Rajkot : અગ્નિકાંડના પીડિતોથી ઘેરાયા Parshottam Rupala!, જ્યારે તેમને પૂછવામાં આવ્યું આટલો સમય ક્યાં હતા તો તેમણે જવાબ આપ્યો કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 16:59:20

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. હજી સુધી અનેક પરિવારોને પોતાના સ્વજનોનો મૃતદેહ નથી મળ્યો. મૃતદેહો માટે લોકો તડપી રહ્યા છે. શનિવારે બનેલી ઘટના મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ પરષોત્તમ રૂપાલા (રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ક્યાં ખોવાઈ ગયા તેવા સવાલો અનેક વખત ઉઠ્યા.. ત્યારે ઘટનાને આટલા દિવસો વિતી ગયા પછી પરષોત્તમ રૂપાલા દેખાયા.. રાજકોટની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેમને મૃતકના પરિવારજનોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો

સિવિલ હોસ્પિટલની પરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે અને હવે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે.. 27 જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ.. મૃતકોના પરિવાર કલ્પાંત કરી રહ્યા છે. અનેક વખત સવાલ ઉઠ્યો કે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આખી ઘટનામાં ક્યાંય ના દેખાયા. ઘટના બની તે બાદ એક વખત પણ તે દેખાયા ના હતા જેને કારણે અનેક સવાલો ઉઠ્યા. ત્યારે  આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પરષોત્તમ રૂપાલાએ લીધી હતી. ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ પૂછ્યું કે આટલા સમય સુધી ક્યાં હતા?



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછ્યું કે... 

સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરષોત્તમ રૂપાલાને ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતા.. પરષોત્તમ રૂપાલાએ પીએમ રૂમની મુલાકાત લીધી અને તે બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી.. રૂપાલાને સવાલ કરવામાં આવ્યો કે આટલા સમય સુધી તે ક્યાં હતા? જવાબમાં તેમણે કહ્યું કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. 



શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?

લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે. સિવિલ ખાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાનો મૃતકોના પરિવારજનો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... મહત્વનું છે ઘટના ઘટે 72 કલાક જેટલો સમય વિતી ગયો છે અને આટલા સમય બાદ પરષોત્તમ રૂપાલા હાજર થયા છે.. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.