રાજકોટની વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન માટે કર્યો રઝળપાટ, અંતે હતાશામાં જિંદગી ટુંકાવી


  • Published By :
  • Published Date : 2023-08-08 17:20:45

આજની યુવા પેઢીમાં નજીવી બાબતે આત્મહત્યા કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજકોટમાં એક વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન ના મળતા ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ હતી. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ધોરણ 12ની પૂરક પરીક્ષા ઉર્તીણ કર્યા બાદ કોલેજમાં પ્રવેશ માટે પ્રયાસો કરી રહી હતી. યુવતિ છેલ્લાં ચાર દિવસથી જુદી જુદી કોલેજોમાં એડમિશન માટે જતી હોય પણ એડમિશન ન મળતા હતાશામાં આવી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું છે. આ અંગે તેણીએ એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કરતા પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું છે, પરિવારના તમામ સભ્યો શોકગ્રસ્ત બન્યાછે. 


શું હતી સમગ્ર ઘટના?


બનાવની વિગત મુજબ, પ્રાર્થનાએ ધો.12નો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એડમિશન લેવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. તેની ચારેક દિવસમાં જુદી જુદી કોલેજે તેના પિતા સાથે ગઈ હતી. બેએક દિવસ પહેલા કોટેચા ચોક પાસે આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં ગયા હતા. પ્રાર્થનાને બી.કોમ. ઈંગ્લીશમાં એડમિશન લેવું હતું. એમ.વી.એમ. કોલેજમાં 10 હજાર ફી એક સાથે ભરવા કહેવાયું હતું. જેથી આજે સવારે પ્રાર્થના અને તેના પિતા ત્યાં કોલેજે જવાના હતા. સવારે 8.30 વાગ્યે પ્રાર્થના, તેના પિતા વિપુલભાઈ, માતા ચેતનાબેન, તેનો નાનો ભાઈ સ્મિત બધા ઘરે હતા. પ્રાર્થના કપડાં બદલાવ જવાનું કહીં રૂમમાં ગઈ હતી. ઘણો સમય થયા બાદ પણ તે બહાર ન આવતા દરવાજો ખખડાવતા ન ખોલતા આસપાસના લોકો પણ દોડી આવેલા દરવાજો તોડી અંદર જોતા પ્રાર્થનાએ પંખામાં ચૂંદડી બધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કોઈએ 108માં ફોન કરતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોક્ટરે સ્થળ પર જ પ્રાર્થનાને મૃત જાહેર કરી હતી.


સ્યુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ


પ્રાર્થના પારેખના આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રૂમ ચેક કરતા પ્રાર્થનાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે એડમિશન ન મળતા હતાશ હોવાનું ખુલ્યું હતું. પ્રાર્થના બે બહેન એક ભાઈમાં મોટી હતી. પિતા રૈયા રોડ પર ફરસાણની કેબિન ચલાવે છે. આ બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.