રેન્જ IG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત પછી તંત્ર એક્શનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-26 20:58:18

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

गुजरात: जवानों के साथ समंदर में नहा रहे थे SP, तेज लहर में बहते-बहते बचे -  gujarat news amreli sp nirlipt rai survived drowning into sea in jafrabad -  AajTak

SMCના IPS અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના IG તરીકે નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ૧ અને ૨જી એપ્રિલે વ્યાજખોરોના આતંકની સામે એક લોકદરબાર યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં , રેન્જ IG નિર્લિપ્ત રાય પોતે પીડિતોની મુલાકાત લેશે. થોડાક સમય અગાઉ , રાજકોટ રેન્જના IG નિલિપ્ત રાય દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રેન્જ IGની મુલાકાતના બે જ કલાકની અંદર વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ૭૨ જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે પટ્ટણી વાડ અને ખાટકી વાડ વિસ્તારમાં ગેરકાયદેસર બાન્ધકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી , રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ પછી , પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પછી , મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

વાત કરીએ , જામનગરના ખાટકીવાડની તો ત્યાં , કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૩૬ જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઇ રહ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહી વચ્ચે , સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  IPS અધિકારી નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. જામનગરની મુલાકાત લેતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે.




તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.