રાજકોટમાં ભાઈની 'રક્ષા' માટે બહેને આપી કિડનીની ભેટ, બહેન અને ભાઈની સ્થિતિ એકદમ સ્વસ્થ


  • Published By :
  • Published Date : 2023-08-30 17:45:32

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધીને દીર્ઘાયુ માટે ભાગવાનને પ્રાર્થના કરી ભાઈઓએ પણ બહેનને ભેટ આપીને જીવનભરની સુરક્ષાનું વચન આપ્યું. જો કે આજે રાજકોટમાં એક અનોખી ઘટના સામે આવી છે. રાજકોટમાં એક બહેને રક્ષાબંધનના દિવસે જ ભાઈને કિડની દાન કરીને તેના ભાઇને નવજીવન આપ્યું છે. હાલમાં ભરતભાઈ અને દયાબેન બંનેની સ્થિતિ સ્વસ્થ છે. કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને રક્ષા બંધનની દિવસે પોતાની કિડનીની ભેટ આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે.  


કોરોનાએ ભાઈની બંને કિડની છિનવી   


રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની કોરોના મહામારીના કારણે ફેઈલ થઈ ગઈ હતી. ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, 'જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું ત્યારે મેં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. જે બાદ દવા લીધી એટલે થોડું સારૂ હતું, પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.' જેના કારણે ભરતભાઈ મકવાણા 6 મહિનાથી ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા. ભાઈની કિડની ફેઈલ થઈ જતાં બહેન બહેન દયાબેન વાગડિયા મદદ માટે આગળ આવ્યા હતા અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેમનો ભાઈ ભરતભાઈ મકવાણા એકદમ સ્વસ્થ છે. બહેને દયાબેને તો ભાઈની રક્ષા કરી જ પણ સાથે સાથે તેમના પતિ અને સાસરીયાઓએ પણ સંપૂર્ણ સહયોગ આપતા કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.