Rajula : આર્મીમાં ફરજ બજાવતા રવિરાજનું ફરજ દરમિયાન નિપજ્યું મોત, અંતિમ યાત્રામાં જોડાયું આખું ગામ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-18 16:38:49

આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા દેશના સરહદની રક્ષા વીર જવાનો કરી રહ્યા છે. દેશની સેવા માટે લોકો તત્પર હોય છે.. પરંતુ ફરજ દરમિયાન અનેક વીર જવાનો શહીદ થઈ જતા હોય છે અને શહાદત પામતા હોય છે.. જ્યારે વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન આવે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. અમરેલીના વીર પુત્ર રવિરાજ ધાખડાનું મોત ફરજ દરમિયાન થઈ ગયું..

માતા પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો    

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર.. ભગવાને 4 દીકરીઓ અને 1 દીકરો આપ્યો. મોટો થયો તો આર્મીમાં જવાનું સપનું અને દેશ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો અને પછી રવિરાજભાઈએ પોતાનું સપનું પૂરૂ કર્યું વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને અચાનક ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અને ઘરે સમાચાર આવ્યા કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો. 



નશ્વર દેહ જ્યારે માદરે વતન પહોંચ્યો ત્યારે... 

જ્યારે પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ સંસ્કાર માટે આવ્યા...


ગાર્ડ ઓફ ઓનર આપીને વીરને કરાયા સન્માનિત

પહેલી વાર રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૌથી કરૂણ વાત તો એ હતી કે  આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પણ  તે પહેલાં જ શહીદી વ્હોરી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.