Rajkot : ભ્રષ્ટ અધિકારી પર ભડક્યા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા? ટકોર કરતા વજુભાઈએ શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-06-21 17:17:01

ભ્રષ્ટચારનો સડો આપણી સિસ્ટમમાં ઘૂસી ગયો છે. ભ્રષ્ટાચાર થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે.. થોડા પૈસા કમાવાની લાલચમાં મોટા પદ પર બેઠેલા લોકો અનેક વખત બીજાની જીંદગીને જોખમમાં મૂકતા હોય છે. ભ્રષ્ટાચાર સામે અનેક નેતાઓ, ધારાસભ્યો બોલી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે.

ભાજપના જ નેતાઓ કરે છે સરકારને સવાલ!

છેલ્લા થોડા સમયથી ભાજપના જ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું લાગે છે. નેતાઓ જાણે પોતાની જ સરકારને સવાલ કરતા હોય તેવું લાગે છે. અનેક ઉદાહરણો આપણી સામે જ છે જેમાં તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર સામે સવાલ કરવામાં આવી રહ્યો હોય.. આ બધા વચ્ચે આજે વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓ ધારાસભ્યોનું નથી માનતા, નથી ગાંઠતા તેવી વાતો આપણી સામે આવી છે.. 



શું કહ્યું વજુભાઈ વાળાએ? 

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય. ૉગામ આખું લે છે એટલે આપણે પણ લ્યો એવું થઈ ગયું છે આવું જાહેરમાં જ્યારે વજુભાઈ વાળા જેવા નેતા કહે ત્યારે સરકારે આ મામલે વિચાર કરવો જોઈએ..



રાજકોટ અગ્નિકાંડ મામલે પણ વજુભાઈ વાળાએ આપી હતી પ્રતિક્રિયા

આ પહેલા વજુભાઈ વાળાએ જ્યારે રાજકોટમાં અગ્નિ કાંડ થયો ત્યારે પણ અધિકારીઓની મિલીભગતની વાત કરી હતી સાથે જ  ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.એ ખૂલીને બોલ્યા હતા કે આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી.


જો આટલા સિનિયર નેતા આવું નિવેદન આપે છે તો... 

વજુભાઈ વાળા ખૂબ જૂના નેતા છે અને સિસ્ટમમાં રહેલા નેતા છે એમની કાઠીયાવાડથી કર્ણાટકની સફરમાં તેમણે અલગ અલગ પદ પર રહ્યા છે. એમની રાજકીય કારકીર્દિ  પણ ખૂબ રસપ્રદ રહી છે ત્યારે વજુભાઈ વાળા અધિકારીઓ માટે સતત આ કહે છે તો સરકારની આંખ ઉઘડવી જોઈએ.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.