Rajkot Loksabha : Parshottam Rupala સામે Congress આ પાટીદાર નેતાને મેદાને ઉતારશે? Paresh Dhananiએ ચૂંટણી લડવાની ના પાડતા સર્જાઈ આ પરિસ્થિતિ!


  • Published By :
  • Published Date : 2024-03-27 12:30:53

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરાયા બાદ કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરતા પહેલા અનેક સમીકરણો પર ધ્યાન આપી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકીટ આપી શકે તેની ચર્ચાઓ ચાલી રહી છે. હિતેશ વોરાને કોંગ્રેસ આ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે તેવી વાતો હાલ થઈ રહી છે.   

જ્યારે પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકીટ આપવામાં આવી ત્યારે.. 

રાજકોટ બેઠક પર હાલ કોંગ્રેસ ઉમેદવારને ઉતારતા પહેલા મનોમંથન કરી રહ્યું છે. પહેલા એવી વાત હતી કે પરેશ ધાનાણીને પરષોત્તમ રૂપાલા સામે ઉતારશે પણ પરેશ ભાઈએ તો ચૂંટણી લડવાનીના પાડી દીધી એટલે હવે કોણ? એ મોટો પ્રશ્ન હતો.. પણ હવે વાતો થઈ રહી છે કે હિતેશ વોરાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડાવશે! હિતેશ વોરા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે રાજકોટના સમીકરણો સમજીએ તો આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. જ્યારે પરષોતમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમરેલીમાં મોટું નામ છે તો ત્યાં કેમ ના લડ્યા? કેમ કે ખબર હતી ત્યાં માથું વધેરાઈ જશે..  


ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન 

હાલ પરષોત્તમ રૂપાલા ખૂબ ચર્ચામાં છે કારણ કે એમણે એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ માટે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયું છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો.  મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો અને એના પછી પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી પણ આ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ક્ષત્રિય સમાજના વોટ બદલી શકે છે. 


કોંગ્રેસ પણ રાજકોટ બેઠક પર ઉતારી શકે છે પાટીદાર ચહેરો

રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકમાં હાલ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ આઠ વિધાનસભા બેઠકો સામેલ છે. ગુજરાત વિધાનસભા 2022માં આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, જેનો ભાજપને લાભ મળી શકે છે. રાજકોટની બેઠક પર કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારિયા પણ કડવા પાટીદાર સમાજના નેતા હતા અને આ વખતના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ કડવા પાટીદાર અગ્રણી નેતા છે. 


હિતેશ વારોના નામની થઈ રહી છે ચર્ચા 

કોંગ્રેસે પણ ગત લોકસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા લલિત કગથરાને ટિકિટ આપી હતી, જો કે તેમનો પરાજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસ પરસોત્તમ રૂપાલા સામે કોઈ પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે તેવી વાત વચ્ચે નામ આવ્યું  હિતેશ વોરા અને જો આ બંને વચ્ચે જંગ થાય તો એ રસપ્રદ હશે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.