Rajkot Loksabha Seatના ઉમેદવાર Parshottam Rupala અને Paresh Dhananiએ Amreliમાં મતદાન કર્યું, પછી શું બોલ્યા સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-07 13:21:22

ગુજરાતની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. તે બાદ આખો જે ઘટનાક્રમ હતો તે આપણે જાણીએ છીએ... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે...

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોએ આપ્યું નિવેદન 

આજે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી દીધું છે અને અનેક લોકો મતદાન કરી રહ્યા છે.. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે... મહત્વનું છે કે પીએમ મોદીએ મતદાતાઓને અપીલ કરી છે. ઉપરાંત પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ પણ મતદાતાઓને અપીલ કરી છે.. વધારેમાં વધારે લોકો મતદાન કરવા જાય, મતદાનનું પ્રમાણ વધે તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.. પરેશ ધાનાણીએ તે સિવાય પણ અનેક વાતોની વાત કરી હતી.. 



ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો વિરોધનો સામનો 

મહત્વનું છે કે પીએમ મોદી આજે ગુજરાત આવ્યા હતા મતદાન કરવા માટે. તે ઉપરાંત અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે.. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થયો હતો. ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો..   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."