Rajkot : અગ્નિકાંડના પીડિતોથી ઘેરાયા Parshottam Rupala!, જ્યારે તેમને પૂછવામાં આવ્યું આટલો સમય ક્યાં હતા તો તેમણે જવાબ આપ્યો કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 16:59:20

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. હજી સુધી અનેક પરિવારોને પોતાના સ્વજનોનો મૃતદેહ નથી મળ્યો. મૃતદેહો માટે લોકો તડપી રહ્યા છે. શનિવારે બનેલી ઘટના મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ પરષોત્તમ રૂપાલા (રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ક્યાં ખોવાઈ ગયા તેવા સવાલો અનેક વખત ઉઠ્યા.. ત્યારે ઘટનાને આટલા દિવસો વિતી ગયા પછી પરષોત્તમ રૂપાલા દેખાયા.. રાજકોટની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેમને મૃતકના પરિવારજનોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો

સિવિલ હોસ્પિટલની પરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે અને હવે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે.. 27 જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ.. મૃતકોના પરિવાર કલ્પાંત કરી રહ્યા છે. અનેક વખત સવાલ ઉઠ્યો કે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આખી ઘટનામાં ક્યાંય ના દેખાયા. ઘટના બની તે બાદ એક વખત પણ તે દેખાયા ના હતા જેને કારણે અનેક સવાલો ઉઠ્યા. ત્યારે  આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પરષોત્તમ રૂપાલાએ લીધી હતી. ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ પૂછ્યું કે આટલા સમય સુધી ક્યાં હતા?



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછ્યું કે... 

સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરષોત્તમ રૂપાલાને ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતા.. પરષોત્તમ રૂપાલાએ પીએમ રૂમની મુલાકાત લીધી અને તે બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી.. રૂપાલાને સવાલ કરવામાં આવ્યો કે આટલા સમય સુધી તે ક્યાં હતા? જવાબમાં તેમણે કહ્યું કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. 



શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?

લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે. સિવિલ ખાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાનો મૃતકોના પરિવારજનો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... મહત્વનું છે ઘટના ઘટે 72 કલાક જેટલો સમય વિતી ગયો છે અને આટલા સમય બાદ પરષોત્તમ રૂપાલા હાજર થયા છે.. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.