Rajkot Loksabha Seatના ઉમેદવાર Parshottam Rupala અને Paresh Dhananiએ Amreliમાં મતદાન કર્યું, પછી શું બોલ્યા સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-07 13:21:22

ગુજરાતની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. તે બાદ આખો જે ઘટનાક્રમ હતો તે આપણે જાણીએ છીએ... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે...

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોએ આપ્યું નિવેદન 

આજે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી દીધું છે અને અનેક લોકો મતદાન કરી રહ્યા છે.. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે... મહત્વનું છે કે પીએમ મોદીએ મતદાતાઓને અપીલ કરી છે. ઉપરાંત પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ પણ મતદાતાઓને અપીલ કરી છે.. વધારેમાં વધારે લોકો મતદાન કરવા જાય, મતદાનનું પ્રમાણ વધે તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.. પરેશ ધાનાણીએ તે સિવાય પણ અનેક વાતોની વાત કરી હતી.. 



ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો વિરોધનો સામનો 

મહત્વનું છે કે પીએમ મોદી આજે ગુજરાત આવ્યા હતા મતદાન કરવા માટે. તે ઉપરાંત અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે.. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થયો હતો. ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.