Diwali પહેલા Rajkot આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં, આટલા કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-08 09:22:27

દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના સમયે મીઠાઈ તેમજ નાસ્તાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. દિવાળી સમયે સિઝન હોવાને કારણે થોડા સમય પહેલાથી મીઠાઈનો તેમજ ફરસાણ/નાસ્તાનો સ્ટોક વેપારીઓ કરી રાખતા હોય છે. આજકાલ નકલી ખાદ્યપદાર્થોએ અનેક જગ્યાઓથી મળી આવે છે. નકલી ખાદ્યપદાર્થો તો મળી આવે છે પરંતુ નકલી ઘી, નકલી મસાલો, નકલી ઈનો વગેરે પણ નકલી માર્કેટમાં ફરી રહ્યું છે. ત્યારે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ફુડ વિભાગ દ્વારા વાવડી ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું કે જમીન ઉપર ચકરીનો લોટ બાંધવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત સ્ટોક કરેલો ફરસાણનો જથ્થો વાસી જણાતા 1400 કિલો ફરસાણનો નાશ કરાયો છે ઉપરાંત સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ મનપાના ફૂડ વિભાગ એલર્ટ

દિવાળી સમયે મીઠાઈ તેમજ ફરસાણની વધે છે માગ

લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિવાળીના તહેવારની ઉજવણી થોડા દિવસો બાદ શરૂ થઈ જશે. તહેવારને ધ્યાનમાં રાખી લોકો નાસ્તો તેમજ મીઠાઈ બહારથી ખરીદતા હોય છે. એ સમય દરમિયાન આ વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હોય છે. નાસ્તાની તેમજ મીઠાઈની માગ આ સમયગાળા દરમિયાન સૌથી વધારે હોય છે, માગને પહોંચી વળવા માટે થોડા સમય પહેલાથી દુકાનદારો સ્ટોક કરવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ એટલા સમય પહેલાથી નાસ્તો બનાવી દેતા હોય છે કે દિવાળી આવતા આવતા તે વાસી થઈ જાય છે.! વાસી જથ્થાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે વાસી ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે.    

રાજકોટ ફૂડ વિભાગની તવાઈ

ફૂડ વિભાગ દ્વારા આ જગ્યા પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ 

ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાવડી ગામ જલીયાણ ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી "માહી ફૂડ પ્રોડકટ્સ"માં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના નમકીનનું વેચાણ કરવામાં આવે છે. અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યપદાર્થ બનાવવામાં આવતું હોય તે પણ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું. ઉપરાંત એક્સપાયરી ડેટની માહિતી પણ આપવામાં આવી ન હતી. તે સિવાય 715 કિલો જેટલો નાસ્તો વાસી થઈ ગયો હતો. એ જથ્થાનો નાસ કરવામાં આવ્યો. આવો અખાદ્ય જથ્થો બજારમાં ન ફરતા થાય તે માટે તેનો નાશ ત્વરીત કરવામાં આવ્યો. 

rajkot-news-1400-kg-inedible-farsan-destroyed-ahead-of-diwali-2023-228919



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી