રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા છોડ ગાંજાના જ છે, FSL રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-07-31 19:07:09

ગુજરાતમાં નશાકારક દ્રવ્યોની તસ્કરી મોટી ચિંતાનો વિષય બન્યો છે, રાજ્યનું યુવા ધન માદક પદાર્થોનું સેવન કરીને બરબાદ થઈ રહ્યું છે. હવે વિદ્યાના ધામ ગણાતા યુનિવર્સિટી કેમ્પસમાં પણ નશાનું વેચાણ બેફામ રીતે વધી રહ્યું છે. રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત 13મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ FSLનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના PI જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ndps એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજોના છોડ મળી આવતા હડકંપ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવી ચૂકી છે.


23 જેટલા ગાંજાના છોડ મળ્યા હતા


રાજકોટના કુવાડવા પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, 13 મી એપ્રિલ 2023 ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનારા નીતિન ચૌહાણ દ્વારા મારવાડી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસ માંથી શંકાસ્પદ માદક પદાર્થના છોડ મળી આવેલા છે. તે બાબતની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો સાથે જ FSLના અધિકારી એસ.એચ ઉપાધ્યાયની પણ મદદ મેળવવામાં આવી હતી. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચામાં  પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષણ અર્થે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવતા પરીક્ષણમાં શંકાસ્પદ છોડવા ગાંજાના જ હોવાનું સામે આવ્યું છે. તેમજ ગાંધીનગર ખાતે થયેલા પરીક્ષણમાં છોડવામાં ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ, કેનાબીનોલ તેમજ તેના કેનાબીડીઓલ જેવા ઘટકોની માત્રા મળી આવી છે.

 
યુનિવર્સિટીની માન્યતા રદ કરો-NSUI


આ ઘટનાને પગલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ મારવાડી યુનિવર્સિટી સામે આકરા પ્રહારો કર્યા છે. આ યુનિવર્સિટી પર પ્રતબિંધ મૂકી તેની માન્યતા રદ કરવા પણ NSUIએ માગણી કરી છે. તેમજ આગામી દિવસોમાં આ યુનિવર્સિટીના માલિક સામે ફરિયાદ દાખલ કરવા પણ માગ કરી છે. તેમજ આ પ્રકારના કૃત્યથી અન્ય યુનિવર્સિટી માટે એક ઉદાહરણ રૂપે દાખલો પૂરો પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તેવી માગ ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી છે. તેમજ જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.