Rajkot : ગોઝારો ગુરૂવાર! રાજકોટમાં અકસ્માતની અનેક ઘટનાઓ સર્જાઈ, એક ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે બીજી ઘટનામાં...


  • Published By :
  • Published Date : 2024-06-20 16:29:05

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ ગયા છે. અકસ્માત થવાને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. રફતારના કહેરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે. એવી માહિતી સામે  આવી છે કે ગાડીમાં પંચર હતું તેમ છતાંય તેણે ગાડી ચલાવી અને અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો છે.

News18 Gujarati


News18 Gujarati

બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત 

બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અકસ્માતને કારણે લોકો મોતને પણ ભેટે છે. ઘણી વખત ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ વાહનો આવવાને કારણે મોત લોકોના થયા છે. અનેક વખત બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.



ઘટનામાં બે લોકોના થયા મોત 

આ અકસ્માત બે ગાડીઓ વચ્ચે સર્જાયો છે જેમાં એક ગાડી ઈનોવા એને ટ્રાઈબર ગાડી વચ્ચે સર્જાયો છે. એવી માહિતી સામે આવી છે કે ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી બે લોકોના મોત થયા છે. ડ્રાઈવર સહિત એક મહિલા મોતને ભેટી છે. ઈજાગસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકો જસદણ અને ગોંડલના રહેવાસી છે. 




ગાડીએ અનેક ગાડીઓને અડફેટે લીધી...

બીજી જે ઘટના સર્જાઈ છે તે સુભાષનગરમાં સર્જાઈ છે. તથ્યવાળી થતા બચી ગઈ છે. પંચર હોવા છતાંય ડ્રાઈવરે ગાડી ચલાવી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. ચુડાસમા પ્લોટ વિસ્તારમાં આ ઘટના બની છે. વાહનો અડફેટે આવી ગયા હતા. ગાડી એટલી સ્પીડમાં હતી કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો તે પણ અડફેટે આવી ગયા હોત. એવી માહિતી સામે આવી છે કે સીસીટીવી મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.