રેન્જ IG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત પછી તંત્ર એક્શનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-26 20:58:18

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

गुजरात: जवानों के साथ समंदर में नहा रहे थे SP, तेज लहर में बहते-बहते बचे -  gujarat news amreli sp nirlipt rai survived drowning into sea in jafrabad -  AajTak

SMCના IPS અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના IG તરીકે નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ૧ અને ૨જી એપ્રિલે વ્યાજખોરોના આતંકની સામે એક લોકદરબાર યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં , રેન્જ IG નિર્લિપ્ત રાય પોતે પીડિતોની મુલાકાત લેશે. થોડાક સમય અગાઉ , રાજકોટ રેન્જના IG નિલિપ્ત રાય દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રેન્જ IGની મુલાકાતના બે જ કલાકની અંદર વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ૭૨ જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે પટ્ટણી વાડ અને ખાટકી વાડ વિસ્તારમાં ગેરકાયદેસર બાન્ધકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી , રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ પછી , પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પછી , મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

વાત કરીએ , જામનગરના ખાટકીવાડની તો ત્યાં , કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૩૬ જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઇ રહ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહી વચ્ચે , સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  IPS અધિકારી નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. જામનગરની મુલાકાત લેતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે.




ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.