Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતાથી કર્યા ભાજપ પર પ્રહાર! જાણો શું લખ્યું છે કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-05-04 17:16:59

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહી છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવદેનને કારણે થાય છે અથવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી કવિતાને કારણે થાય છે.. પરેશ ધાનામી દ્વારા અનેક કવિતાઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે સરદારના અસલી વારસોએ...

પરેશ ધાનાણી અનેક વખત કરી છે કવિતા પોસ્ટ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે..ઉમેદવારો, નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કલાકો પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો પ્રચાર માટે કરી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી હોય છે.. કવિતા ટ્રેન્ડમાં હતી.. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર પરેશ ધાનાણી કવિતા લખે છે.. ત્યારે ફરી એક વખત કવિતા શેર તેમણે કરી છે જેમાં તેમણે સિંઘમ ફિલ્મની ક્લીપ મૂકી છે.. 


ફરી એક વખત પરેશ ધાનાણીએ કરી કવિતા શેર !      

થોડા દિવસ પહેલા ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. રાજનેતાઓમાં રહેલો કવિ અચાનક જાગી ગયો હતો. અનેક નેતાઓ દ્વારા કવિતાઓ શેર કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતા શેર કરવામાં આવી હતી.. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે અનેક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે ફરી એક શેર કરી છે.

 

પરેશ ધાનાણીએ કવિતા શેર કરતા લખ્યું કે - 


""સિંઘમ-3 ની શરુઆત""


"સરદાર" ના અસલી વારસોએ

હવે ખુદજ "સિંઘમ" બની અને,


સતાની એડીએ "અઢારેય વર્ણ"

પર અત્યાચાર કરનારા બધાજ

"જયકાંત શીકરે" ના..,


"અહંકાર"ને ઓગાળવાની લડાઈ

આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.