Rajkot : યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો યથાવત! 18 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-13 17:45:43

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. અનેક લોકોએ પરિવારજનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ ડાન્સ કરતા કરતા પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે.


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક!

કોરોનાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા હતા. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને ગુમાવ્યા હશે કોરોના કાળમાં. કોરોનાના કેસ તો હમણાં ઓછા નોંધાઈ રહ્યા છે પરંતુ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.


રાજકોટમાં 18 વર્ષીય યુવકનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને, યુવકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.