Rajkot : ભ્રષ્ટ અધિકારી પર ભડક્યા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા? ટકોર કરતા વજુભાઈએ શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-06-21 17:17:01

ભ્રષ્ટચારનો સડો આપણી સિસ્ટમમાં ઘૂસી ગયો છે. ભ્રષ્ટાચાર થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે.. થોડા પૈસા કમાવાની લાલચમાં મોટા પદ પર બેઠેલા લોકો અનેક વખત બીજાની જીંદગીને જોખમમાં મૂકતા હોય છે. ભ્રષ્ટાચાર સામે અનેક નેતાઓ, ધારાસભ્યો બોલી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે.

ભાજપના જ નેતાઓ કરે છે સરકારને સવાલ!

છેલ્લા થોડા સમયથી ભાજપના જ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું લાગે છે. નેતાઓ જાણે પોતાની જ સરકારને સવાલ કરતા હોય તેવું લાગે છે. અનેક ઉદાહરણો આપણી સામે જ છે જેમાં તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર સામે સવાલ કરવામાં આવી રહ્યો હોય.. આ બધા વચ્ચે આજે વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓ ધારાસભ્યોનું નથી માનતા, નથી ગાંઠતા તેવી વાતો આપણી સામે આવી છે.. 



શું કહ્યું વજુભાઈ વાળાએ? 

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય. ૉગામ આખું લે છે એટલે આપણે પણ લ્યો એવું થઈ ગયું છે આવું જાહેરમાં જ્યારે વજુભાઈ વાળા જેવા નેતા કહે ત્યારે સરકારે આ મામલે વિચાર કરવો જોઈએ..



રાજકોટ અગ્નિકાંડ મામલે પણ વજુભાઈ વાળાએ આપી હતી પ્રતિક્રિયા

આ પહેલા વજુભાઈ વાળાએ જ્યારે રાજકોટમાં અગ્નિ કાંડ થયો ત્યારે પણ અધિકારીઓની મિલીભગતની વાત કરી હતી સાથે જ  ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.એ ખૂલીને બોલ્યા હતા કે આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી.


જો આટલા સિનિયર નેતા આવું નિવેદન આપે છે તો... 

વજુભાઈ વાળા ખૂબ જૂના નેતા છે અને સિસ્ટમમાં રહેલા નેતા છે એમની કાઠીયાવાડથી કર્ણાટકની સફરમાં તેમણે અલગ અલગ પદ પર રહ્યા છે. એમની રાજકીય કારકીર્દિ  પણ ખૂબ રસપ્રદ રહી છે ત્યારે વજુભાઈ વાળા અધિકારીઓ માટે સતત આ કહે છે તો સરકારની આંખ ઉઘડવી જોઈએ.   



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.