Rajkot TRP Game zone આગ કાંડમાં પિતાએ પુત્રને ગુમાવ્યો, પુત્રનું નામ રટતા રટતા પિતાએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:18:21

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ કેસમાં તપાસનો ઘમઘમાટ ચાલુ છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મૃત્યુ થયું છે... 



નોકરીનો પ્રથમ દિવસ હતો અને વિશ્વરાજસિંહનું થયું મોત.... 

મળતી માહિતી અનુસાર,આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. જશુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. ... રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો ટીઆરપી ગેમઝોનમાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને ત્યાં વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. 



પુત્રના વિયોગમાં પિતાએ ગુમાવ્યો જીવ...

વ્હાલસોયા દિકરા વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.... પુત્રના નિધનથી પિતા જશુભા હેમુભા જાડેજા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. આ દરમિયાન છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.... દુ:ખદ વાત છે કે પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. માત્ર થોડા દિવસોની અંદર પરિવારે પોતાના બે સદસ્યોને ગુમાવ્યા છે.  



ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે ગયા નિર્દોષ લોકોના જીવ

મહત્વનું છે કે અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મજા માટે ગેમઝોનમાં ગયેલા લોકોના જીવન સાથે ગેમ રમાઈ ગઈ છે.. આ દુર્ઘટનાને લઈ તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક સુનાવણી કરવામાં આવી રહી છે.. કોંગ્રેસના નેતાઓ પણ આ દુર્ઘટનાને લઈ રાજકોટમાં ધરણા કરી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.