Rajkot TRP Game zone આગ કાંડમાં પિતાએ પુત્રને ગુમાવ્યો, પુત્રનું નામ રટતા રટતા પિતાએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:18:21

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ કેસમાં તપાસનો ઘમઘમાટ ચાલુ છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મૃત્યુ થયું છે... 



નોકરીનો પ્રથમ દિવસ હતો અને વિશ્વરાજસિંહનું થયું મોત.... 

મળતી માહિતી અનુસાર,આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. જશુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. ... રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો ટીઆરપી ગેમઝોનમાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને ત્યાં વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. 



પુત્રના વિયોગમાં પિતાએ ગુમાવ્યો જીવ...

વ્હાલસોયા દિકરા વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.... પુત્રના નિધનથી પિતા જશુભા હેમુભા જાડેજા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. આ દરમિયાન છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.... દુ:ખદ વાત છે કે પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. માત્ર થોડા દિવસોની અંદર પરિવારે પોતાના બે સદસ્યોને ગુમાવ્યા છે.  



ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે ગયા નિર્દોષ લોકોના જીવ

મહત્વનું છે કે અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મજા માટે ગેમઝોનમાં ગયેલા લોકોના જીવન સાથે ગેમ રમાઈ ગઈ છે.. આ દુર્ઘટનાને લઈ તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક સુનાવણી કરવામાં આવી રહી છે.. કોંગ્રેસના નેતાઓ પણ આ દુર્ઘટનાને લઈ રાજકોટમાં ધરણા કરી રહ્યા છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."