Rajkot : ભ્રષ્ટ અધિકારી પર ભડક્યા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા? ટકોર કરતા વજુભાઈએ શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-06-21 17:17:01

ભ્રષ્ટચારનો સડો આપણી સિસ્ટમમાં ઘૂસી ગયો છે. ભ્રષ્ટાચાર થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે.. થોડા પૈસા કમાવાની લાલચમાં મોટા પદ પર બેઠેલા લોકો અનેક વખત બીજાની જીંદગીને જોખમમાં મૂકતા હોય છે. ભ્રષ્ટાચાર સામે અનેક નેતાઓ, ધારાસભ્યો બોલી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે.

ભાજપના જ નેતાઓ કરે છે સરકારને સવાલ!

છેલ્લા થોડા સમયથી ભાજપના જ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું લાગે છે. નેતાઓ જાણે પોતાની જ સરકારને સવાલ કરતા હોય તેવું લાગે છે. અનેક ઉદાહરણો આપણી સામે જ છે જેમાં તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર સામે સવાલ કરવામાં આવી રહ્યો હોય.. આ બધા વચ્ચે આજે વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓ ધારાસભ્યોનું નથી માનતા, નથી ગાંઠતા તેવી વાતો આપણી સામે આવી છે.. 



શું કહ્યું વજુભાઈ વાળાએ? 

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય. ૉગામ આખું લે છે એટલે આપણે પણ લ્યો એવું થઈ ગયું છે આવું જાહેરમાં જ્યારે વજુભાઈ વાળા જેવા નેતા કહે ત્યારે સરકારે આ મામલે વિચાર કરવો જોઈએ..



રાજકોટ અગ્નિકાંડ મામલે પણ વજુભાઈ વાળાએ આપી હતી પ્રતિક્રિયા

આ પહેલા વજુભાઈ વાળાએ જ્યારે રાજકોટમાં અગ્નિ કાંડ થયો ત્યારે પણ અધિકારીઓની મિલીભગતની વાત કરી હતી સાથે જ  ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.એ ખૂલીને બોલ્યા હતા કે આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી.


જો આટલા સિનિયર નેતા આવું નિવેદન આપે છે તો... 

વજુભાઈ વાળા ખૂબ જૂના નેતા છે અને સિસ્ટમમાં રહેલા નેતા છે એમની કાઠીયાવાડથી કર્ણાટકની સફરમાં તેમણે અલગ અલગ પદ પર રહ્યા છે. એમની રાજકીય કારકીર્દિ  પણ ખૂબ રસપ્રદ રહી છે ત્યારે વજુભાઈ વાળા અધિકારીઓ માટે સતત આ કહે છે તો સરકારની આંખ ઉઘડવી જોઈએ.   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.