રાજકોટ – સિંગતેલના ભાવમાં ધરખમ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:24:08

મોંઘવારી સતત વધી રહી છે ત્યારે રાજકોટની ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે. રોજકોટમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. એક સાથે 40 રૂપિયાનો વધારો થતા 15 કિલ્લોના ડબ્બાનો ભાવ 2940 એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં તો સિંગતેલનો ભાવ 3000ની સપાટીને વટાવી ચુક્યો છે.

ખાદ્ય તેલના ભાવ વધતા મહિલાઓ પરેશાન

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અનેક વર્ષો કરતા આ વર્ષે આશરે 50 ટકા જેટલું વધ્યું છે તો બીજી તરફ રાજકોટમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 15 કિલ્લોના ડબ્બા પર 40 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 2940 થઈ ગયો છે. મગફળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં તેલના ડબ્બામાં સતત ભાવ વધારો થઈ રહ્યા છે. જેને લઈ મહિલાઓની ચિંતામાં વધારો થયો છે.

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ |  Business News in Gujarati

સિંગતેલ ઉપરાંત સનફ્લાવર તેમજ પામતેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મગફળી ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સતત વધતી મોંઘવારી

મોંઘવારી દિવસેને દિવસ વધતી જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક વેપારીનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી હોવાને કારણે તેલના ભાવ સતત વધી રહ્યા છે તેવું વેપારીઓનું માનવું છે. લોકોએ હજુ પણ મોંઘવારીનો માર સહન કરવો પડશે તેવું લાગે છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.