Rajkot TRP Game Zone : ન્યાયની માગ સાથે Bansakanthaના સાંસદ Geniben Thakor ઉતર્યા રાજકોટના રસ્તા પર, પ્રહાર કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-15 13:00:27

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ગેમ રમવા માટે આવેલા લોકોની જિંદગી સાથે રમત રમાઈ ગઈ.. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પણ રાજકોટમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મેદાને છે. રાજકોટના રસ્તા પર આજે વિપક્ષ દેખાઈ રહ્યો છે.

વિરોધ કરવા માટે વિપક્ષના નેતાઓ રસ્તા પર  

રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ રસ્તા પર છે. કોંગ્રેસના નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજકોટના રસ્તા પર ન્યાયની આશા સાથે ઉતર્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલિયા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે. એસઆઈટીની કામગીરીને લઈ તેમને સવાલો કર્યા છે. જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર ગઈ છે અને ત્યાં હાજર નેતાઓને સવાલ કર્યા છે.   


બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

વિરોધમાં આવેલા ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જે ઘટનાઓ બની છે તે દુ:ખદ ઘટના બની છે. આપણે ત્યાં આવા અનેક કાંડો થયા, જ્યારે જ્યારે કાંડો થયા ત્યારે સરકારે SITની રચનાઓ કરવાની વાતો કરી, પણ આજ સુધી કોઈ ગુન્હેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી.. અને એટલા માટે આવી પ્રવૃત્તિ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી. એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય અને ન્યાય મળ્યો હોય.. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ, અથવા એ લોકોની રહેમ નજર છે એટલે નિર્દોષ લોકોના જીવ જાય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં ગણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.