Rajkot : ગુમ થયેલી 8 વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા, ત્રણ લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-09 17:08:14

ગુજરાતને મહિલા માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ તે વાત હવે ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગે છે. મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આ વાત સામે આવતી હોય છે. દીકરી ઘરની બહાર નીકળતા પણ ડરે છે અથવા તો માતા પિતા પણ બહાર મોકલતા પહેલા દીકરીના સુરક્ષાને લઈ દસ વાર વિચાર કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી હતી. બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો અને તે બાદ પથ્થરોના માર ઝીંકવામાં આવ્યા હતા. પીંખાયેલી હાલતમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ડર હતો કે બાળકી ઘરે જઈને આ વાત પોતાના પિતાને કરશે. તેને લઈ બાળકીની હત્યા કરી નાખી તેવી જાણકારી આરોપીઓએ પોલીસને આપી હતી.

  

 

રાજકોટમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી પર 2 નરાધમોએ આચર્યું  દુષ્કર્મ – Jai Hind

રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ | Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

નાની ઉંમરે દીકરીઓ બને છે હવસનો શિકાર 

મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની બાળકીઓને હવસખોરો નથી છોડતા. જે બાળકીઓને દુષ્કર્મનો મતલબ પણ કદાચ ખબર નહીં હોય તેમની પર રેપ કરવામાં આવે છે. નાની ઉંમરની દીકરી લોકોના હવસનો ભોગ બની રહી છે. કોઈ વખત તો અંગત વ્યક્તિ જ બાળકી સાથે આવું કૃત્ય કરતા હોય છે. પરિવારના ઓળખીતા અથવા તો પિતાના મિત્રો જ દીકરીઓની આબરૂને લૂંટે છે. 

રાજકોટ: સગીરા સાથે દુષ્કર્મ બાદ લીધી સેલ્ફી, વાયરલ કરવાની ધમકી આપી વારંવાર  દુષ્કર્મ

8 વર્ષની બાળકી પર પહેલા થયું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર પહેલા ગેંગરેપ આચરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. પથ્થરથી માથું છૂંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીને પીંખી નાખી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારથી આ દુર્ઘટના સામે આવી હતી. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અને મૃતદેહ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા સુધી પહોંચવાની કોશિશ પોલીસે ત્વરીત શરૂ કરી. ત્યારે આ મામલે એવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાડોશી જ બાળકીને ઉઠાવી ગયા હતા તેવી માહિતી સામે આવી છે. પકડી પડાયેલા એક વ્યક્તિમાં બાળકીના પિતાનો મિત્ર પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી છે. 

12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ધરમના માનેલા મામાને આજીવન કેદ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

દીકરીના ઓળખીતા જ અનેક વખત કરતા હોય છે આવા કરતૂત!

મહત્વનું છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક દીકરીઓેએ વગર વાંકે ભોગવવાનો વારો આવે છે. જે ઉંમરે એમને ખબર પણ ન હોય કે તેમની સાથે થઈ શું રહ્યું છે તે ઉંમરે તેમની પર બળાત્કાર કરવામાં આવે છે અનેક નાની દીકરીઓ આનો ભોગ બની રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ જ ગયું છે પરંતુ ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગે છે. અનેક તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પિતા જ બાળકી પર દુષ્કર્મ આચરે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક પ્રશ્ન છે..    




મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.