Rajkot : ગુમ થયેલી 8 વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા, ત્રણ લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-09 17:08:14

ગુજરાતને મહિલા માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ તે વાત હવે ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગે છે. મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આ વાત સામે આવતી હોય છે. દીકરી ઘરની બહાર નીકળતા પણ ડરે છે અથવા તો માતા પિતા પણ બહાર મોકલતા પહેલા દીકરીના સુરક્ષાને લઈ દસ વાર વિચાર કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી હતી. બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો અને તે બાદ પથ્થરોના માર ઝીંકવામાં આવ્યા હતા. પીંખાયેલી હાલતમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ડર હતો કે બાળકી ઘરે જઈને આ વાત પોતાના પિતાને કરશે. તેને લઈ બાળકીની હત્યા કરી નાખી તેવી જાણકારી આરોપીઓએ પોલીસને આપી હતી.

  

 

રાજકોટમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી પર 2 નરાધમોએ આચર્યું  દુષ્કર્મ – Jai Hind

રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ | Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

નાની ઉંમરે દીકરીઓ બને છે હવસનો શિકાર 

મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની બાળકીઓને હવસખોરો નથી છોડતા. જે બાળકીઓને દુષ્કર્મનો મતલબ પણ કદાચ ખબર નહીં હોય તેમની પર રેપ કરવામાં આવે છે. નાની ઉંમરની દીકરી લોકોના હવસનો ભોગ બની રહી છે. કોઈ વખત તો અંગત વ્યક્તિ જ બાળકી સાથે આવું કૃત્ય કરતા હોય છે. પરિવારના ઓળખીતા અથવા તો પિતાના મિત્રો જ દીકરીઓની આબરૂને લૂંટે છે. 

રાજકોટ: સગીરા સાથે દુષ્કર્મ બાદ લીધી સેલ્ફી, વાયરલ કરવાની ધમકી આપી વારંવાર  દુષ્કર્મ

8 વર્ષની બાળકી પર પહેલા થયું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર પહેલા ગેંગરેપ આચરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. પથ્થરથી માથું છૂંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીને પીંખી નાખી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારથી આ દુર્ઘટના સામે આવી હતી. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અને મૃતદેહ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા સુધી પહોંચવાની કોશિશ પોલીસે ત્વરીત શરૂ કરી. ત્યારે આ મામલે એવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાડોશી જ બાળકીને ઉઠાવી ગયા હતા તેવી માહિતી સામે આવી છે. પકડી પડાયેલા એક વ્યક્તિમાં બાળકીના પિતાનો મિત્ર પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી છે. 

12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ધરમના માનેલા મામાને આજીવન કેદ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

દીકરીના ઓળખીતા જ અનેક વખત કરતા હોય છે આવા કરતૂત!

મહત્વનું છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક દીકરીઓેએ વગર વાંકે ભોગવવાનો વારો આવે છે. જે ઉંમરે એમને ખબર પણ ન હોય કે તેમની સાથે થઈ શું રહ્યું છે તે ઉંમરે તેમની પર બળાત્કાર કરવામાં આવે છે અનેક નાની દીકરીઓ આનો ભોગ બની રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ જ ગયું છે પરંતુ ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગે છે. અનેક તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પિતા જ બાળકી પર દુષ્કર્મ આચરે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક પ્રશ્ન છે..    




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.