Rajula : આર્મીમાં ફરજ બજાવતા રવિરાજનું ફરજ દરમિયાન નિપજ્યું મોત, અંતિમ યાત્રામાં જોડાયું આખું ગામ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-18 16:38:49

આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા દેશના સરહદની રક્ષા વીર જવાનો કરી રહ્યા છે. દેશની સેવા માટે લોકો તત્પર હોય છે.. પરંતુ ફરજ દરમિયાન અનેક વીર જવાનો શહીદ થઈ જતા હોય છે અને શહાદત પામતા હોય છે.. જ્યારે વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન આવે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. અમરેલીના વીર પુત્ર રવિરાજ ધાખડાનું મોત ફરજ દરમિયાન થઈ ગયું..

માતા પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો    

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર.. ભગવાને 4 દીકરીઓ અને 1 દીકરો આપ્યો. મોટો થયો તો આર્મીમાં જવાનું સપનું અને દેશ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો અને પછી રવિરાજભાઈએ પોતાનું સપનું પૂરૂ કર્યું વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને અચાનક ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અને ઘરે સમાચાર આવ્યા કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો. 



નશ્વર દેહ જ્યારે માદરે વતન પહોંચ્યો ત્યારે... 

જ્યારે પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ સંસ્કાર માટે આવ્યા...


ગાર્ડ ઓફ ઓનર આપીને વીરને કરાયા સન્માનિત

પહેલી વાર રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૌથી કરૂણ વાત તો એ હતી કે  આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પણ  તે પહેલાં જ શહીદી વ્હોરી છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે