Rajkot : આચાર સંહિતા ભંગ બદલ Parshottam Rupalaના સમર્થનમાં લાગેલા પોસ્ટર હટાવાયા! પોસ્ટરમાં લખ્યું હતું - હું નરેન્દ્ર મોદી..... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-05 16:30:08

રાજકોટ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરષોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે જેને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે રાજકોટના અનેક વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં  આવ્યા જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા ગળે મળતા હોય... મહત્વનું છે કે સવાર પડતા પોસ્ટરોને વહીવટી તંત્ર દ્વારા હટાવાઈ દેવામાં આવ્યા છે.   


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારનો. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ઉમેદવારના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવારને લઈ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આ બધા વચ્ચે  રૂપાલા અને મોદી એકબીજાને ગળે મળતા હોય તે પ્રકારના ફોટાવાળા અને ‘હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રૂપાલા સાથે છું’ લખાણવાળા બેનર શહેરની અંબિકા ટાઉનશિપમાં લગાવાયા હતા. 

તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા પોસ્ટર 

જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટરો સવાર સુધીમાં હટાવાઈ દેવામાં આવ્યા હતા. સવારે આ બેનરો રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનરો દૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઈ. ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ તે પહેલા સી.આર.પાટીલના ઘરે મુખ્યમંત્રી તેમજ ભાજપના અનેક નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. 



અમદાવાદમાં મળી હતી બેઠક!

બેઠક બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તે બાદ તેમણે ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી. તે બાદ બીજા દિવસે ભાજપના નેતાઓ અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. એ બેઠક બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ જશે પરંતુ તે વિવાદનો અંત આવ્યો ન હતો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે