રાજકોટમાં 32 વર્ષીય પરીણિતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું, આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-25 12:55:20

રાજકોટ શહેરમાં એક 32 વર્ષીય પરીણિતાએ પતિના ત્રાસથી મોતને વ્હાલું કર્યું છે. શહેરમાં અલકાબેન પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર મામલે મૃતક અલકાબેનના નાના ભાઈ નયનભાઈ ચૌહાણ દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ મરણ જનારના પતિ જસ્મીનભાઇ પરમારની પ્રેમિકા પાયલ બહેન વિરુદ્ધ IPCની કલમ 306, 498 (એ) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી પતિ સામે અનેક ફરિયાદો કરી છે.  


સાસરીયોઓના મહેણા ટોળાએ લીધો જીવ


નયનભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બહેન અલકાના લગ્ન 11 વર્ષ પૂર્વે જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની તન્વી નામની દીકરી છે. એક વર્ષ પૂર્વે મારા બહેને ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન ગર્ભાશય કઢાવી નાખવામાં આવેલ હતી. જેથી તેના પતિ જસ્મીન ભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી મારી બહેનને તેમના પતિ સાસુ સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, જસ્મીનને તેની પાડોશમાં રહેતી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.


વીડિયોમાં શું કહ્યું?


મૃતક અલકા બેનના ભાઈ નયનભાઈ ચૌહાણે જણાવ્યુ હતું કે, મૃત્યુ બાદ મારી બહેનનો ફોન ચેક કરતા તેમાં બે વીડિયો જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મારી બહેન બોલે છે કે, જસ્મીન જતી રહે જતી રહે એવુ કરે છે પરંતુ મારે ક્યાં જવું? અલકાબેને આત્મહત્યા    જસ્મીનને નથી જોઇતી એટલે હું આ પગલું ભરું છું. જસ્મીન એમ કહે છે કે, મારે તું જોઇતી જ નથી, તું શું કામ આવી? એટલે હું દવા પીને મરી જાવ છું. બધા થઇને મારી છોકરીને સંભાળી લેજો. મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેનો ફોટો પણ તેમના મોબાઇલમાંથી મળી આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.