો ગુરૂવાર! રાજકોટમાં અકસ્માતની અનેક ઘટનાઓ સર્જાઈ, એક ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે બીજી ઘટનામાં...


  • Published By :
  • Published Date : 2024-06-20 16:29:05

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ ગયા છે. અકસ્માત થવાને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. રફતારના કહેરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે. એવી માહિતી સામે  આવી છે કે ગાડીમાં પંચર હતું તેમ છતાંય તેણે ગાડી ચલાવી અને અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો છે.

News18 Gujarati


News18 Gujarati

બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત 

બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અકસ્માતને કારણે લોકો મોતને પણ ભેટે છે. ઘણી વખત ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ વાહનો આવવાને કારણે મોત લોકોના થયા છે. અનેક વખત બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.



ઘટનામાં બે લોકોના થયા મોત 

આ અકસ્માત બે ગાડીઓ વચ્ચે સર્જાયો છે જેમાં એક ગાડી ઈનોવા એને ટ્રાઈબર ગાડી વચ્ચે સર્જાયો છે. એવી માહિતી સામે આવી છે કે ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી બે લોકોના મોત થયા છે. ડ્રાઈવર સહિત એક મહિલા મોતને ભેટી છે. ઈજાગસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકો જસદણ અને ગોંડલના રહેવાસી છે. 




ગાડીએ અનેક ગાડીઓને અડફેટે લીધી...

બીજી જે ઘટના સર્જાઈ છે તે સુભાષનગરમાં સર્જાઈ છે. તથ્યવાળી થતા બચી ગઈ છે. પંચર હોવા છતાંય ડ્રાઈવરે ગાડી ચલાવી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. ચુડાસમા પ્લોટ વિસ્તારમાં આ ઘટના બની છે. વાહનો અડફેટે આવી ગયા હતા. ગાડી એટલી સ્પીડમાં હતી કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો તે પણ અડફેટે આવી ગયા હોત. એવી માહિતી સામે આવી છે કે સીસીટીવી મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે.  



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.