Rajouri Encounter : આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં વધુ એક જવાન શહીદ, પાંચ જવાનોને અપાઈ પુષ્પાંજલિ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-24 10:38:43

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. આ અથડામણમાં આતંકવાદીઓ તો ઠાર મરાય છે પરંતુ દેશના જવાનો પણ શહાદતને પામે છે. તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં વધુ એક જવાન શહીદ થયા છે તેવી માહિતી સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલી અથડામણમાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા છે. બુધવારથી જમ્મુ-કાશ્મીરમાં અથડામણ થઈ રહી છે. આ અથડામણમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા છે.  ત્યારે 22 નવેમ્બરના રોજ રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા 5 આર્મી જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી. રાજોરી જિલ્લામાં શરૂ થયેલા ઓપરેશનમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. કુલ પાંચ જવાનો આ ઓપરેશનમાં શહીદ થયા છે. તો બીજી તરફ તોયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે તેવી માહિતી સામે આવી છે.  

અથડામણમાં જવાનો તેમજ આર્મીના કેપ્ટન થયા શહીદ 

બુધવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં પણ દેશના જવાનો અને અધિકારીઓ શહીદ થયા હતા. ગુરૂવારે પણ બંને વચ્ચે અથડામણ થઈ હતી. કાલાકોટમાં ગુરુવારે લશ્કર-એ-તૈયબા (LeT)ના ઉચ્ચ પ્રશિક્ષિત 'કમાન્ડર' અને તેના સહયોગી 24 કલાક ચાલેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટનામાં વધુ એક સૈનિકનું મોત નીપજ્યું હતું, જેમાં બે આર્મી કેપ્ટન સહિત મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. “એક હાર્ડ કોર ટોચના LeT કમાન્ડર, કારી અને તેના સહયોગીને ખતમ કરવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં યુદ્ધ જેવી દુકાનો મળી આવી છે. જમ્મુ સ્થિત આર્મી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડાંગરી ઘટના પાછળ કારી મુખ્ય સૂત્રધાર તરીકે જાણીતો હતો."


વીર જવાનોને અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ 

રાજૌરી જિલ્લામાં ધરમસાલના બજીમલ વિસ્તારમાં ગુરૂવારે સવારે સેનાએ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ અથડામણ ગુરૂવારે ચાલી હતી તેવી માહિતી સામે આવી. ત્યારે આ અથડમાણમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દેશની સુરક્ષા કરતી વખતે અનેક વીર જવાનો શહાદતને પામે છે. એક સલામ જવાનોની શહાદતને...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.