બનાસકાંઠામાં રહેતા રાજુભાઈએ કંઈ આવી રીતે કરી દિવાળીની ઉજવણી, કાર્ય સાંભળી તમે પણ ખુશ થઈ જશો


  • Published By :
  • Published Date : 2024-11-05 18:12:39

દિવાળીના તહેવારની ઉજવણી આપણે સૌએ કરી.. અલગ અલગ રીતે આપણે આ તહેવારની ઉજવણી કરતા હોઈ છીએ... આ તહેવાર દરમિયાન નવા કપડા લોકો પહેરતા હોય છે, અલગ અલગ નવીન મિઠાઈ લોકો ખાતા હોય છે પરંતુ અનેક લોકો અનેક કારણોસર મિઠાઈ ખરીદીને નથી ખાઈ શકતા.. મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે.. આવી મોંઘવારીમાં બનાસકાંઠાના રાજુભાઈ જોષીએ દરેકને ફ્રીમાં દિવાળીના દિવસોમાં અલગ અલગ મિઠાઈ બનાવીને ખવડાવી...



અલગ અલગ મિઠાઈ ખવડાવી કરે છે તહેવારની ઉજવણી 

આપણે કોઈને મળીએ ત્યારે કહેતા હોઈએ છીએ હેપ્પી દિવાળી.. પરંતુ દિવાળી સાચા અર્થમાં હેપ્પી ત્યારે બને જ્યારે આપણે કોઈની સ્માઈલનું કારણ બની શકીએ.. કોઈના જીવનમાં આપણા કારણે ખુશી આવે. ત્યારે બનાસકાંઠાના રાજુભાઈએ દિવાળીના તહેવારો દરમિયાન અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. દરેક લોકો મોં મીઠું કરી શકે તેવા આશયથી આ વખતે પણ રાજુભાઈએ અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. કોઈ વખત શીરો તો કોઈ વખત ગરમા ગરમ મોહનથાળ બનાવીને તો કોઈ વખત સુખડી બનાવીને લોકોનું મોં મીઠું કરાવ્યું..


અનેક વર્ષોથી રાજુભાઈ કરાવે છે લોકોનું મોં મીઠું

મહત્વનું છે કે લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવા પ્રયત્નો અનેક લોકો કરતા હોય છે... યથાશક્તિ સમાજ માટે પોતાનું યોગદાન આપતા હોય છે...ઉલ્લેખનિય છે કે દરેક લોકો તહેવારની ઉજવણી કરી શકે તે જરૂરી નથી હોઈ શકતું.. કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો તે મીઠાઈની ખરીદી નથી કરી શકતા ત્યારે રાજુભાઈ જેવા માણસોને કારણે તે તહેવારો દરમિયાન મિઠાઈ ખાઈને મોં મીઠું કરી શકે છે.. આ પણ એક પ્રકારની સેવા જ છે.. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.