રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા છોડ ગાંજાના જ છે, FSL રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-07-31 19:07:09

ગુજરાતમાં નશાકારક દ્રવ્યોની તસ્કરી મોટી ચિંતાનો વિષય બન્યો છે, રાજ્યનું યુવા ધન માદક પદાર્થોનું સેવન કરીને બરબાદ થઈ રહ્યું છે. હવે વિદ્યાના ધામ ગણાતા યુનિવર્સિટી કેમ્પસમાં પણ નશાનું વેચાણ બેફામ રીતે વધી રહ્યું છે. રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત 13મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ FSLનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના PI જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ndps એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજોના છોડ મળી આવતા હડકંપ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવી ચૂકી છે.


23 જેટલા ગાંજાના છોડ મળ્યા હતા


રાજકોટના કુવાડવા પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, 13 મી એપ્રિલ 2023 ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનારા નીતિન ચૌહાણ દ્વારા મારવાડી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસ માંથી શંકાસ્પદ માદક પદાર્થના છોડ મળી આવેલા છે. તે બાબતની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો સાથે જ FSLના અધિકારી એસ.એચ ઉપાધ્યાયની પણ મદદ મેળવવામાં આવી હતી. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચામાં  પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષણ અર્થે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવતા પરીક્ષણમાં શંકાસ્પદ છોડવા ગાંજાના જ હોવાનું સામે આવ્યું છે. તેમજ ગાંધીનગર ખાતે થયેલા પરીક્ષણમાં છોડવામાં ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ, કેનાબીનોલ તેમજ તેના કેનાબીડીઓલ જેવા ઘટકોની માત્રા મળી આવી છે.

 
યુનિવર્સિટીની માન્યતા રદ કરો-NSUI


આ ઘટનાને પગલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ મારવાડી યુનિવર્સિટી સામે આકરા પ્રહારો કર્યા છે. આ યુનિવર્સિટી પર પ્રતબિંધ મૂકી તેની માન્યતા રદ કરવા પણ NSUIએ માગણી કરી છે. તેમજ આગામી દિવસોમાં આ યુનિવર્સિટીના માલિક સામે ફરિયાદ દાખલ કરવા પણ માગ કરી છે. તેમજ આ પ્રકારના કૃત્યથી અન્ય યુનિવર્સિટી માટે એક ઉદાહરણ રૂપે દાખલો પૂરો પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તેવી માગ ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી છે. તેમજ જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.