Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતાથી કર્યા ભાજપ પર પ્રહાર! જાણો શું લખ્યું છે કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-05-04 17:16:59

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહી છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવદેનને કારણે થાય છે અથવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી કવિતાને કારણે થાય છે.. પરેશ ધાનામી દ્વારા અનેક કવિતાઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે સરદારના અસલી વારસોએ...

પરેશ ધાનાણી અનેક વખત કરી છે કવિતા પોસ્ટ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે..ઉમેદવારો, નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કલાકો પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો પ્રચાર માટે કરી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી હોય છે.. કવિતા ટ્રેન્ડમાં હતી.. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર પરેશ ધાનાણી કવિતા લખે છે.. ત્યારે ફરી એક વખત કવિતા શેર તેમણે કરી છે જેમાં તેમણે સિંઘમ ફિલ્મની ક્લીપ મૂકી છે.. 


ફરી એક વખત પરેશ ધાનાણીએ કરી કવિતા શેર !      

થોડા દિવસ પહેલા ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. રાજનેતાઓમાં રહેલો કવિ અચાનક જાગી ગયો હતો. અનેક નેતાઓ દ્વારા કવિતાઓ શેર કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતા શેર કરવામાં આવી હતી.. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે અનેક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે ફરી એક શેર કરી છે.

 

પરેશ ધાનાણીએ કવિતા શેર કરતા લખ્યું કે - 


""સિંઘમ-3 ની શરુઆત""


"સરદાર" ના અસલી વારસોએ

હવે ખુદજ "સિંઘમ" બની અને,


સતાની એડીએ "અઢારેય વર્ણ"

પર અત્યાચાર કરનારા બધાજ

"જયકાંત શીકરે" ના..,


"અહંકાર"ને ઓગાળવાની લડાઈ

આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.