Rajkot : યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો યથાવત! 18 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-13 17:45:43

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. અનેક લોકોએ પરિવારજનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ ડાન્સ કરતા કરતા પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે.


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક!

કોરોનાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા હતા. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને ગુમાવ્યા હશે કોરોના કાળમાં. કોરોનાના કેસ તો હમણાં ઓછા નોંધાઈ રહ્યા છે પરંતુ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.


રાજકોટમાં 18 વર્ષીય યુવકનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને, યુવકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.