Rajkot TRP Game Zone : ન્યાયની માગ સાથે Bansakanthaના સાંસદ Geniben Thakor ઉતર્યા રાજકોટના રસ્તા પર, પ્રહાર કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-15 13:00:27

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ગેમ રમવા માટે આવેલા લોકોની જિંદગી સાથે રમત રમાઈ ગઈ.. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પણ રાજકોટમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મેદાને છે. રાજકોટના રસ્તા પર આજે વિપક્ષ દેખાઈ રહ્યો છે.

વિરોધ કરવા માટે વિપક્ષના નેતાઓ રસ્તા પર  

રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ રસ્તા પર છે. કોંગ્રેસના નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજકોટના રસ્તા પર ન્યાયની આશા સાથે ઉતર્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલિયા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે. એસઆઈટીની કામગીરીને લઈ તેમને સવાલો કર્યા છે. જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર ગઈ છે અને ત્યાં હાજર નેતાઓને સવાલ કર્યા છે.   


બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

વિરોધમાં આવેલા ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જે ઘટનાઓ બની છે તે દુ:ખદ ઘટના બની છે. આપણે ત્યાં આવા અનેક કાંડો થયા, જ્યારે જ્યારે કાંડો થયા ત્યારે સરકારે SITની રચનાઓ કરવાની વાતો કરી, પણ આજ સુધી કોઈ ગુન્હેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી.. અને એટલા માટે આવી પ્રવૃત્તિ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી. એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય અને ન્યાય મળ્યો હોય.. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ, અથવા એ લોકોની રહેમ નજર છે એટલે નિર્દોષ લોકોના જીવ જાય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં ગણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.