રેન્જ IG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત પછી તંત્ર એક્શનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-26 20:58:18

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

गुजरात: जवानों के साथ समंदर में नहा रहे थे SP, तेज लहर में बहते-बहते बचे -  gujarat news amreli sp nirlipt rai survived drowning into sea in jafrabad -  AajTak

SMCના IPS અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના IG તરીકે નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ૧ અને ૨જી એપ્રિલે વ્યાજખોરોના આતંકની સામે એક લોકદરબાર યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં , રેન્જ IG નિર્લિપ્ત રાય પોતે પીડિતોની મુલાકાત લેશે. થોડાક સમય અગાઉ , રાજકોટ રેન્જના IG નિલિપ્ત રાય દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રેન્જ IGની મુલાકાતના બે જ કલાકની અંદર વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ૭૨ જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે પટ્ટણી વાડ અને ખાટકી વાડ વિસ્તારમાં ગેરકાયદેસર બાન્ધકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી , રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ પછી , પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પછી , મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

વાત કરીએ , જામનગરના ખાટકીવાડની તો ત્યાં , કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૩૬ જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઇ રહ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહી વચ્ચે , સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  IPS અધિકારી નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. જામનગરની મુલાકાત લેતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે.




અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.