Rajkot : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર! તે માાર્ગ પર લાગ્યા જ્યાંથી રેલી થવાની છે પસાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-06 12:52:03

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થાય તેવું લાગતું નથી... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યું છે. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની આજે બેઠક મળવાની છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! 

Image

અમદાવાદમાં મળી હતી ભાજપના નેતા અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે...ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. આ વિવાદ શાંત થાય તે માટે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક થઈ હતી પરંતુ આ વિવાદ શાંત ના થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો જેમાં ક્ષત્રાણીયોએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. મહેંદી પણ લગાવી હતી અને આજે પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્ષત્રાણીઓ તૈયાર દેખાઈ હતી. મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે.  


રાજકોટમાં લાગ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર!

રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે, મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ બધા વચ્ચે અનેક પોસ્ટરના ફોટો સામે આવી રહ્યા છે જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! એવી પણ માહિતી સામે આવી છે કે જે રસ્તા પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે રસ્તા પર આવા પોસ્ટર લાગ્યા છે... ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવા પોસ્ટરો લાગતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.... 



પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે.... 

વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે હું ચુંટણીનું ફોર્મ ભરવા જાવ એટલે તમારે બધાએ આવવાનું છે. એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે. મહત્વનું છે કે સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના આવા નિવેદનથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા અને હવે આ પ્રકારના પોસ્ટરો લાગ્યા!    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.