Rajkot : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર! તે માાર્ગ પર લાગ્યા જ્યાંથી રેલી થવાની છે પસાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-06 12:52:03

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થાય તેવું લાગતું નથી... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યું છે. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની આજે બેઠક મળવાની છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! 

Image

અમદાવાદમાં મળી હતી ભાજપના નેતા અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે...ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. આ વિવાદ શાંત થાય તે માટે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક થઈ હતી પરંતુ આ વિવાદ શાંત ના થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો જેમાં ક્ષત્રાણીયોએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. મહેંદી પણ લગાવી હતી અને આજે પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્ષત્રાણીઓ તૈયાર દેખાઈ હતી. મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે.  


રાજકોટમાં લાગ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર!

રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે, મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ બધા વચ્ચે અનેક પોસ્ટરના ફોટો સામે આવી રહ્યા છે જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! એવી પણ માહિતી સામે આવી છે કે જે રસ્તા પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે રસ્તા પર આવા પોસ્ટર લાગ્યા છે... ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવા પોસ્ટરો લાગતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.... 



પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે.... 

વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે હું ચુંટણીનું ફોર્મ ભરવા જાવ એટલે તમારે બધાએ આવવાનું છે. એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે. મહત્વનું છે કે સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના આવા નિવેદનથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા અને હવે આ પ્રકારના પોસ્ટરો લાગ્યા!    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."