રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક દીપડાના ધામા, વનવિભાગની 6 ટીમો કામે લાગી


  • Published By :
  • Published Date : 2023-12-28 16:25:42

સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે, રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ દીપડો 3-4 વર્ષનો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા રૈયાધાર વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ એક્શનમાં આવ્યો છે. વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પહોંચી હતી, ટીમના સભ્યોએ મોડી રાત સુધી શોધખોળ ચલાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ બેરીકેટ પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા.


આ વિસ્તારોમાં જોવો મળ્યો દીપડો


દીપડાનો પકડવા માટે ફોરેસ્ટ વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીમાં જે-જે વિસ્તારમાં દીપડો દેખાયો ત્યાંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ નજીક  દીપડો દેખાયો હતો. ત્યાર બાદ મુજકા ગામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાવી હતી. જે પછી કૃષ્ણનગર ગામમાં અને પછી રામનગર ગામમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ફરી દીપડો રામનગર ગામમાં આવ્યો હતો અને અહીંયા કુતરાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ દીપડો રાજકોટ શહેરમાં આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.