રાજકોટ પોલીસે માર્યો યુ-ટર્ન, નિર્ણયમાં કર્યો ફેરફાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:09:46

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતા રાજકોટ પોલીસે આ પરિપત્ર પરત ખેંચી લીધો છે. જે બાદ હવે 12 વાગ્યા સુધી સ્પિકર વગાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પોલીસના નિર્ણયનો વિરોધ થતા, ગરબા આયજકો સાથે પોલીસે બેઠક કરી હતી જે બાદ આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.


રાજકોટ પોલીસે પરત લીધો પોતાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા 10 વાગ્યા સુધીની પરમિશન અપાતા ખેલૈયાઓ નારાજ જોવા મળ્યા હતા. જે બાદ હવે રાજકોટ પોલીસે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપી છે.

મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા ગાશું, પણ પરંપરા જાળવી રાખવા નવરાત્રીમાં  માતાજીની આરાધના કરીશું ' | The organizers of the ancient Garbi said, "If  you don't allow it, we will sing


ખેલૈયાઓમાં જાગ્યો ઉત્સાહ

રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબા સંચાલકો સાથે બેઠક કરી હતી જે બાદ પોલીસે પોતાનો નિર્ણય પરત લીધો છે. નિર્ણયમાં ફેરફાર થયા બાદ ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી જાગ્યો છે. 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી મળતા ગરબા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.  


આ વખતે પોલીસે લીધો યુ-ટર્ન

રાજ્ય સરકાર અનેક વખત કાયદો બહાર પાડી લોકો દ્વારા વિરોધ કરાતા કાયદો પરત લઈ લેતી હોય છે. અનેક કાયદા એવા છે જેને લાગુ કરાયાના અમુક દિવસો બાદ પરત ખેંચી લેવાયા છે. ત્યારે રાજકોટ પોલીસે પણ પોતાના નિર્ણયને તરત બદલી લીધો છે. જેને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્ણય પરત ખેંચાતા ખેલૈયાઓનાં આનંદમાં વધારો થયો છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે