Rajula : આર્મીમાં ફરજ બજાવતા રવિરાજનું ફરજ દરમિયાન નિપજ્યું મોત, અંતિમ યાત્રામાં જોડાયું આખું ગામ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-18 16:38:49

આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા દેશના સરહદની રક્ષા વીર જવાનો કરી રહ્યા છે. દેશની સેવા માટે લોકો તત્પર હોય છે.. પરંતુ ફરજ દરમિયાન અનેક વીર જવાનો શહીદ થઈ જતા હોય છે અને શહાદત પામતા હોય છે.. જ્યારે વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન આવે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. અમરેલીના વીર પુત્ર રવિરાજ ધાખડાનું મોત ફરજ દરમિયાન થઈ ગયું..

માતા પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો    

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર.. ભગવાને 4 દીકરીઓ અને 1 દીકરો આપ્યો. મોટો થયો તો આર્મીમાં જવાનું સપનું અને દેશ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો અને પછી રવિરાજભાઈએ પોતાનું સપનું પૂરૂ કર્યું વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને અચાનક ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અને ઘરે સમાચાર આવ્યા કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો. 



નશ્વર દેહ જ્યારે માદરે વતન પહોંચ્યો ત્યારે... 

જ્યારે પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ સંસ્કાર માટે આવ્યા...


ગાર્ડ ઓફ ઓનર આપીને વીરને કરાયા સન્માનિત

પહેલી વાર રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૌથી કરૂણ વાત તો એ હતી કે  આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પણ  તે પહેલાં જ શહીદી વ્હોરી છે. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.