Rajkot - તિરંગા યાત્રાનો શુભારંભ, J.P.Nadda, C.R.Patil, CM સહિતના નેતાઓ રહ્યા હાજર.. ન્યાય યાત્રાની સામે તિરંગા યાત્રા


  • Published By :
  • Published Date : 2024-08-10 16:38:48

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવે છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલો દેશપ્રેમ પણ ચરમસીમાએ પહોંચે છે તે કહીએ તો અતિશયોક્તિ નથી. આ દિવસો દરમિયાન આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોઈએ છીએ.. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  લોકો ઘરમાં તિરંગો લગાવી આ અભિયાનમાં સામેલ થાય છે. ત્યારે આજે રાજકોટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે.

  

તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ

ગઈકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને આજે ભાજપની તિરંગા યાત્રા! ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ તો તિરંગા યાત્રા રાજકોટથી એટલે સૌરાષ્ટથી શરૂ થઈ.. એટલે આ વખતે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે.. આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપે તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે હાજર હતા. તિરંગ યાત્રા પહેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રીએ અને જે.પી નડ્ડાએ ભાષણ પણ આપ્યું.

પોતાના ભાષણ દરમિયાન સરદાર પટેલને જે.પી.નડ્ડાએ કર્યા યાદ 

પોતાના ભાષણમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી,  એટલે અંતે રાજનીતિ યાત્રામાં આવી જ ગઈ. 



રાજકોટ થોડા સમયથી ચર્ચામાં છે કારણ કે..

તિરંગ યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ છે અને ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. તો હવે આગામી ચૂંટણીમાં ફોકશએ સૌરાષ્ટ્ર રહેવાનું છે. રાજકોટમાં પહેલાથી ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે પછી ત્યાં ટીઆરપી ગેમ ઝોનવાળી દુર્ઘટના થઈ. હવે આગામી ચુંટણીમાં રાજકોટ અને સૌરાષ્ટ પર ફોકસ હોય બંનેનું એવું લાગી રહ્યું છે.. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .