Rajkot : ગુમ થયેલી 8 વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા, ત્રણ લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-09 17:08:14

ગુજરાતને મહિલા માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ તે વાત હવે ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગે છે. મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આ વાત સામે આવતી હોય છે. દીકરી ઘરની બહાર નીકળતા પણ ડરે છે અથવા તો માતા પિતા પણ બહાર મોકલતા પહેલા દીકરીના સુરક્ષાને લઈ દસ વાર વિચાર કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી હતી. બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો અને તે બાદ પથ્થરોના માર ઝીંકવામાં આવ્યા હતા. પીંખાયેલી હાલતમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ડર હતો કે બાળકી ઘરે જઈને આ વાત પોતાના પિતાને કરશે. તેને લઈ બાળકીની હત્યા કરી નાખી તેવી જાણકારી આરોપીઓએ પોલીસને આપી હતી.

  

 

રાજકોટમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી પર 2 નરાધમોએ આચર્યું  દુષ્કર્મ – Jai Hind

રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ | Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

નાની ઉંમરે દીકરીઓ બને છે હવસનો શિકાર 

મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની બાળકીઓને હવસખોરો નથી છોડતા. જે બાળકીઓને દુષ્કર્મનો મતલબ પણ કદાચ ખબર નહીં હોય તેમની પર રેપ કરવામાં આવે છે. નાની ઉંમરની દીકરી લોકોના હવસનો ભોગ બની રહી છે. કોઈ વખત તો અંગત વ્યક્તિ જ બાળકી સાથે આવું કૃત્ય કરતા હોય છે. પરિવારના ઓળખીતા અથવા તો પિતાના મિત્રો જ દીકરીઓની આબરૂને લૂંટે છે. 

રાજકોટ: સગીરા સાથે દુષ્કર્મ બાદ લીધી સેલ્ફી, વાયરલ કરવાની ધમકી આપી વારંવાર  દુષ્કર્મ

8 વર્ષની બાળકી પર પહેલા થયું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર પહેલા ગેંગરેપ આચરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. પથ્થરથી માથું છૂંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીને પીંખી નાખી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારથી આ દુર્ઘટના સામે આવી હતી. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અને મૃતદેહ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા સુધી પહોંચવાની કોશિશ પોલીસે ત્વરીત શરૂ કરી. ત્યારે આ મામલે એવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાડોશી જ બાળકીને ઉઠાવી ગયા હતા તેવી માહિતી સામે આવી છે. પકડી પડાયેલા એક વ્યક્તિમાં બાળકીના પિતાનો મિત્ર પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી છે. 

12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ધરમના માનેલા મામાને આજીવન કેદ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

દીકરીના ઓળખીતા જ અનેક વખત કરતા હોય છે આવા કરતૂત!

મહત્વનું છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક દીકરીઓેએ વગર વાંકે ભોગવવાનો વારો આવે છે. જે ઉંમરે એમને ખબર પણ ન હોય કે તેમની સાથે થઈ શું રહ્યું છે તે ઉંમરે તેમની પર બળાત્કાર કરવામાં આવે છે અનેક નાની દીકરીઓ આનો ભોગ બની રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ જ ગયું છે પરંતુ ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગે છે. અનેક તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પિતા જ બાળકી પર દુષ્કર્મ આચરે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક પ્રશ્ન છે..    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.