Rajkot - તિરંગા યાત્રાનો શુભારંભ, J.P.Nadda, C.R.Patil, CM સહિતના નેતાઓ રહ્યા હાજર.. ન્યાય યાત્રાની સામે તિરંગા યાત્રા


  • Published By :
  • Published Date : 2024-08-10 16:38:48

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવે છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલો દેશપ્રેમ પણ ચરમસીમાએ પહોંચે છે તે કહીએ તો અતિશયોક્તિ નથી. આ દિવસો દરમિયાન આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોઈએ છીએ.. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  લોકો ઘરમાં તિરંગો લગાવી આ અભિયાનમાં સામેલ થાય છે. ત્યારે આજે રાજકોટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે.

  

તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ

ગઈકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને આજે ભાજપની તિરંગા યાત્રા! ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ તો તિરંગા યાત્રા રાજકોટથી એટલે સૌરાષ્ટથી શરૂ થઈ.. એટલે આ વખતે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે.. આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપે તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે હાજર હતા. તિરંગ યાત્રા પહેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રીએ અને જે.પી નડ્ડાએ ભાષણ પણ આપ્યું.

પોતાના ભાષણ દરમિયાન સરદાર પટેલને જે.પી.નડ્ડાએ કર્યા યાદ 

પોતાના ભાષણમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી,  એટલે અંતે રાજનીતિ યાત્રામાં આવી જ ગઈ. 



રાજકોટ થોડા સમયથી ચર્ચામાં છે કારણ કે..

તિરંગ યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ છે અને ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. તો હવે આગામી ચૂંટણીમાં ફોકશએ સૌરાષ્ટ્ર રહેવાનું છે. રાજકોટમાં પહેલાથી ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે પછી ત્યાં ટીઆરપી ગેમ ઝોનવાળી દુર્ઘટના થઈ. હવે આગામી ચુંટણીમાં રાજકોટ અને સૌરાષ્ટ પર ફોકસ હોય બંનેનું એવું લાગી રહ્યું છે.. 



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.