રાજકોટમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિને જ હાર્ટએટેકથી મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-07-28 15:24:19

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ નાની ઉંમરના યુવક-યુવતીઓ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકથી મૃત્યુઆંકમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે બાબત સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. 


36મા જન્મદિવસે જ મોત


રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્રના ખ્યાત નામ ડીજે ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, પરિણીતાના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  


પોસ્ટમોર્ટમમાં થયો મોટો ખુલાસો


નિશિતાબેનના મોત અંગે પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં પરિણીતાની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિણીતાને સંતાનમાં બાર વરસ અને સાત વર્ષની બે પુત્રી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.