Rajkot - તિરંગા યાત્રાનો શુભારંભ, J.P.Nadda, C.R.Patil, CM સહિતના નેતાઓ રહ્યા હાજર.. ન્યાય યાત્રાની સામે તિરંગા યાત્રા


  • Published By :
  • Published Date : 2024-08-10 16:38:48

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવે છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલો દેશપ્રેમ પણ ચરમસીમાએ પહોંચે છે તે કહીએ તો અતિશયોક્તિ નથી. આ દિવસો દરમિયાન આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોઈએ છીએ.. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  લોકો ઘરમાં તિરંગો લગાવી આ અભિયાનમાં સામેલ થાય છે. ત્યારે આજે રાજકોટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે.

  

તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ

ગઈકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને આજે ભાજપની તિરંગા યાત્રા! ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ તો તિરંગા યાત્રા રાજકોટથી એટલે સૌરાષ્ટથી શરૂ થઈ.. એટલે આ વખતે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે.. આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપે તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે હાજર હતા. તિરંગ યાત્રા પહેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રીએ અને જે.પી નડ્ડાએ ભાષણ પણ આપ્યું.

પોતાના ભાષણ દરમિયાન સરદાર પટેલને જે.પી.નડ્ડાએ કર્યા યાદ 

પોતાના ભાષણમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી,  એટલે અંતે રાજનીતિ યાત્રામાં આવી જ ગઈ. 



રાજકોટ થોડા સમયથી ચર્ચામાં છે કારણ કે..

તિરંગ યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ છે અને ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. તો હવે આગામી ચૂંટણીમાં ફોકશએ સૌરાષ્ટ્ર રહેવાનું છે. રાજકોટમાં પહેલાથી ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે પછી ત્યાં ટીઆરપી ગેમ ઝોનવાળી દુર્ઘટના થઈ. હવે આગામી ચુંટણીમાં રાજકોટ અને સૌરાષ્ટ પર ફોકસ હોય બંનેનું એવું લાગી રહ્યું છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.