Rajkot - તિરંગા યાત્રાનો શુભારંભ, J.P.Nadda, C.R.Patil, CM સહિતના નેતાઓ રહ્યા હાજર.. ન્યાય યાત્રાની સામે તિરંગા યાત્રા


  • Published By :
  • Published Date : 2024-08-10 16:38:48

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવે છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલો દેશપ્રેમ પણ ચરમસીમાએ પહોંચે છે તે કહીએ તો અતિશયોક્તિ નથી. આ દિવસો દરમિયાન આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોઈએ છીએ.. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  લોકો ઘરમાં તિરંગો લગાવી આ અભિયાનમાં સામેલ થાય છે. ત્યારે આજે રાજકોટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે.

  

તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ

ગઈકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને આજે ભાજપની તિરંગા યાત્રા! ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ તો તિરંગા યાત્રા રાજકોટથી એટલે સૌરાષ્ટથી શરૂ થઈ.. એટલે આ વખતે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે.. આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપે તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે હાજર હતા. તિરંગ યાત્રા પહેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રીએ અને જે.પી નડ્ડાએ ભાષણ પણ આપ્યું.

પોતાના ભાષણ દરમિયાન સરદાર પટેલને જે.પી.નડ્ડાએ કર્યા યાદ 

પોતાના ભાષણમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી,  એટલે અંતે રાજનીતિ યાત્રામાં આવી જ ગઈ. 



રાજકોટ થોડા સમયથી ચર્ચામાં છે કારણ કે..

તિરંગ યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ છે અને ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. તો હવે આગામી ચૂંટણીમાં ફોકશએ સૌરાષ્ટ્ર રહેવાનું છે. રાજકોટમાં પહેલાથી ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે પછી ત્યાં ટીઆરપી ગેમ ઝોનવાળી દુર્ઘટના થઈ. હવે આગામી ચુંટણીમાં રાજકોટ અને સૌરાષ્ટ પર ફોકસ હોય બંનેનું એવું લાગી રહ્યું છે.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.