બનાસકાંઠામાં રહેતા રાજુભાઈએ કંઈ આવી રીતે કરી દિવાળીની ઉજવણી, કાર્ય સાંભળી તમે પણ ખુશ થઈ જશો


  • Published By :
  • Published Date : 2024-11-05 18:12:39

દિવાળીના તહેવારની ઉજવણી આપણે સૌએ કરી.. અલગ અલગ રીતે આપણે આ તહેવારની ઉજવણી કરતા હોઈ છીએ... આ તહેવાર દરમિયાન નવા કપડા લોકો પહેરતા હોય છે, અલગ અલગ નવીન મિઠાઈ લોકો ખાતા હોય છે પરંતુ અનેક લોકો અનેક કારણોસર મિઠાઈ ખરીદીને નથી ખાઈ શકતા.. મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે.. આવી મોંઘવારીમાં બનાસકાંઠાના રાજુભાઈ જોષીએ દરેકને ફ્રીમાં દિવાળીના દિવસોમાં અલગ અલગ મિઠાઈ બનાવીને ખવડાવી...



અલગ અલગ મિઠાઈ ખવડાવી કરે છે તહેવારની ઉજવણી 

આપણે કોઈને મળીએ ત્યારે કહેતા હોઈએ છીએ હેપ્પી દિવાળી.. પરંતુ દિવાળી સાચા અર્થમાં હેપ્પી ત્યારે બને જ્યારે આપણે કોઈની સ્માઈલનું કારણ બની શકીએ.. કોઈના જીવનમાં આપણા કારણે ખુશી આવે. ત્યારે બનાસકાંઠાના રાજુભાઈએ દિવાળીના તહેવારો દરમિયાન અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. દરેક લોકો મોં મીઠું કરી શકે તેવા આશયથી આ વખતે પણ રાજુભાઈએ અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. કોઈ વખત શીરો તો કોઈ વખત ગરમા ગરમ મોહનથાળ બનાવીને તો કોઈ વખત સુખડી બનાવીને લોકોનું મોં મીઠું કરાવ્યું..


અનેક વર્ષોથી રાજુભાઈ કરાવે છે લોકોનું મોં મીઠું

મહત્વનું છે કે લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવા પ્રયત્નો અનેક લોકો કરતા હોય છે... યથાશક્તિ સમાજ માટે પોતાનું યોગદાન આપતા હોય છે...ઉલ્લેખનિય છે કે દરેક લોકો તહેવારની ઉજવણી કરી શકે તે જરૂરી નથી હોઈ શકતું.. કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો તે મીઠાઈની ખરીદી નથી કરી શકતા ત્યારે રાજુભાઈ જેવા માણસોને કારણે તે તહેવારો દરમિયાન મિઠાઈ ખાઈને મોં મીઠું કરી શકે છે.. આ પણ એક પ્રકારની સેવા જ છે.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.