Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતાથી કર્યા ભાજપ પર પ્રહાર! જાણો શું લખ્યું છે કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-05-04 17:16:59

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહી છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવદેનને કારણે થાય છે અથવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી કવિતાને કારણે થાય છે.. પરેશ ધાનામી દ્વારા અનેક કવિતાઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે સરદારના અસલી વારસોએ...

પરેશ ધાનાણી અનેક વખત કરી છે કવિતા પોસ્ટ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે..ઉમેદવારો, નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કલાકો પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો પ્રચાર માટે કરી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી હોય છે.. કવિતા ટ્રેન્ડમાં હતી.. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર પરેશ ધાનાણી કવિતા લખે છે.. ત્યારે ફરી એક વખત કવિતા શેર તેમણે કરી છે જેમાં તેમણે સિંઘમ ફિલ્મની ક્લીપ મૂકી છે.. 


ફરી એક વખત પરેશ ધાનાણીએ કરી કવિતા શેર !      

થોડા દિવસ પહેલા ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. રાજનેતાઓમાં રહેલો કવિ અચાનક જાગી ગયો હતો. અનેક નેતાઓ દ્વારા કવિતાઓ શેર કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતા શેર કરવામાં આવી હતી.. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે અનેક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે ફરી એક શેર કરી છે.

 

પરેશ ધાનાણીએ કવિતા શેર કરતા લખ્યું કે - 


""સિંઘમ-3 ની શરુઆત""


"સરદાર" ના અસલી વારસોએ

હવે ખુદજ "સિંઘમ" બની અને,


સતાની એડીએ "અઢારેય વર્ણ"

પર અત્યાચાર કરનારા બધાજ

"જયકાંત શીકરે" ના..,


"અહંકાર"ને ઓગાળવાની લડાઈ

આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે