Rajkot : ભ્રષ્ટ અધિકારી પર ભડક્યા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા? ટકોર કરતા વજુભાઈએ શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-06-21 17:17:01

ભ્રષ્ટચારનો સડો આપણી સિસ્ટમમાં ઘૂસી ગયો છે. ભ્રષ્ટાચાર થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે.. થોડા પૈસા કમાવાની લાલચમાં મોટા પદ પર બેઠેલા લોકો અનેક વખત બીજાની જીંદગીને જોખમમાં મૂકતા હોય છે. ભ્રષ્ટાચાર સામે અનેક નેતાઓ, ધારાસભ્યો બોલી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે.

ભાજપના જ નેતાઓ કરે છે સરકારને સવાલ!

છેલ્લા થોડા સમયથી ભાજપના જ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું લાગે છે. નેતાઓ જાણે પોતાની જ સરકારને સવાલ કરતા હોય તેવું લાગે છે. અનેક ઉદાહરણો આપણી સામે જ છે જેમાં તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર સામે સવાલ કરવામાં આવી રહ્યો હોય.. આ બધા વચ્ચે આજે વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓ ધારાસભ્યોનું નથી માનતા, નથી ગાંઠતા તેવી વાતો આપણી સામે આવી છે.. 



શું કહ્યું વજુભાઈ વાળાએ? 

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય. ૉગામ આખું લે છે એટલે આપણે પણ લ્યો એવું થઈ ગયું છે આવું જાહેરમાં જ્યારે વજુભાઈ વાળા જેવા નેતા કહે ત્યારે સરકારે આ મામલે વિચાર કરવો જોઈએ..



રાજકોટ અગ્નિકાંડ મામલે પણ વજુભાઈ વાળાએ આપી હતી પ્રતિક્રિયા

આ પહેલા વજુભાઈ વાળાએ જ્યારે રાજકોટમાં અગ્નિ કાંડ થયો ત્યારે પણ અધિકારીઓની મિલીભગતની વાત કરી હતી સાથે જ  ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.એ ખૂલીને બોલ્યા હતા કે આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી.


જો આટલા સિનિયર નેતા આવું નિવેદન આપે છે તો... 

વજુભાઈ વાળા ખૂબ જૂના નેતા છે અને સિસ્ટમમાં રહેલા નેતા છે એમની કાઠીયાવાડથી કર્ણાટકની સફરમાં તેમણે અલગ અલગ પદ પર રહ્યા છે. એમની રાજકીય કારકીર્દિ  પણ ખૂબ રસપ્રદ રહી છે ત્યારે વજુભાઈ વાળા અધિકારીઓ માટે સતત આ કહે છે તો સરકારની આંખ ઉઘડવી જોઈએ.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.