રાજકોટ – સિંગતેલના ભાવમાં ધરખમ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:24:08

મોંઘવારી સતત વધી રહી છે ત્યારે રાજકોટની ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે. રોજકોટમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. એક સાથે 40 રૂપિયાનો વધારો થતા 15 કિલ્લોના ડબ્બાનો ભાવ 2940 એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં તો સિંગતેલનો ભાવ 3000ની સપાટીને વટાવી ચુક્યો છે.

ખાદ્ય તેલના ભાવ વધતા મહિલાઓ પરેશાન

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અનેક વર્ષો કરતા આ વર્ષે આશરે 50 ટકા જેટલું વધ્યું છે તો બીજી તરફ રાજકોટમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 15 કિલ્લોના ડબ્બા પર 40 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 2940 થઈ ગયો છે. મગફળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં તેલના ડબ્બામાં સતત ભાવ વધારો થઈ રહ્યા છે. જેને લઈ મહિલાઓની ચિંતામાં વધારો થયો છે.

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ |  Business News in Gujarati

સિંગતેલ ઉપરાંત સનફ્લાવર તેમજ પામતેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મગફળી ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સતત વધતી મોંઘવારી

મોંઘવારી દિવસેને દિવસ વધતી જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક વેપારીનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી હોવાને કારણે તેલના ભાવ સતત વધી રહ્યા છે તેવું વેપારીઓનું માનવું છે. લોકોએ હજુ પણ મોંઘવારીનો માર સહન કરવો પડશે તેવું લાગે છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .