રાજકોટ પોલીસે માર્યો યુ-ટર્ન, નિર્ણયમાં કર્યો ફેરફાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:09:46

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતા રાજકોટ પોલીસે આ પરિપત્ર પરત ખેંચી લીધો છે. જે બાદ હવે 12 વાગ્યા સુધી સ્પિકર વગાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પોલીસના નિર્ણયનો વિરોધ થતા, ગરબા આયજકો સાથે પોલીસે બેઠક કરી હતી જે બાદ આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.


રાજકોટ પોલીસે પરત લીધો પોતાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા 10 વાગ્યા સુધીની પરમિશન અપાતા ખેલૈયાઓ નારાજ જોવા મળ્યા હતા. જે બાદ હવે રાજકોટ પોલીસે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપી છે.

મંજૂરી નહીં આપે તો બેઠા ગરબા ગાશું, પણ પરંપરા જાળવી રાખવા નવરાત્રીમાં  માતાજીની આરાધના કરીશું ' | The organizers of the ancient Garbi said, "If  you don't allow it, we will sing


ખેલૈયાઓમાં જાગ્યો ઉત્સાહ

રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબા સંચાલકો સાથે બેઠક કરી હતી જે બાદ પોલીસે પોતાનો નિર્ણય પરત લીધો છે. નિર્ણયમાં ફેરફાર થયા બાદ ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી જાગ્યો છે. 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી મળતા ગરબા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.  


આ વખતે પોલીસે લીધો યુ-ટર્ન

રાજ્ય સરકાર અનેક વખત કાયદો બહાર પાડી લોકો દ્વારા વિરોધ કરાતા કાયદો પરત લઈ લેતી હોય છે. અનેક કાયદા એવા છે જેને લાગુ કરાયાના અમુક દિવસો બાદ પરત ખેંચી લેવાયા છે. ત્યારે રાજકોટ પોલીસે પણ પોતાના નિર્ણયને તરત બદલી લીધો છે. જેને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્ણય પરત ખેંચાતા ખેલૈયાઓનાં આનંદમાં વધારો થયો છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.