Rajkot TRP Game zone આગ કાંડમાં પિતાએ પુત્રને ગુમાવ્યો, પુત્રનું નામ રટતા રટતા પિતાએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:18:21

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ કેસમાં તપાસનો ઘમઘમાટ ચાલુ છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મૃત્યુ થયું છે... 



નોકરીનો પ્રથમ દિવસ હતો અને વિશ્વરાજસિંહનું થયું મોત.... 

મળતી માહિતી અનુસાર,આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. જશુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. ... રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો ટીઆરપી ગેમઝોનમાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને ત્યાં વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. 



પુત્રના વિયોગમાં પિતાએ ગુમાવ્યો જીવ...

વ્હાલસોયા દિકરા વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.... પુત્રના નિધનથી પિતા જશુભા હેમુભા જાડેજા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. આ દરમિયાન છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.... દુ:ખદ વાત છે કે પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. માત્ર થોડા દિવસોની અંદર પરિવારે પોતાના બે સદસ્યોને ગુમાવ્યા છે.  



ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે ગયા નિર્દોષ લોકોના જીવ

મહત્વનું છે કે અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મજા માટે ગેમઝોનમાં ગયેલા લોકોના જીવન સાથે ગેમ રમાઈ ગઈ છે.. આ દુર્ઘટનાને લઈ તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક સુનાવણી કરવામાં આવી રહી છે.. કોંગ્રેસના નેતાઓ પણ આ દુર્ઘટનાને લઈ રાજકોટમાં ધરણા કરી રહ્યા છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.