રાજકોટમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિને જ હાર્ટએટેકથી મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-07-28 15:24:19

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ નાની ઉંમરના યુવક-યુવતીઓ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકથી મૃત્યુઆંકમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે બાબત સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. 


36મા જન્મદિવસે જ મોત


રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્રના ખ્યાત નામ ડીજે ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, પરિણીતાના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  


પોસ્ટમોર્ટમમાં થયો મોટો ખુલાસો


નિશિતાબેનના મોત અંગે પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં પરિણીતાની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિણીતાને સંતાનમાં બાર વરસ અને સાત વર્ષની બે પુત્રી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે