બનાસકાંઠામાં રહેતા રાજુભાઈએ કંઈ આવી રીતે કરી દિવાળીની ઉજવણી, કાર્ય સાંભળી તમે પણ ખુશ થઈ જશો


  • Published By :
  • Published Date : 2024-11-05 18:12:39

દિવાળીના તહેવારની ઉજવણી આપણે સૌએ કરી.. અલગ અલગ રીતે આપણે આ તહેવારની ઉજવણી કરતા હોઈ છીએ... આ તહેવાર દરમિયાન નવા કપડા લોકો પહેરતા હોય છે, અલગ અલગ નવીન મિઠાઈ લોકો ખાતા હોય છે પરંતુ અનેક લોકો અનેક કારણોસર મિઠાઈ ખરીદીને નથી ખાઈ શકતા.. મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે.. આવી મોંઘવારીમાં બનાસકાંઠાના રાજુભાઈ જોષીએ દરેકને ફ્રીમાં દિવાળીના દિવસોમાં અલગ અલગ મિઠાઈ બનાવીને ખવડાવી...



અલગ અલગ મિઠાઈ ખવડાવી કરે છે તહેવારની ઉજવણી 

આપણે કોઈને મળીએ ત્યારે કહેતા હોઈએ છીએ હેપ્પી દિવાળી.. પરંતુ દિવાળી સાચા અર્થમાં હેપ્પી ત્યારે બને જ્યારે આપણે કોઈની સ્માઈલનું કારણ બની શકીએ.. કોઈના જીવનમાં આપણા કારણે ખુશી આવે. ત્યારે બનાસકાંઠાના રાજુભાઈએ દિવાળીના તહેવારો દરમિયાન અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. દરેક લોકો મોં મીઠું કરી શકે તેવા આશયથી આ વખતે પણ રાજુભાઈએ અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. કોઈ વખત શીરો તો કોઈ વખત ગરમા ગરમ મોહનથાળ બનાવીને તો કોઈ વખત સુખડી બનાવીને લોકોનું મોં મીઠું કરાવ્યું..


અનેક વર્ષોથી રાજુભાઈ કરાવે છે લોકોનું મોં મીઠું

મહત્વનું છે કે લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવા પ્રયત્નો અનેક લોકો કરતા હોય છે... યથાશક્તિ સમાજ માટે પોતાનું યોગદાન આપતા હોય છે...ઉલ્લેખનિય છે કે દરેક લોકો તહેવારની ઉજવણી કરી શકે તે જરૂરી નથી હોઈ શકતું.. કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો તે મીઠાઈની ખરીદી નથી કરી શકતા ત્યારે રાજુભાઈ જેવા માણસોને કારણે તે તહેવારો દરમિયાન મિઠાઈ ખાઈને મોં મીઠું કરી શકે છે.. આ પણ એક પ્રકારની સેવા જ છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.