રાજકોટમાં 32 વર્ષીય પરીણિતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું, આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-25 12:55:20

રાજકોટ શહેરમાં એક 32 વર્ષીય પરીણિતાએ પતિના ત્રાસથી મોતને વ્હાલું કર્યું છે. શહેરમાં અલકાબેન પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર મામલે મૃતક અલકાબેનના નાના ભાઈ નયનભાઈ ચૌહાણ દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ મરણ જનારના પતિ જસ્મીનભાઇ પરમારની પ્રેમિકા પાયલ બહેન વિરુદ્ધ IPCની કલમ 306, 498 (એ) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી પતિ સામે અનેક ફરિયાદો કરી છે.  


સાસરીયોઓના મહેણા ટોળાએ લીધો જીવ


નયનભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બહેન અલકાના લગ્ન 11 વર્ષ પૂર્વે જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની તન્વી નામની દીકરી છે. એક વર્ષ પૂર્વે મારા બહેને ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન ગર્ભાશય કઢાવી નાખવામાં આવેલ હતી. જેથી તેના પતિ જસ્મીન ભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી મારી બહેનને તેમના પતિ સાસુ સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, જસ્મીનને તેની પાડોશમાં રહેતી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.


વીડિયોમાં શું કહ્યું?


મૃતક અલકા બેનના ભાઈ નયનભાઈ ચૌહાણે જણાવ્યુ હતું કે, મૃત્યુ બાદ મારી બહેનનો ફોન ચેક કરતા તેમાં બે વીડિયો જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મારી બહેન બોલે છે કે, જસ્મીન જતી રહે જતી રહે એવુ કરે છે પરંતુ મારે ક્યાં જવું? અલકાબેને આત્મહત્યા    જસ્મીનને નથી જોઇતી એટલે હું આ પગલું ભરું છું. જસ્મીન એમ કહે છે કે, મારે તું જોઇતી જ નથી, તું શું કામ આવી? એટલે હું દવા પીને મરી જાવ છું. બધા થઇને મારી છોકરીને સંભાળી લેજો. મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેનો ફોટો પણ તેમના મોબાઇલમાંથી મળી આવ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.