Rajkot : ગુમ થયેલી 8 વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા, ત્રણ લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-09 17:08:14

ગુજરાતને મહિલા માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ તે વાત હવે ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગે છે. મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આ વાત સામે આવતી હોય છે. દીકરી ઘરની બહાર નીકળતા પણ ડરે છે અથવા તો માતા પિતા પણ બહાર મોકલતા પહેલા દીકરીના સુરક્ષાને લઈ દસ વાર વિચાર કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી હતી. બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો અને તે બાદ પથ્થરોના માર ઝીંકવામાં આવ્યા હતા. પીંખાયેલી હાલતમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ડર હતો કે બાળકી ઘરે જઈને આ વાત પોતાના પિતાને કરશે. તેને લઈ બાળકીની હત્યા કરી નાખી તેવી જાણકારી આરોપીઓએ પોલીસને આપી હતી.

  

 

રાજકોટમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી પર 2 નરાધમોએ આચર્યું  દુષ્કર્મ – Jai Hind

રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ | Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

નાની ઉંમરે દીકરીઓ બને છે હવસનો શિકાર 

મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની બાળકીઓને હવસખોરો નથી છોડતા. જે બાળકીઓને દુષ્કર્મનો મતલબ પણ કદાચ ખબર નહીં હોય તેમની પર રેપ કરવામાં આવે છે. નાની ઉંમરની દીકરી લોકોના હવસનો ભોગ બની રહી છે. કોઈ વખત તો અંગત વ્યક્તિ જ બાળકી સાથે આવું કૃત્ય કરતા હોય છે. પરિવારના ઓળખીતા અથવા તો પિતાના મિત્રો જ દીકરીઓની આબરૂને લૂંટે છે. 

રાજકોટ: સગીરા સાથે દુષ્કર્મ બાદ લીધી સેલ્ફી, વાયરલ કરવાની ધમકી આપી વારંવાર  દુષ્કર્મ

8 વર્ષની બાળકી પર પહેલા થયું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર પહેલા ગેંગરેપ આચરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. પથ્થરથી માથું છૂંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીને પીંખી નાખી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારથી આ દુર્ઘટના સામે આવી હતી. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અને મૃતદેહ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા સુધી પહોંચવાની કોશિશ પોલીસે ત્વરીત શરૂ કરી. ત્યારે આ મામલે એવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાડોશી જ બાળકીને ઉઠાવી ગયા હતા તેવી માહિતી સામે આવી છે. પકડી પડાયેલા એક વ્યક્તિમાં બાળકીના પિતાનો મિત્ર પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી છે. 

12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ધરમના માનેલા મામાને આજીવન કેદ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

દીકરીના ઓળખીતા જ અનેક વખત કરતા હોય છે આવા કરતૂત!

મહત્વનું છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક દીકરીઓેએ વગર વાંકે ભોગવવાનો વારો આવે છે. જે ઉંમરે એમને ખબર પણ ન હોય કે તેમની સાથે થઈ શું રહ્યું છે તે ઉંમરે તેમની પર બળાત્કાર કરવામાં આવે છે અનેક નાની દીકરીઓ આનો ભોગ બની રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ જ ગયું છે પરંતુ ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગે છે. અનેક તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પિતા જ બાળકી પર દુષ્કર્મ આચરે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક પ્રશ્ન છે..    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.