રેન્જ IG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત પછી તંત્ર એક્શનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-26 20:58:18

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

गुजरात: जवानों के साथ समंदर में नहा रहे थे SP, तेज लहर में बहते-बहते बचे -  gujarat news amreli sp nirlipt rai survived drowning into sea in jafrabad -  AajTak

SMCના IPS અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના IG તરીકે નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ૧ અને ૨જી એપ્રિલે વ્યાજખોરોના આતંકની સામે એક લોકદરબાર યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં , રેન્જ IG નિર્લિપ્ત રાય પોતે પીડિતોની મુલાકાત લેશે. થોડાક સમય અગાઉ , રાજકોટ રેન્જના IG નિલિપ્ત રાય દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રેન્જ IGની મુલાકાતના બે જ કલાકની અંદર વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ૭૨ જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે પટ્ટણી વાડ અને ખાટકી વાડ વિસ્તારમાં ગેરકાયદેસર બાન્ધકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી , રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ પછી , પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પછી , મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

વાત કરીએ , જામનગરના ખાટકીવાડની તો ત્યાં , કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૩૬ જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઇ રહ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહી વચ્ચે , સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  IPS અધિકારી નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. જામનગરની મુલાકાત લેતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.