Rajkot : આડા સંબંધોની આશંકાના આધારે પતિએ કરી પત્નીની હત્યા, મૃતદેહ આગળ વીડિયો બનાવ્યો અને પોલીસને કહ્યું કે મારે...


  • Published By :
  • Published Date : 2024-02-27 14:48:02

પત્ની પતિની વચ્ચે અનેક વખત સામાન્ય બાબતને લઈ ઝઘડો થતો હોય છે. વાત નાની હોય છે પરંતુ તેને કારણે કોઈ વખત એવી મોટી ઘટનાને લોકો અંજામ આપી દેતા હોય છે જેની કલ્પના પણ ના કરી શકાય. રાજકોટમાં એક હત્યાનો મામલો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. એવી માહિતી સામે આવી છે કે પતિને પત્ની પર શંકા હતી કે તેનું લફળું ક્યાંય બીજે ચાલી રહ્યું છે.અને તેના આધારે તેણે પત્નીની હત્યા કરી નાખી, પત્નીની લાશ પાસે બેસી પતિએ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ પણ કર્યો. 

News18 Gujarati

પથ્થરના મદદથી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ!

લોકોની માનસિકતા કઈ બાજુ જઈ રહી છે તે જાણી શકાતું નથી કારણ કે નાની નાની વાતમાં લોકો એટલું મોટું કદમ ઉઠાવી લેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિએ પહેલા પત્નીની હત્યા કરી અને પત્નીની લાશ આગળ બેસી પતિએ વીડિયો બનાવ્યો અને પછી તે બાદ તેને વાયરલ કર્યો. મળતી માહિતી અનુસાર શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિએ પહેલા પત્નીના માથા પર પથ્થરના બ્લોક માર્યા અને તેને મારી નાખી. પત્નીની બેહરહેમીથી હત્યા કર્યા બાદ પતિએ પત્નીની લાશ આગળ બેસી વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો,

News18 Gujarati

પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને કહ્યું કે... 

તે ઉપરાંત પોલીસ સમક્ષ જાતે સરેન્ડર કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. પત્નીની હત્યા કર્યાના કલાકો બાદ પતિએ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી છે તેવી જાણકારી આપી. સાથે જ કહ્યું કે તે પોતે આત્મસમર્પણ કરવા માંગે છે. આ કેસને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કર્યા બાદ તેણે કહ્યું કે હું ખરાબ નથી પરંતુ મારી ઘરવાળી ખરાબ હતી. મને મુકીને બીજી જગ્યાએ જતીતી. મારા ભાઇબંધ સાથે આવું કર્યુ છે. મારી ઘરવાળીએ મને દગો કર્યો છે.'

News18 Gujarati

લોકોની ઓછી થઈ ગઈ છે સહનશક્તિ!

મહત્વનું છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સ્વાભાવિક છે પરંતુ આજકાલ લોકોની સહનશક્તિ પણ એકદમ ઓછી થઈ ગઈ છે તેવું લાગે છે. હત્યા કર્યા બાદ પણ લોકોને કોઈ પણ અફસોસ હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે તે જોવાનું રહ્યું. 



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.