Rajkot Loksabha Seatના ઉમેદવાર Parshottam Rupala અને Paresh Dhananiએ Amreliમાં મતદાન કર્યું, પછી શું બોલ્યા સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-07 13:21:22

ગુજરાતની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. તે બાદ આખો જે ઘટનાક્રમ હતો તે આપણે જાણીએ છીએ... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે...

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોએ આપ્યું નિવેદન 

આજે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી દીધું છે અને અનેક લોકો મતદાન કરી રહ્યા છે.. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે... મહત્વનું છે કે પીએમ મોદીએ મતદાતાઓને અપીલ કરી છે. ઉપરાંત પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ પણ મતદાતાઓને અપીલ કરી છે.. વધારેમાં વધારે લોકો મતદાન કરવા જાય, મતદાનનું પ્રમાણ વધે તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.. પરેશ ધાનાણીએ તે સિવાય પણ અનેક વાતોની વાત કરી હતી.. 



ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો વિરોધનો સામનો 

મહત્વનું છે કે પીએમ મોદી આજે ગુજરાત આવ્યા હતા મતદાન કરવા માટે. તે ઉપરાંત અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે.. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થયો હતો. ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.