Rajkot : અગ્નિકાંડના પીડિતોથી ઘેરાયા Parshottam Rupala!, જ્યારે તેમને પૂછવામાં આવ્યું આટલો સમય ક્યાં હતા તો તેમણે જવાબ આપ્યો કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 16:59:20

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. હજી સુધી અનેક પરિવારોને પોતાના સ્વજનોનો મૃતદેહ નથી મળ્યો. મૃતદેહો માટે લોકો તડપી રહ્યા છે. શનિવારે બનેલી ઘટના મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ પરષોત્તમ રૂપાલા (રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ક્યાં ખોવાઈ ગયા તેવા સવાલો અનેક વખત ઉઠ્યા.. ત્યારે ઘટનાને આટલા દિવસો વિતી ગયા પછી પરષોત્તમ રૂપાલા દેખાયા.. રાજકોટની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેમને મૃતકના પરિવારજનોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો

સિવિલ હોસ્પિટલની પરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે અને હવે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે.. 27 જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ.. મૃતકોના પરિવાર કલ્પાંત કરી રહ્યા છે. અનેક વખત સવાલ ઉઠ્યો કે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આખી ઘટનામાં ક્યાંય ના દેખાયા. ઘટના બની તે બાદ એક વખત પણ તે દેખાયા ના હતા જેને કારણે અનેક સવાલો ઉઠ્યા. ત્યારે  આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પરષોત્તમ રૂપાલાએ લીધી હતી. ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ પૂછ્યું કે આટલા સમય સુધી ક્યાં હતા?



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછ્યું કે... 

સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરષોત્તમ રૂપાલાને ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતા.. પરષોત્તમ રૂપાલાએ પીએમ રૂમની મુલાકાત લીધી અને તે બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી.. રૂપાલાને સવાલ કરવામાં આવ્યો કે આટલા સમય સુધી તે ક્યાં હતા? જવાબમાં તેમણે કહ્યું કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. 



શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?

લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે. સિવિલ ખાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાનો મૃતકોના પરિવારજનો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... મહત્વનું છે ઘટના ઘટે 72 કલાક જેટલો સમય વિતી ગયો છે અને આટલા સમય બાદ પરષોત્તમ રૂપાલા હાજર થયા છે.. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.