રાજકોટમાં ભાઈની 'રક્ષા' માટે બહેને આપી કિડનીની ભેટ, બહેન અને ભાઈની સ્થિતિ એકદમ સ્વસ્થ


  • Published By :
  • Published Date : 2023-08-30 17:45:32

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધીને દીર્ઘાયુ માટે ભાગવાનને પ્રાર્થના કરી ભાઈઓએ પણ બહેનને ભેટ આપીને જીવનભરની સુરક્ષાનું વચન આપ્યું. જો કે આજે રાજકોટમાં એક અનોખી ઘટના સામે આવી છે. રાજકોટમાં એક બહેને રક્ષાબંધનના દિવસે જ ભાઈને કિડની દાન કરીને તેના ભાઇને નવજીવન આપ્યું છે. હાલમાં ભરતભાઈ અને દયાબેન બંનેની સ્થિતિ સ્વસ્થ છે. કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને રક્ષા બંધનની દિવસે પોતાની કિડનીની ભેટ આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે.  


કોરોનાએ ભાઈની બંને કિડની છિનવી   


રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની કોરોના મહામારીના કારણે ફેઈલ થઈ ગઈ હતી. ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, 'જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું ત્યારે મેં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. જે બાદ દવા લીધી એટલે થોડું સારૂ હતું, પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.' જેના કારણે ભરતભાઈ મકવાણા 6 મહિનાથી ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા. ભાઈની કિડની ફેઈલ થઈ જતાં બહેન બહેન દયાબેન વાગડિયા મદદ માટે આગળ આવ્યા હતા અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેમનો ભાઈ ભરતભાઈ મકવાણા એકદમ સ્વસ્થ છે. બહેને દયાબેને તો ભાઈની રક્ષા કરી જ પણ સાથે સાથે તેમના પતિ અને સાસરીયાઓએ પણ સંપૂર્ણ સહયોગ આપતા કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે