રાજકોટ – સિંગતેલના ભાવમાં ધરખમ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:24:08

મોંઘવારી સતત વધી રહી છે ત્યારે રાજકોટની ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે. રોજકોટમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. એક સાથે 40 રૂપિયાનો વધારો થતા 15 કિલ્લોના ડબ્બાનો ભાવ 2940 એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં તો સિંગતેલનો ભાવ 3000ની સપાટીને વટાવી ચુક્યો છે.

ખાદ્ય તેલના ભાવ વધતા મહિલાઓ પરેશાન

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અનેક વર્ષો કરતા આ વર્ષે આશરે 50 ટકા જેટલું વધ્યું છે તો બીજી તરફ રાજકોટમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 15 કિલ્લોના ડબ્બા પર 40 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 2940 થઈ ગયો છે. મગફળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં તેલના ડબ્બામાં સતત ભાવ વધારો થઈ રહ્યા છે. જેને લઈ મહિલાઓની ચિંતામાં વધારો થયો છે.

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ |  Business News in Gujarati

સિંગતેલ ઉપરાંત સનફ્લાવર તેમજ પામતેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મગફળી ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સતત વધતી મોંઘવારી

મોંઘવારી દિવસેને દિવસ વધતી જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક વેપારીનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી હોવાને કારણે તેલના ભાવ સતત વધી રહ્યા છે તેવું વેપારીઓનું માનવું છે. લોકોએ હજુ પણ મોંઘવારીનો માર સહન કરવો પડશે તેવું લાગે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.