Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતાથી કર્યા ભાજપ પર પ્રહાર! જાણો શું લખ્યું છે કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-05-04 17:16:59

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહી છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવદેનને કારણે થાય છે અથવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી કવિતાને કારણે થાય છે.. પરેશ ધાનામી દ્વારા અનેક કવિતાઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે સરદારના અસલી વારસોએ...

પરેશ ધાનાણી અનેક વખત કરી છે કવિતા પોસ્ટ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે..ઉમેદવારો, નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કલાકો પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો પ્રચાર માટે કરી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી હોય છે.. કવિતા ટ્રેન્ડમાં હતી.. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર પરેશ ધાનાણી કવિતા લખે છે.. ત્યારે ફરી એક વખત કવિતા શેર તેમણે કરી છે જેમાં તેમણે સિંઘમ ફિલ્મની ક્લીપ મૂકી છે.. 


ફરી એક વખત પરેશ ધાનાણીએ કરી કવિતા શેર !      

થોડા દિવસ પહેલા ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. રાજનેતાઓમાં રહેલો કવિ અચાનક જાગી ગયો હતો. અનેક નેતાઓ દ્વારા કવિતાઓ શેર કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતા શેર કરવામાં આવી હતી.. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે અનેક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે ફરી એક શેર કરી છે.

 

પરેશ ધાનાણીએ કવિતા શેર કરતા લખ્યું કે - 


""સિંઘમ-3 ની શરુઆત""


"સરદાર" ના અસલી વારસોએ

હવે ખુદજ "સિંઘમ" બની અને,


સતાની એડીએ "અઢારેય વર્ણ"

પર અત્યાચાર કરનારા બધાજ

"જયકાંત શીકરે" ના..,


"અહંકાર"ને ઓગાળવાની લડાઈ

આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.