Rajouri Encounter : આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં વધુ એક જવાન શહીદ, પાંચ જવાનોને અપાઈ પુષ્પાંજલિ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-24 10:38:43

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. આ અથડામણમાં આતંકવાદીઓ તો ઠાર મરાય છે પરંતુ દેશના જવાનો પણ શહાદતને પામે છે. તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં વધુ એક જવાન શહીદ થયા છે તેવી માહિતી સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલી અથડામણમાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા છે. બુધવારથી જમ્મુ-કાશ્મીરમાં અથડામણ થઈ રહી છે. આ અથડામણમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા છે.  ત્યારે 22 નવેમ્બરના રોજ રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા 5 આર્મી જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી. રાજોરી જિલ્લામાં શરૂ થયેલા ઓપરેશનમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. કુલ પાંચ જવાનો આ ઓપરેશનમાં શહીદ થયા છે. તો બીજી તરફ તોયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે તેવી માહિતી સામે આવી છે.  

અથડામણમાં જવાનો તેમજ આર્મીના કેપ્ટન થયા શહીદ 

બુધવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં પણ દેશના જવાનો અને અધિકારીઓ શહીદ થયા હતા. ગુરૂવારે પણ બંને વચ્ચે અથડામણ થઈ હતી. કાલાકોટમાં ગુરુવારે લશ્કર-એ-તૈયબા (LeT)ના ઉચ્ચ પ્રશિક્ષિત 'કમાન્ડર' અને તેના સહયોગી 24 કલાક ચાલેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટનામાં વધુ એક સૈનિકનું મોત નીપજ્યું હતું, જેમાં બે આર્મી કેપ્ટન સહિત મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. “એક હાર્ડ કોર ટોચના LeT કમાન્ડર, કારી અને તેના સહયોગીને ખતમ કરવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં યુદ્ધ જેવી દુકાનો મળી આવી છે. જમ્મુ સ્થિત આર્મી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડાંગરી ઘટના પાછળ કારી મુખ્ય સૂત્રધાર તરીકે જાણીતો હતો."


વીર જવાનોને અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ 

રાજૌરી જિલ્લામાં ધરમસાલના બજીમલ વિસ્તારમાં ગુરૂવારે સવારે સેનાએ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ અથડામણ ગુરૂવારે ચાલી હતી તેવી માહિતી સામે આવી. ત્યારે આ અથડમાણમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દેશની સુરક્ષા કરતી વખતે અનેક વીર જવાનો શહાદતને પામે છે. એક સલામ જવાનોની શહાદતને...   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.