રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક દીપડાના ધામા, વનવિભાગની 6 ટીમો કામે લાગી


  • Published By :
  • Published Date : 2023-12-28 16:25:42

સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે, રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ દીપડો 3-4 વર્ષનો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા રૈયાધાર વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ એક્શનમાં આવ્યો છે. વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પહોંચી હતી, ટીમના સભ્યોએ મોડી રાત સુધી શોધખોળ ચલાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ બેરીકેટ પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા.


આ વિસ્તારોમાં જોવો મળ્યો દીપડો


દીપડાનો પકડવા માટે ફોરેસ્ટ વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીમાં જે-જે વિસ્તારમાં દીપડો દેખાયો ત્યાંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ નજીક  દીપડો દેખાયો હતો. ત્યાર બાદ મુજકા ગામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાવી હતી. જે પછી કૃષ્ણનગર ગામમાં અને પછી રામનગર ગામમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ફરી દીપડો રામનગર ગામમાં આવ્યો હતો અને અહીંયા કુતરાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ દીપડો રાજકોટ શહેરમાં આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.